CIA ALERT
20. April 2024
March 25, 20208min9320

Related Articles



Corona Gujarat Update

Share On :
Print Friendly, PDF & Email

13-14 માર્ચે અમદાવાદ આવેલી 11 ફ્લાઇટ્સના મુસાફરોને કોરોન્ટાઇન થવા સૂચના : વાંચો લિસ્ટ કઇ કઇ ફ્લાઇટ્સ?

રાજ્યના એક સનદી અધિકારીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે ગઇ તા.13 અને 14મી માર્ચ 2020ના રોજ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેલી 14 જેટલી ફ્લાઇટ્સમાં ભારત, અમદાવાદ કે અન્ય કોઇપણ શહેરમાં આવેલા પેસેન્જરો જો સેલ્ફ કોરોન્ટાઇન ન હોય તો સત્વરે સરકારના ટોલફ્રી નંબર પર જાણ કરવા માટે જણાવાયું છે.

ગુજરાતના સનદી અધિકારી ડૉ. ઓમ પી. મછરાએ ટ્ટવીટ કરીને તા.13 અને 14મી માર્ચની અમદાવાદ આવેલી ફ્લાઇટ્સની માહિતી આપી

13-14 માર્ચ 2020ના રોજ અમદાવાદ આવેલી આ ફ્લાઇટ્સના પેસેન્જરો કોરોન્ટાઇન થાય

તા.13મી અને 14મી માર્ચ 2020ના રોજ અમદાવાદ એરપોર્ટસ પર જે ફ્લાઇટ્સ આવી હતી તે મોટા ભાગે મિડઇસ્ટ એટલે કે દુબઇ કે સાઉદી અરેબિયાથી આવેલી છે. કેમકે એ સમયે કોરોનાથી ઇફેક્ટેડ દેશોની ફ્લાઇટ્સ પર બેન લગાડી દેવામાં આવ્યો હતો. તા.13મી માર્ચે એક ફ્લાઇટ યુ.કે.થી અમદાવાદ આવી હતી.

ગુજરાતમાં 43 કેસ

સવારે 11 કલાકે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 43 થઇ છે. જેમાં અમદાવાદના 15, ગાંધીનગર અને સૂરતના 7-7, વડોદરામાં 8, રાજકોટમાં 4 તથા કચ્છ અને ભાવનગરમાં 1-1 કેસ હોવાની પુષ્ટી કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરના કેસ તા.26મી માર્ચ 2020 સવારે 11 કલાકે

  • અમદાવાદ 15
  • વડોદરા 8
  • સૂરત 7
  • ગાંધીનગર 7
  • રાજકોટ 4
  • કચ્છ 1
  • ભાવનગર 1

સૂરત માટે રાહતના સમાચાર, કોરોના શંકાસ્પદ 8ના રિપોર્ટ નેગેટીવ, કોઇ નવા શંકાસ્પદ કેસો નહીં (26/03/20 @ 11a.m.)

जिंदगी की पहली रेस होगी जिसमें रुकने वाले की जीत पक्की है : ગુજરાતમાં કોરોના કેસ 43 થયા

સૂરત શહેરના લાખો લોકો માટે આજે તા.26મી માર્ચ 2020નો દિવસ રાહતના સમાચાર લઇને આવ્યો છે. સૂરત શહેરમાં કોરોના વાઇરસ જેવા શંકાસ્પદ લક્ષણો ધરાવતા 8 દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ અર્થે પેન્ડીંગ સ્ટેટસ ધરાવતા હતા. એ તમામનો આજે રિપોર્ટ નેગેટીવ જાહેર થયો છે.

આજે સવારે 10.30 કલાકે જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ સૂરત શહેરમાં હવે કોરોના શંકાસ્પદ એક પણ દર્દીના સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ નથી. સૂરત શહેરમાં હવે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 6 જ છે. 8 દર્દીઓના સેમ્પલ્સ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રવાહકો સમેત શહેરીજનો માટે ખાસ્સી રાહતના સમાચાર છે.

Corona update 26/03/20 સવારે 11 વાગ્યે

STATE/UTCONFIRMEDDEATHS
MAHARASHTRA1243
KERALA1180
TELANGANA410
KARNATAKA411
RAJASTHAN380
GUJARAT381
UP370
DELHI351
PUNJAB331
HARYANA300
TAMIL NADU261
MADHYA PRADESH151
LADAKH130
J&K110
ANDHRA PRADESH110
WEST BENGAL91
CHANDIGARH70
UTTARAKHAND50
CHHATTISGARH30
HIMACHAL PRADESH31
BIHAR31
GOA30
ODISHA20

Corona updage 25/03/20 સવારે 11 વાગ્યે

: ભારતમાં કેસ 539 : કેરળમાં 109 : મહારાષ્ટ્રમાં 101

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા મંદ ગતિએ પણ આગળ વધી રહી છે. આજે તા.25મી માર્ચ 2020ને સવારે 10 વાગ્યે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકારોને આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને 38 થઇ છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોના પોઝિટિવના પાંચ કેસ સામે આવ્યા છે. રાજકોટમાં બે કેસ થયા છે જેમાં 36 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે જે દુબઈથી પરત ફર્યો હતો જ્યારે 75 વર્ષના એક શખ્સને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં વૃદ્ધને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હોવાનું જણાયું છે. અમદાવાદમાં 31 વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે જે તાજેતરમાં દુબઈ ગઈ હોવાનું ખુલ્યું છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવે જણાવ્યું ગુજરાતમાં 24 કલાકમાં પાંચ કેસ, કુલ 20,688 લોકો ક્વોરન્ટાઈન હેઠળ

  • ગુજરાતમાં સિટીવાઇઝ કેસોની સંખ્યા
  • અમદાવાદ 14
  • સૂરત 7 (એક મૃત્યુ સાથે)
  • વડોદરા 7
  • ગાંધીનગર 6
  • રાજકોટ 3
  • કચ્છમાં 1

ગુજરાત સરકારના આરોગ્ય અધિકારી જયંતિ રવિએ તા.25મી માર્ચે માહિતી આપી હતી

કોરોનાના ગુજરાતના 25 ટકા કેસો લોકલ ટ્રાન્સમિશનને કારણે, એટલે ઘરોમાં બંધ રહેવા તાકીદ

મંગળવારે છ નવા કેસ નોંધાતા, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 35 પર પહોંચ્યો છે. જે નવા કેસ નોંધાયા છે તે સુરત, ગાંધીનગર અને રાજકોટના છે. 35 કેસમાંથી 9 એટલે કે 25 ટકા કેસ લોકલ ટ્રાન્સમિશનના છે.

રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, ગાંધીનગરના બંને કેસ સ્થાનિક ટ્રાન્સમિશનના છે. રાજ્યના પાટનગરમાં એક પુરુષ (53) અને મહિલા (52)નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

રાજકોટમાં નોંધાયેલા બે કેસમાંથી 36 વર્ષનો યુવક દુબઈથી પરત ફર્યો હતો અને અન્ય 75 વર્ષીય મહિલાને લોકો દ્વારા ચેપ લાગ્યો હતો.

હોમ કોરન્ટાઇનનો ભંગ બદલ 147 લોકો સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો

રાજ્યના આરોગ્ય અધિકારી જયંતિ રવિએ માહિતી આપી હતી કે રાજ્યમાં 14 દિવસ હોમ કોરોન્ટાઇનમાં રાખવામાં આવેલા લોકો પૈકી અનેક લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી રહ્યા છે આવા કુલ 147 લોકો બહાર ફરતા પકડાતા તેમની સામે ફોજદારી રાહે પગલાં ભરીને તેમને સરકારી કોરોન્ટાઇનમાં મૂકી દેવામાં આવ્યા છે. આ તમામ સામે એફ.આઇ.આઇ. દાખલ કરવામાં આવી છે.

ભારતમાં તા.25મી માર્ચે સવારે 10 કલાકે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 539

25મી માર્ચે ભારતમાં રાજ્યવાર કેસોની સંખ્યા

STATE/UTCONFIRMEDDEATHS
KERALA1090
MAHARASHTRA1012
KARNATAKA411
TELANGANA350
UP350
GUJARAT331
RAJASTHAN320
DELHI311
PUNJAB291
HARYANA280
TAMIL NADU180
LADAKH130
ANDHRA PRADESH90
WEST BENGAL91
MADHYA PRADESH90
J&K70
CHANDIGARH70
UTTARAKHAND40
HIMACHAL PRADESH31
BIHAR31
ODISHA20
PUDUCHERRY10
CHHATTISGARH10

લૉકડાઉન ભંગ બદલ સજાની જોગવાઇ વાંચી લેજો એકવાર

દેશભરમાં કોરોના વાયરસને વધતો અટકાવવા માટે તા.24મી માર્ચે રાત્રે 12 વાગ્યાથી લૉકડાઉનનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આમ છતાં જો સામાન્ય લોકો (બિનઆવશ્યક સેવા સિવાયના) બહાર ફરતા દેખાશો તે તેમને સજા અને દંડ એમ બંનેની જોગવાઈ કરાયેલી છે. લૉકડાઉન ભંગ બદલની સજાને એક મહિનાથી 2 વર્ષ સુધી વધારી શકાય છે.

21 દિવસના લોકડાઉન દરમિયાન નિયમ અને ગાઈડલાઈન્સનું પાલન નહીં કરનારા સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 51 અંતર્ગત કાર્યવાહી કરાશે. જેમાં સજા અને દંડ એમ બંનેની જોગવાઈ છે. લોકડાઉનનું પાલન ન કરનારાને 200 રૂપિયાનો દંડ અને 1 મહિનાની જેલની સજા. પરંતુ આ કારણથી કાયદાકીય વ્યવસ્થામાં કોઈ તકલીફ આવી, તોફાનની સ્થિતિ પેદા થઈ તો સજા 6 મહિના સુધી વધારી દેવાશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે આદેશ નથી માનતા અને કોઈનો જીવ જાય છે અથવા તો ખતરો ઊભો થાય છે તો તેવી સ્થિતિમાં દોષી જાહેર થવા પર જેલ થશે, જે બે વર્ષ સુધી વધી શકે છે.

અફવા ફેલાવતા લોકો સામે પણ પગલાં

ગૃહ મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ કોરોના વાયરસથી સંબંધિત અફવા ફેલાવે છે, તો તેને એક વર્ષ સુધીની સજા થઈ શકે છે, સાથે દંડ પણ ભરવો પડશે. લોકોની સહાયતા માટે આપવામાં આવેલા ફંડમાં ભ્રષ્ટાચાર કરનાર સામે પણ કાર્યવાહી કરાશે. આવી સ્થિતિમાં બે વર્ષની સજા ફટકારાશે. સરકારી અધિકારીઓએ પણ પાલન કરવું પડશે. સરકારે જણાવેલી ગાઈડલાઈનનું પાલન ન કરવા પર કોર્પોરેટ પર દંડ ફટકારાશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :