Saurashtra : 2.92 લાખ હેક્ટરમાં પાકને નુકસાન, 1.57 લાખ અરજી મળી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહા વાવાઝોડું અને અકુદરતી વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કૃષિપ્રધાન આર.સી ફળદુએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટમાં થયેલી ચર્ચા પ્રમાણે ચારેય વીમા કંપનીઓએ 10 દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરવાની રહશે. પછીના 15 દિવસમાં ગણતરી કરીને ખેડૂતોને વળતર ચૂકવવાનું થશે. ગુજરાતના અમુક ભાગમાં ખેડૂતોએ વીમો નથી લીધો. આવા ખેડૂતોના પાકને 33 ટકાથી વધારે નુકસાન થયું હશે તો તેમને કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે વળતર ચૂકવવામાં આવશે.
ફળદુએ કહ્યું કે, ચોમાસામાં 144 ટકા વરસાદ થયો હતો. માવઠાને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાનીનો સામનો કરવો પડયો છે. વીમા કંપનીઓ સાથે બેઠક કરી ખેડૂતોને નુકસાનીનો સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે પરંતુ વીમા કંપનીના ફોન લાગતા ન હોવાની ખેડૂતોની ફરિયાદ છે. જેને અનુલક્ષીને ચારેય કંપનીઓને 10 દિવસમાં સર્વે કરી 15 દિવસમાં વળતર ચૂકવવા જણાવવામાં આવ્યું છે.
કૃષિપ્રધાને કમોસમી વરસાદને કારણે ખેતીને થયેલા નુકસાનના અંદાજિત આંકડા આપતા કહ્યું કે, અત્યાર સુધી સરકારને ખેડૂતો પાસેથી 1.57 લાખ અરજી મળી છે. જે પ્રમાણે 2.92 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાનું કહી શકાય.
અમરેલી જિલ્લામાં ખેડૂતો પાસે સર્વેની કામગીરી માટે પૈસા લેવાનો વીડિયો વાયરલ થવા અંગે ફળદુએ કહ્યું કે, સરકારે અમરેલી જિલ્લાના અધિકારીઓને તેની સામે પગલાં લેવાની સૂચના આપી દીધી છે. એજન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’ તેમણે મગફળી સહિત ટેકાના ભાવે ખરીદી 15મી નવેમ્બરથી રાજ્યમાં શરૂ કરવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now