CIA ALERT
23. April 2024
January 28, 20201min6380

Related Articles



આજના દિવસે શિરચ્છેદ બાદ ભગવાન ગણેશ ‘ગજરાજ’ બન્યા હતા, અનેક શાસ્ત્રોમાં આજના દિવસનો ગણેશ જયંતિ તરીકે નિર્દેશ

Share On :
Print Friendly, PDF & Email

આજે તિલકૂટ ચૌથ, પાલ સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણેશ યાગનો આરંભ

ભારતીય ધર્મશાસ્ત્રોમાં આજના દિવસને ભગવાન શ્રી ગણપતિ મહારાજના જન્મદિન તરીકે પણ નવાજવામાં આવે છે. આજે મંગળવાર, તા.28મી જાન્યુઆરી 2020ને મહાસુદ ચતુર્થી, ભારતીય શાસ્ત્રોમાં તિલકૂટ ચોથ, વિનાયક ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં કરાયેલા નિર્દેશ અનુસાર આજના દિવસે ગણેશ ભગવાનનો શિરચ્છેદ થયા બાદ તેઓ ગજમુખ બન્યા હતા. આજના દિવસથી તેઓ ગણપતિ મહારાજ તરીકે ઓળખાયા છે.

આ યોગ આજે મંગળવારે ત્રણ વર્ષ બાદ ‘ગણેશ જયંતી’ના સ્વરૂપમાં સર્જાયો છે. આજના દિવસે વિઘ્નહર્તા દેવની ઉપાસના માટે તેમજ ‘નેતૃત્વ’ના કાર્યમાં સફળતા મેળવવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે જમણેરી સૂંઢના ગણેશજીની ઉપાસના માટે પણ ઉત્તમ દિવસ કહેવામાં આવે છે.

આજની તિથિ માટે એવું કહેવાય છે કે આ દિવસે જ તેઓનો શિરચ્છેદ થયા બાદ તેઓ ‘ગજમુખ’ બન્યા હોવાથી તેમનો જન્મદિન પણ કહેવાય છે. આ દિવસે સેંકડો શ્રદ્ધાળુઓ દર્શન માટે ગુજરાતનાં ગણેશપુરા, ઐઠોર, સૂરતના પાલના સિદ્ધિ વિનાયક ગણપતિ સહિતનાં પ્રાચીન ગણેશ મંદિરોમાં દર્શન માટે જાય છે.

કાર્યમાં આવતાં વિલંબ દૂર કરવા માટે આ ચતુર્થીનું ખાસ મહત્વ છે. આ દિવસે ગણેશ યાગનું પણ સવિશેષ મહત્ત્વ છે. આ દિવસે તલનાં લાડુ ધરાવાતા હોવાથી આ વિનાયક ચતુર્થીને તિલકુંદ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. તલના લાડુનાં પ્રસાદની સાથે તથા દૂર્વાથી પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થઈ શકે છે. 

ગણેશ યાગનું પણ આ દિવસે સવિશેષ મહત્ત્વ છે. જ્યારે લાલ રંગની વસ્તુ અર્પણ કરવાથી રોગમાં રાહત મળે છે. આ દિવસે સંકષ્ટનાશન ગણેશ સ્તોત્રનું પઠન ખૂબ જ લાભદાયી બની રહે છે. અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષનું પણ પઠન કરતાં હોય છે. તો અનેક શ્રદ્ધાળુઓ ગણેશ ચાલીસાનું પણ પઠન કરતાં હોય છે. આ દિવસે બીજું કંઇપણ શક્ય ન બને તો ગણેશજીનાં બાર નામ છે, તેનું સ્મરણમાત્ર વ્યક્તિને કાર્યમાં આવતાં વિલંબને દૂર કરવામાં સહાયક બની શકે છે.

સૂરતના પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં આજે વિશેષ યાગ

સૂરતના પાલ પાટીયા સ્થિત ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે આજે શ્રી ગણેશ અથર્વશિર્ષના પાઠ તેમજ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિન મહેતાએ જણાવ્યું હતું. આજના યોગ દરમિયાન અનેક ભાવિકો મંદિરમાં દર્શનાર્થે પધારતા હોવાથી સિદ્ધિ વિનાયક મંદિરમાં વિશેષ વ્યવસ્થાપન હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાને કેસરસ્નાન સાથે કાર્યક્રમ શરૂ થયા હતા. સવારે 9 કલાકે ગણેશ યાગનો આરંભ કરવામાં આવ્યો હતો. સાંજે 5 કલાકે શ્રીફળ આહૂતિ સાથે યાગની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :