CIA ALERT
16. April 2024
June 8, 20191min6520

સરથાણા આગ હોનારત : જવાબદારો સામે પગલાં ભરાય એ માટે લોહીથી લખાયો લેટર

Share On :
Print Friendly, PDF & Email

22 જેટલા માસૂમોના પરિવારને અને સ્થાનિક લોકોએ યોગ્ય ન્યાય મળે તે માટે લોહીથી એક પત્ર લખ્યો શુક્રવારે કલેક્ટરને આવેદનપત્ર તરીકે આપ્યો હતો અને મુખ્ય પ્રધાનને પણ મોકલવામાં આવ્યો હતો.

લોકોની માગ હતી કે ગુનોગારોને કડકમાં કડક સજા થાય જેથી શહેરમાં ફરી આવી દુર્ઘટના ન બને અને સરકારી કર્મચારીને પોતાની ફરજનું પાલન કરે જેથી આવી ઘટનાઓ બનતી અટકે. મોટી સંખ્યામાં લોકો કલેકટર કચેરીએ હાજર રહ્યા હતા. મુખ્ય પ્રધાને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ પાસે તપાસ કરાવી ત્રણ દિવસમાં રિપોર્ટ આપવાના આદેશને લઈ સમગ્ર મામલે તપાસ કરી શહેરી વિભાગના અગ્ર સચિવે રિપોર્ટ સોંપી દીધો હતો. જવાબદાર કર્મચારીઓ મોટી વગ વાપરી છટકી જવાનો લોકોમાં ગણગણાટ શરૂ થતાં લોકોએ શુક્રવારે મોટી સંખ્યામાં એકઠાં થઈ પોતાના લોહીથી સહી કરી કલેકટરને આવેદનપત્ર આપવા કલેકટર કચેરીએ ગયા હતા.

જેમાં લોહીથી લખાયેલા પત્રમાં નાના કર્મચારીઓ સામે કામગીરી કરી મોટા માથાઓને બચાવવા બદલ તંત્રની ઝાટકણી કાઢી છે. આ પત્ર કલેક્ટર સહિત, મુખ્ય પ્રધાન, મુખ્યસચિવ અને પોલીસ કમિશનરને પણ આપવામાં આવ્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :