70,000 કરોડની લોન માફી બાદ ખેડૂતોની આત્મહત્યા વધી હતી
યુપીએ સરકાર વખતે 2008માં રૂ. 70 હજાર કરોડની લોનમાફી બાદ પણ ખેડૂતોની આત્મહત્યામાં વધારો થયો હતો, એમ કૃષિ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન પુરુષોતમ રૂપાલાએ જણાવ્યું હતું. લોન માફીની મોટી સ્કીમની જાહેરાત બાદ હાથ ધરાયેલ ઓડિટમાં જાણવા મળ્યું હતું કે જે લોકો ખેડૂત નહોતા તેમને લોન માફી અપાઈ હતી.
તેમણે પ્રશ્ર્નકાળના સમયગાળામાં ગૃહમાં માહિતી આપી હતી. ખેડૂતોની આત્મહત્યાને નાથવા રાષ્ટ્રીય નીતિ લાવવા સુપ્રીમ કોર્ટે સરકારને સૂચન કર્યું છે? એવા પ્રશ્ર્નના જવાબમાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તેના 6 જુલાઈ – 2017ના ઓર્ડરમાં જણાવ્યું હતું કે આવા કિસ્સાને રાતોરાત ઉકેલી શકાય નહીં, યોગ્ય સ્કીમ તૈયાર કરવા સમય માગી લેે છે એવા એટર્ની જનરલના નિવેદનને કોર્ટે ન્યાયી ઠેરવ્યું હતું.
આ હેતુસર શું પગલાં અપનાવવા તે કેન્દ્ર સરકાર નક્કી કરવાનું છે. કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે આમ તો કૃષિ એ રાજ્યનો વિષય છે. રાજ્ય સરકાર કૃષિને લગતા વિભિન્ન કાર્યક્રમ – સ્કીમ જાહેર કરતી રહે છે. કેન્દ્ર સરકાર રાજ્યોને તમામ સહાય પૂરી પાડે છે. કેન્દ્ર સરકાર અગાઉ ઉત્પાદનને કેન્દ્રમાં રાખીને નીતિ તૈયાર કરતી હતી, હવે આવકને કેન્દ્રિત કરીને નીતિ તૈયાર કરે છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now