CIA ALERT
18. April 2024
July 30, 20191min15070

Related Articles



ધો.10 પૂરક પરીક્ષાનું પરીણામ માત્ર 9.4 ટકા, ગુજરાતના ભણતર પર પ્રશ્નાર્થ

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગત માર્ચ 2019માં લેવામાં આવેલી એસ.એસ.સી. ધો.10ની પરીક્ષામાં એક-બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું આખું વર્ષ ન બગડે એ હેતુથી તેમની પૂરક પરીક્ષા જુલાઇ માસમાં લેવાની પરંપરા છે.

ચાલુ મહિનામાં લેવામાં આવેલી આ પૂરક પરીક્ષાનું ધો.10 એસ.એસ.સી.નું પરીણામ ફક્ત 9.4 ટકા આવ્યું છે. આમાં પણ ગુજરાતી માધ્યમની સ્કુલોનું પરીણામ ફક્ત 8 ટકા છે.

ધો.10ની પૂરક પરીક્ષાના પરીણામ અંગે ગુજરાત બોર્ડે આ મુજબ વિગતો જાહેર કરી હતી.

58 હજારથી વધુ નાપાસ યુવાઓ ભણશે કે ઉઠી જશે?

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે કુલ 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જેમાંથી 75,362 વિદ્યાર્થીઓએ જુલાઇ 2019ની પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે પરીક્ષા શરૂ થઇ ત્યારે ફક્ત 64,814 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આજે જ્યારે પરીણામ આવ્યું ત્યારે ફક્ત 6063 વિદ્યાર્થીઓ જ પાસ થઇ શક્યા છે. હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે 58 હજારથી વધુ નાપાસ વિદ્યાર્થીઓ ભણશે કે નહીં ભણે

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :