અમદાવાદની કોરોના પોઝીટીવ યુવતિ રિકવર થઇને ઘરે પરત ફરી, સૂરતની યુવતિનો એક ટેસ્ટ નેગેટીવ આવી ચૂક્યો હવે 24 કલાકમાં બીજા નેગેટીવ ટેસ્ટની રાહ
ગુજરાતમાં કોરોના રિકવરીનું ખાતું ખૂલ્યું
ગુજરાતમાં કોરોના 58 કેસો બાદ એક રાહતના સમાચાર એ મળ્યા છે કે અમદાવાદની એક મહિલા પેશન્ટ કોરોનાથી સંપૂર્ણ મુક્ત થઇને અમદાવાદની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. અમદાવાદમાં સામે આવેલા કોરોના વાયરસની પહેલી દર્દીને SVP હોસ્પિટલમાં 10 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ફિનલેન્ડથી આવેલી યુવતીને 18મી માર્ચે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.
સૂરત માટે પણ રાહતના સમાચાર એ છે કે લંડનથી આવેલી સૂરતની યુવતિ કે જેનો ગુજરાતમાં પહેલો કોરોના પોઝીટીવ કેસ હતો એનો પણ પહેલો નેગેટીવ ટેસ્ટ આવી ચૂક્યો છે. હવે સૂરતની આ યુવતિનો 24 કલાકમાં દ્વિતીય ટેસ્ટ નેગેટિવ આવશે એટલે તેને પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો નિયમ છે કે કોઇપણ કોરોના પોઝીટીવ દર્દીના ચોવીસ કલાકમાં બે ટેસ્ટ નેગેટીવ આવે તો તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાનો રહેશે.
અમદાવાદની હોસ્પિટલે ફેસબુક વોલ પર આપી માહિતી, ક્લીક કરો લિંક
https://www.facebook.com/AhmedabadAMC/photos/a.254934717900092/2930996543627216/?type=3&theater
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now