જયશંકર અને જુગલ (બન્ને મકર રાશી) ભાજપાના રાજ્યસભાના ઉમેદવારો
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટેની ચૂંટણી માટે ભાજપે પોતાના બંને ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં એક નામ છે વિદેશ મંત્રી એસ. જયશંકર અને બીજુ નામ છે જુગલજી ઠાકોરનું. આ બંને ઉમેદવારો મંગળવારે બપોરે ચૂંટણી ફોર્મ ભરશે. આ બન્ને ઉમેદવારો જોગાનુંજોગ એક જ રાશી, મકર રાશીના છે.
અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીનો લોકસભાની ચૂંટણીમાં વિજય થતા ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. આ બંને બેઠકો પર 5 જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. આ બંને બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
ભાજપે જે બે ઉમેદવારો જાહેર કર્યા તેમાં એસ. જયશંકરને પીએમ મોદીએ કેબિનેટમાં સ્થાન આપી વિદેશ મંત્રી બનાવ્યા છે. જેમણે કોઈ ચૂંટણી લડી નહોવાથી તેમને ગુજરાતની બેઠક પરથી રાજ્યસભાની ચૂંટણી લડાવવામાં આવશે તેવી શક્યાતા હતી જે હવે સાચી ઠરી છે. બીજા ઉમેદવાર જુગલજી ઠાકોર બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં તેમની સારી પકડ છે. સાથે ઠાકોર સમાજના આગેવાન ગણવામાં આવે છે.
ગુજરાત કોંગ્રેસે આ બંને બેઠકો માટે ઉમેદવારોની પસંદગીનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દીધો છે. જોકે એવી પણ બાબતો સામે આવી રહી છે કે કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવાર આ ચૂંટણી લડવા માટે તૈયાર નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now