CIA ALERT
19. April 2024
August 9, 20191min6030

Related Articles



SBI, OBC, IDBI અને બેંક ઓફ મહારાષ્ટ્રએ હોમલોન તથા ઓટોલોનના વ્યાજદરો ઘટાડ્યા

Share On :
Print Friendly, PDF & Email

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપોરેટમાં 0.35 ટકાનો ઘટાડો કરતા જ બેંકોએ પણ પોતાના ધિરાણ દરો ઘટાડવા માંડ્યા છે. તા.8મી ઓગસ્ટ 2019ના રોજ સ્ટેટબેંક અને હવે અન્ય ત્રણ બેંકો ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, આઇ.ડી.બી.આઇ. તેમજ બેંક ઓફ મહારાષ્ટ્રએ હોમલોન તેમજ ઓટોલોનના વ્યાજના દરોમાં 0.05થી 0.15 ટકા સુધીના ઘટાડા કર્યા છે. આ ઘટાડો તા.12મી ઓગસ્ટ 2019થી લાગૂ પડશે. નવા ગ્રાહકોને આ ઘટાડાનો સીધો લાભ મળવાપાત્ર છે.

આ ઘટાડા બાદ નવી લૉન ઉપરાંત જૂની ચાલતી લૉનના ઈએમઆઈ પણ સસ્તા થઈ જશે.

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC), બેંક ઓફ મહારાષ્ટ્ર અને IDBI બેંક શામેલ છે.

IDBI બેંકે એક વર્ષ માટે લીધેલી લોન પર વ્યાજદર 0.10 ટકા ઘટાડીને 8.95 ટકા કર્યો છે.

ત્રણ મહિનાથી 3 વર્ષ માટે વ્યાજદરમાં 0.05થી 0.15 ટકા ઘટાડો કરાયો છે. આ નવો ઘટાડો 12 ઓગસ્ટથી લાગૂ થશે.

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે અલગ-અલગ સમયની લૉન પર 0.10 ટકા ઘટાડો કર્યો છે. એક વર્ષની લૉન પર 0.10 ટકા વ્યાજદર ઘટાડીને 8.55 ટકા કર્યો છે. બેંકનો નવો વ્યાજદર 10 ઓગસ્ટથી અમલમાં આવશે.

બેંક ઓફ મહારાષ્ટ્રના ઘટાડા બાદ 1 વર્ષની લૉન પર વ્યાજદર 8.50 ટકા થઈ ગયો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની હાલમાં મળેલી બેઠકમાં રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટ ઘટાડો કરાયો હતો. આ બાદ હવે રેપોરેટ 5.75 ટકાથી ઘટાડીને 5.40 ટકા થઈ ગયો છે.

કેન્દ્રીય બેંકના આ નિર્ણય બાદ SBIએ તરત જ વ્યાજદરમાં 0.15 ટકા ઘટાડો કર્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :