તા.1લી એપ્રિલથી ગરીબ પરિવારને મફત અનાજ સહાય આપશે ગુજરાત સરકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે અને દૈનિક ધોરણે કમાઈને ખાતા પરિવારોની ચિંતા કરતા સંવેદનશિલ સરકાર દ્વારા જેમની પાસે રાશનકાર્ડ છે તેવા મજૂરોને અને ગરીબ કુટુંબોને 1લી એપ્રિલે વ્યક્તિદીઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા, કુટુંબ દીઠ એક કિલો ખાંડ, દાળ તેમજ મીઠું મફત આપવાનો નિર્ણય કરાયો હોવાનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
એપ્રિલમાં રેશનિંગની દુકાનોમાં આ 60 લાખ કુટુંબોને તમામ અનાજ તેમજ ખાવા-પિવાની વસ્તુઓનું એક મહિના સુધી મફતમાં વિતરણ કરાશે. રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
આશરે 60 લાખ કુટુંબ, સવા ત્રણ કરોડ લોકોને તકલીફ ના પડે તે માટે આ નિર્ણય કરાયો છે તેમ બેઠક બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું. 21 દિવસ કામધંધા બંધ થવાથી નાના માણસો અને ગરીબ લોકોની મુશ્કેલી વધી જતી હોય છે. આ સરકાર આવા લોકોની સમસ્યાને સમજે છે અને અન્ય સહાયતા આપવા પણ વિચારણા કરી રહી છે. જેમ જેમ સરકાર વિચારણા કરી રહી છે તેમ તેમ રાજ્યના લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેનું ધ્યાન રાખશે અને ભવિષ્યમાં વધુ સહાયતા અંગે સમયાંતરે જાહેરાત કરાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now