ગુજરાત સરકારનું ૨,૦૪,૮૧૫ કરોડનું બજેટ રજૂ થયું: રૂ. ૨૮૭ કરોડનો કરબોજ ઝીંકાયો
શિક્ષણના વિકાસ પાછળ ૩૦,૦૪૫ કરોડપાણી પુરવઠો પાછળ રૂ. ૪૩૦૦ કરોડ વપરાશે
ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસે નાણાં પ્રધાન નીતિન પટેલે રાજ્ય સરકારનું ૨,૦૪,૮૧૫ કરોડનું ૨૦૧૯-૨૦ માટે પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યુ હતું. રાજ્ય સરકારે ખેડૂતો માટે લોન, સિંચાઈથી લઈને ખેતર માટે નવા વીજ જોડાણને લઈ નવી જોગવાઈઓ કરી છે.
આ ઉપરાંત યુવાઓને રોજગારીની નવી તકો ઊભા કરવાની માટેની જોગવાઈ બજેટમાં રાખી છે. રાજ્યની માળખાકિય અને સુખાકારીની સગવડો વધે તે માટે પણ સરકારે પોતાના બજેટમાં નવી યોજનાઓનો સમાવેશ કર્યો છે. જોકે સમાધાન યોજના હેઠળ બાકી વેરા અને દંડમાં રાહત આપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે જ્યારે નવા વર્ષથી હવે સોગંદનામા માટે ખેડૂતો અને લોકો દ્વારા કરવામાં આવતા નોટરાઇઝ સ્ટેમ્પ માટેની ડ્યુટીના દરમાં વધારો કરવામાં આવ્યો છે.
રૂ. ૩૦થી રૂ. ૨૦૦ સુધીનો વધારો થશે. આમ સરકારે એકદંરે રૂ. ૨૮૭ કરોડ જેટલો સીધો જ કરવેરા વધારો લોકો ઉપર ઝીંક્યો છે. નાણાં પ્રધાને ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બેજટમાં બેઝિક જરૂરિયાતો માટે ૬૫ ટકા જેટલી ફાળવણી કરવામાં આવી છે. કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસ માટે કુલ બજેટના ૨૦.૬૩ ટકા, જ્યારે પાણી, પુરવઠો, સ્વચ્છતા, આવાસન અને શહેરી વિકાસ માટે ૧૫.૭૬ ટકા તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૮.૪૩ ટકા તથા શિક્ષણ, રમત-ગમત, કલા અને સંસ્કૃતિ માટે ૨૦.૭૯ ટકા મળીને લગભગ ૬૫ ટકા જેટલી ફાળવણી કરી છે.
આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૧૦,૮૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાના ૪.૯૦ લાખ નાગરિકોને ૮૧૮ કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ યોજના માટે આ વર્ષે ૪૫૦ કરોડની જોગવાઈ કરી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now