CIA ALERT
28. March 2024
May 10, 20191min6170

Related Articles



બુકિંગ પછી ફ્લેટનો સોદો રદ થાય તો GST રિફંડ

Share On :
Print Friendly, PDF & Email

ઘર ખરીદનારાઓએ ગયા નાણાકીય વર્ષમાં ફ્લેટ બૂક કરાવીને પછી રદ કર્યો હોય તો બિલ્ડરોએ તેના પર વસૂલેલો જીએસટી રિફંડ કરવો પડશે અને તેને આ પ્રકારના રિફંડ માટે ક્રેડિટ એડજસ્ટમેન્ટની છૂટ પણ મળશે, એમ આવકવેરા વિભાગે જણાવ્યું હતું.

રિયલ એસ્ટેટ સેક્ટરની કંપનીઓને રહેણાક એકમો પર પાંચ ટકા અને એફોર્ડેબલ હાઉસિંગ પર એક ટકા જીએસટી પહેલી એપ્રિલ 2019થી ઈનપુટ ટેક્સ ક્રેડિટ વગર વસૂલવાની છૂટ મળે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા આ પ્રકારની ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે.

હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સમાં બિલ્ડરોને આઇટીસી સાથે 12 ટકાનો ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) વસૂલવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેમા એફોર્ડેબલ હાઉસિંગ માટે આઇટીસી સાથે આઠ ટકા અથવા તો આઇટીસી વગર એક ટકાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ખરીદનાર દ્વારા ડેવલપરને ક્રેડિટ નોંધ સેક્શન 34ની જોગવાઈ મુજબ ભાવફેરના સંદર્ભમાં કે બુક કરવામાં આવેલા ફ્લેટનો સોદો કેન્સલ થાય ત્યારે ઉપરોક્ત જોગવાઇઓ લાગુ પડશે.

ડેવલપર આ પ્રકારની ક્રેડિટ નોટની રકમ પર ચૂકવેલા વેરા અંગે ટેક્સ એડજસ્ટમેન્ટને પાત્ર બનશે. જેમકે કોઇ ડેવલપરે ₹1.20 લાખ પર 12 ટકાના દરે વેરો ચૂકવ્યો હોય અને તેની કુલ બૂકિંગ રકમ પહેલી એપ્રિલ 2019 પહેલા દસ લાખ રૂપિયા હોય તથા બુકિંગ પહેલી એપ્રિલ 2019 પૂર્વે કે પહેલાં રદ થાય તો તેને જીએસટીની ₹1.20 લાખની જવાબદારી સામે ટેક્સ એડ્જસ્ટમેન્ટનો અધિકાર મળશે.

એક્સપર્ટસ કહે છે કે ઉપરોક્ત ગાઇડલાઇન્સને કારણે ડેવલપરને કરબોજો ઘટાડવામાં મદદ મળશે, જે તેણે ઘણી વખત જૂનાં બૂકિંગ રદ થવાની સ્થિતિમાં વેઠવો પડે છે.

એક વખત રિયલ એસ્ટેટ ડેવલપર હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પર જૂની જીએસટી કર પદ્ધતિ પસંદ કરે અથવા તો નવી પસંદ કરે તે પણ તે જ્યુરિસડિક્શનલ કમિશનર પાસે મેન્યુઅલી કરાવી શકશે. જોકે તેને તેમાં સુધારો કરવાની છૂટ નહીં મળે.

ડેવલપરો સામાન્ય રીતે જેને ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઇટ (ટીડીઆર) તરીકે જાણે છે તેમાં જમીનની ખરીદીના સંદર્ભમાં એફએક્યુએ જણાવ્યું હતું કે તેમાં પહેલી એપ્રિલ 2019 પછીના કરારો પર જીએસટી લાગુ નહીં પડે. જોકે, ટીડીઆર કરાર પહેલી એપ્રિલ 2019 પૂર્વે કરવામાં આવ્યો હોય તો ડેવલપર ચૂકવાયેલા જીએસટી પર ક્રેડિટ ક્લેમ ન કરી શકે. જીએસટી રેજિમમાં ટીડીઆર પર 18 ટકાના દરે વેરો લાગે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :