CIA ALERT
19. March 2024
October 12, 20191min14670

Related Articles



હકડેઠઠ માનવ મહેરામણ ઉમટ્યો હોય એવી પહેલી રાષ્ટ્રહિતની રેલીનું સાક્ષી બન્યું સૂરત

Share On :
Print Friendly, PDF & Email

સમર્થન ગ્રુપની એકતા પદયાત્રાને સૂરતીઓનો પ્રચંડ પ્રતિસાદ

સૂરત આજરોજ તા.12મી ઓક્ટોબર 2019ના રોજ એવી બિનરાજકીય અને રાષ્ટ્રહિતના સમર્થનમાં નીકળેલી વિરાટ રેલીનું સાક્ષી બન્યુ છે જેમાં હકડેઠઠ માનવ મહેરામણ ઉમટ્યો હતો. સૂરતના જાણિતા આઇ સ્પેશ્યાલિસ્ટ તબીબ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણની બિનસરકારી સંસ્થા સમર્થન ગ્રુપે રાષ્ટ્ર હિતમાં કાશ્મીરમાં કેન્દ્ર સરકારે કરેલી કાર્યવાહીને સમર્થન આપવા માટે આજે સવારે 7 વાગ્યે શહેરના કારગીલ ચોક પરથી શરૂ થનારી એક્તા પદયાત્રામાં ઉમટી પડવા માટે કરેલી હાકલને લહેરીલાલા સૂરતીઓએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો.

સવારે સાડા છ વાગ્યાથી પીપલોદના કારગીલ ચોક પર લોકો ઉમટવાના શરૂ થઇ ગયા હતા. સમર્થન ગ્રુપ આયોજિત એકતા પદયાત્રામાં એકલ દોકલ નહીં પણ લોકો 25-50-100ના ગ્રુપમાં જોડાઇ રહ્યા હતા. જોત જોતામાં સવારે સાતના ટકોરે કારગીલ ચોક પર પંદર હજારથી વધુ લોકો વ્હાઇટ કપડામાં સજ્જ થઇ ગયા હતા.

રેલીના આયોજકો પૈકીના સમર્થન ગ્રુપના ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, SGCCI પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઇ દેસાઇ, જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન અને ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા, ડો. મુકુલ ચોક્સી, ભાજપાના સૂરત મહામંત્રી શ્રી મદનસિંહ અટોદરીયા, શિક્ષણ સમિતિ, સૂરતના ચેરમેન શ્રી હસમુખભાઇ પટેલ, સભ્ય શ્રી પરિમલભાઇ ચાસીયા, વકીલ શ્રી નિલકંઠ બારોટ, ડો.કિશોરસિંહ ચાવડા, ડો.કશ્યપ ખરચીયા, શ્રી ઇકબાલ કડીવાલા સમેત અનેક આગેવાનોએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

સવારે 7 વાગ્યે શહેરના પોશ વિસ્તારમાં માનવ કિડીયારું ઉમટેલું જોઇને આસપાસના રહેવાસીઓ સમેત વાહનચાલકો, રાહદારીઓમાં કૌતુક સર્જાયું હતું. સુરત ડુમસ રોડ પર દરરોજ વોકીંગ, જોગીંગ કરતા સેંકડો લોકો આજે સમર્થન ગ્રુપ આયોજિત એકતા પદયાત્રામાં જોડાઇ ગયા હતા. શહેરની લગભગ 500થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ, સમાજ સેવી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ. વગેરેના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાતા આજની બિનરાજકીય રેલીએ અત્યંત વિશાળ બની જવા પામી હતી.

રેલીમાં સૂરત શહેરના મેયર ડો. જગદીશ પટેલ ઉપરાંત ભાજપાના નેતા શ્રી ભરતસિંહ પરમાર, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ, સૂરત મજૂરાના ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી સમેત અનેક આગેવાનો જોડાયા હતા.

સૂરત શહેર ઉપરાંત સૂરતની બહાર, સૂરત જિલ્લા, વ્યારા, બારડોલી, નવસારી, ભરૂચ વગેરે વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં સમર્થન ગ્રુપ આયોજિત એક્તા પદયાત્રામાં જોડાયા હતા.

આજની આ રેલી જોઇને શહેરના જાણકારોનું કહેવું છેકે શહેરમાં રાજકીય રેલીઓ કે ધાર્મિક રેલીઓમાં લોકોને ઉમટી પડતા જોયા છે, સામાજિક હિત માટેની રેલીમાં લોકો કિડીયારાની જેમ ઉમટી પડતા જોયા છે પણ આજે રાષ્ટ્રહિતના મુદ્દા પર સમર્થન આપવા માટે સૂરતીઓએ એકતા પદયાત્રાને પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો. ગણ્યા ગણાય નહીં એટલા લોકો પદયાત્રામાં જોડાય રહ્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :