CIA ALERT
18. April 2024
September 22, 20191min3650

Related Articles



હીરાઉદ્યોગમાં GSTમાં ઘટાડો: નાના ઉદ્યોગકારો ખુશ

Share On :
Print Friendly, PDF & Email

હીરાઉદ્યોગમાં જોબવર્કમાં જીએસટી પાંચ ટકાથી ઘટાડીને ૧.૫૦ ટકા કરાતા સુરતના હીરા ઉદ્યોગકારોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. હીરાના જોબવર્કમાં જીએસટીના દરમાં સીધો જ ૩.૫૦ ટકાનો ઘટાડો કરી દેવાતા હીરા ઉદ્યોગકારોએ આ નિર્ણયને આવકાર્યો હતો. સરકારના આ નિર્ણયથી મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગકારોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં અનેક બાબતોમાં જીએસટીમાં રાહત અપાઈ છે. હીરાના જોબવર્ક માટે પહેલા પાંચ ટકાની વસૂલાત કરવામાં આવતી હતી. તેમાં ઘટાડો કરીને ૧.૫૦ ટકા કરાઈ હતી. આ જાહેરાત હીરા ઉદ્યોગકારો માટે ફાયદારૂપ સાબિત થશે કારણ કે, જોબવર્ક કરાવ્યા બાદ ભરપાઈ કરવાના પાંચ ટકા જીએસટી બાદ મળતા ન હતા. આમ મોટી રકમ જીએસટીમાં જમા થતી હતી. આ મામલે સુરતના હીરાઉદ્યોગના અગ્રણીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલતી હીરાઉદ્યોગની માગનો અંત આવ્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :