સૂરતમાંથી 3002 બાળકો ગૂમ થયા, આખી બે સ્કુલની વિદ્યાર્થી સંખ્યા જેટલા બાળકો છેલ્લા 5 વર્ષમાં ખોવાય ગયા
આપણું સૂરત બાળકો ગૂમ થઇ જવા બાબતે બીજા રાજ્યોમાં બદનામ થઇ રહ્યું છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
છાશવારે ઔદ્યોગિક વિકાસ, બિઝનેસ પેરામિટર્સ, ઓટોમોબાઇલ સેલિંગ વગેરે આર્થિક પરિબળોમાં સિદ્ધીઓ હાંસલ કરવાની વાતોનું ગૌરવ લઇ રહેલા સૂરતીઓ કદાચ એ વાત જાણતા નહીં હોય કે ગુજરાત અને ભારતમાં સૂરત એક સંવેદનશીલ મુદ્દા માટે બદનામ થઇ રહ્યું છે અને એ મુદ્દો છે બાળકો ગૂમ થઇ જવાનો. સૂરતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 3002 બાળકો ગૂમ થઇ ચૂક્યા છે અને આટલી મોટી સંખ્યામાં ગૂમ થયેલા બાળકોમાં મોટા ભાગના ગુજરાત બહારના રાજ્યોમાંથી રોજગારી અર્થે સૂરત આવેલા પરપ્રાંતિય પરિવારોના હોવાનું મનાય છે. આ જ કારણે સૂરત ભારતના અન્ય રાજ્યોમાં બાળકો ગૂમ થઇ જવા અંગે વગોવાય રહ્યું છે. મોટી સંખ્યામાં બાળકો ગૂમ થવાની ઘટનાને ખુદ રાજ્ય સરકારે સ્વીકારવું પડ્યું છે અને આ અંગેની સત્તાવાર માહિતી હાલ ચાલી રહેલા વિધાનસભા સત્રમાં આધિકારીક રીતે આપવી પડી છે.
આખી બે સ્કુલની વિદ્યાર્થી સંખ્યા જેટલા બાળકો પાંચ વર્ષમાં ગૂમ થઇ ગયા છે સૂરતમાંથી
સરકારના સત્તાવાર આંકડા મુજબ સૂરત શહેરમાંથી દર મહિને 10 વર્ષની વય સુધીના 50 બાળકો ગૂમ થઇ રહ્યા છે. યુનેસ્કો જેવી સંસ્થાના માપદંડો અનુસાર મહિને 50ની સરેરાશથી બાળકો ગૂમ થવા એ અત્યંત તપાસ માગી લે તેવી સમસ્યા કહેવાય. પણ સૂરત શહેરમાં જાણે કશું બન્યું ન હોય તેવો માહોલ છે.
છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાતભરમાંથી કુલ ૧૬૬૨૦ બાળકો ગૂમ થયા હોવાનું આખરે વિધાનસભાના સત્ર દરમિયાન પુછાયેલા પ્રશ્નને પગલે બહાર આવ્યું છે. આ સત્તાવાર માહિતી ગઇ તા.૩૦મી જૂન ૨૦૧૯ સુધીની છે. સૌથી વધુ બાળકો સૂરત શહેરમાંથી ગૂમ થયા છે. ગુજરાતના બિઝનેસ સિટી અને દેશના ટેક્સટાઇલ સિટી ગણાતા સૂરત શહેરમાંથી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ 3002 બાળકો ખોવાય ગયાના સત્તાવાર આંકડા પોલીસ ચોપડે નોંધાયા છે. આશ્ચર્ય તો એ થઇ રહ્યું છે કે ત્રણ-ત્રણ હજાર બાળકો ગૂમ થવા છતાં સૂરતના લોકોમાં કોઇ જ પ્રતિકાત્મક સ્થિતિ સર્જાઇ નથી. સંવેદનશીલ સમાજ હોય તો આટલી મોટી સંખ્યામાં બાળકો ગૂમ થવાની ઘટના બાદ લોકો રસ્તા પર આવી ગયા હોત.
મોટા ભાગના ગૂમ થયેલા બાળકો બીજા રાજ્યોમાંથી રોજગારી અર્થે આવેલા પરપ્રાંતિય પરિવારોના હોવાનું મનાય છે
મોટી અને અસામાન્ય બાબતમાં ગૂમ થયેલા બાળકોનું શું થયું એ બાબતે પણ રિપોર્ટ કરવાની દરકાર કોઇએ લીધી નથી. આ મુદ્દામાં એટલા વ્યાપક સવાલો અનુત્તર રહે છે કે ન પૂછો વાત, ગૂમ થયેલા બાળકોના માતાપિતા, વાલીઓ, પરિવારજનો પર શું વિત્યું હશે અને શું વીતી રહ્યું હશે, ગૂમ થયેલા બાળકો ક્યાં હશે, હયાત હશે કે કેમ આવા અનેક પ્રશ્નો ભલભલા કઠોર હ્રદયને પણ હચમચાવી મૂકે એવા છે પણ બિઝનેસ સિટી બનેલા સૂરતમાં હવે સંવેદનશીલતા ક્ષીણ થતી હોવાનું જણાય રહ્યું છે.
અમદાવાદમાંથી 2143 બાળકો પાંચ વર્ષમાં ગૂમ થયા
તાજેતરમાં મળેલી વિધાનસભા સત્રની ત્રણ દિવસની બેઠકમાં રજૂ કરાયેલી અતારાંકિત પ્રશ્નોત્તરીમાં લીંબડીના ધારાસભ્યો સોમાભાઈ કોળી પટેલ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે બાળકો ગૂમ થયા હોવાની વિગતો પૂરી પાડી હતી. જેમાં સુરતમાંથી ૩૦૦૨ બાળકો અને અમદાવાદમાંથી ૨૧૪૩, રાજકોટમાંથી ૪૯૮, જામનગરમાંથી ૩૦૩, ભાવનગરમાંથી ૪૫૫, પોરબંદરમાંથી ૧૧૮ અને કચ્છમાંથી ૨૪૮ બાળકો ગુમ થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now