NCERT ના પરીક્ષાર્થીઓને ગુજરાત બોર્ડે હાથથી લખેલા પ્રશ્નપત્ર આપતા વિવાદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આબરૂના ધજાગરા ઉડાડતી ઘટના મોડે મોડે પ્રકાશમાં આવી છે. ગુજરાત બોર્ડે એન.સી.ઇ.આર.ટી.ના વિદ્યાર્થીઓને તાજેતરમાં લીધેલી પૂરક પરીક્ષામાં હાથથી લખેલા પ્રશ્નપત્રો આપતા મોટો વિવાદ થયો છે.
બુદ્ધિજીવીઓ અને આચાર્યો એ તો બોર્ડની આ હરકતને તેની વિશ્વસનીયતા જોખમમાં મૂકવાનું પગલું ગણાવ્યું છે. મળતી માહિતી મુજબ એન.સી.ઇ.આર.ટી.નો સિલેબસ ભણાવવાની બાબત ગુજરાત બોર્ડના પાઇલોટ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ છે અને તેના મર્યાદિત વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં બોર્ડ દ્વારા હાથથી લખેલા પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હતા.
પ્રશ્નપત્રોની ઇમેજ અમને આ મુજબ મળી હતી
આ પ્રકારના હાથી લખેલા પ્રશ્નપત્રો આપવામાં આવતા વિદ્યાર્થીઓ ડઘાઇ જવા પામ્યા હતા. બોર્ડના કેટલાક અધિકારીઓએ એવો વાહિયાત ખુલાસો કર્યો હતો કે પરીક્ષાર્થીઓની સંખ્યા સાવ ઓછી હોવાથી પ્રશ્નપત્રો ટાઇપ કરાયેલા ન હતા.
જાણકારો અને આચાર્યો કહે છે કે ભલે એક પરીક્ષાર્થી કેમ ન હોય બોર્ડે પ્રશ્નપત્ર તો ઠીકઠાક આપવું જોઇએ. એન.સી.ઇ.આર.ટી.ની પરીક્ષામાં જે હાથથી લખેલા પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા તેમાં ભૂલો પણ અનેક હતી. એવું જણાય આવ્યું હતું કે આ પરીક્ષા લેવામાં બોર્ડના અધિકારીઓએ નકરી વેઠ જ ઉતારી હતી.
આ પ્રકારના હાથથી લખેલા પ્રશ્નપત્રો અને ભૂલભરેલા પ્રશ્નપત્રો મળવાના કારણે ખુદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ ડઘાઇ જવા પામ્યા છે. હવે તો સ્કુલો પણ પોતાની પરીક્ષા પ્રિન્ટેડ અને સુવાચ્ય અક્ષરોવાળા પ્રશ્નપત્રોથી લેતી હોય છે ત્યારે બોર્ડએ અધોગતિ કરી હોય તેવું આ ઘટના પરથી જણાય આવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now