હીરા ઉદ્યોગને GSTમાં રાહત બદલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સુરતમાં જાહેર અભિવાદન
GJEPC, ડાયમંડ એસોસીએશન અને સુરત જ્વેલરી મેન્યુ. એસો.ના ઉપક્રમે ઋુણ સ્વીકાર કાર્યક્રમ
છેલ્લા ઘણાં સમયથી જુદા જુદા પ્રશ્નો પરત્વે ઉપેક્ષિત થતાં આવેલા હીરા ઉદ્યોગને તાજેતરમાં હીરા જોબવર્કને લગતા જી.એસ.ટી.ના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને હીરા ઉદ્યોગે આવકારી લીધી હતી. હીરા ઉદ્યોગને હીરાના જોબવર્ક પર લાગતા જીએસટીના દર ઘટાડવા માટે હીરા ઉદ્યોગની તરફે કેન્દ્રમાં મક્ક્મ રજૂઆતો કરીને પરીણામદાયી નિવેડો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલનું જાહેર અભિવાદન કરવાનો કાર્યક્રમ સુરતના હીરા ઉદ્યોગકારોના જુદા જુદા સંગઠનો દ્વારા યોજવામાં આવ્યો છે.
વધુ માહિતી આપતા જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયા, સુરત ડાયમંડ એસોસીએશના પ્રમુખ શ્રી બાબુભાઇ કથિરીયા તેમજ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના જંયતિભાઇ એ જણાવ્યું હતું કે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીન પટેલે હીરા જોબવર્ક પર અમલી જીએસટીના દરોમાં ઘટાડા અંગે હીરા ઉદ્યોગની પડખે રહીને કેન્દ્રમાં પરીણામદાયી રજૂઆતો કરી હતી. સુરતનો હીરા ઉદ્યોગ તેમનો ઋુણ સ્વીકાર કરવા માટે આગામી તા.14મી ઓક્ટોબરના રોજ બપોરે અઢી વાગ્યે એક કાર્યક્રમ યોજી રહ્યું છે.
સુરત સ્થિત જીજેઇપીસી, સુરત ડાયમંડ એસોસીએસન તેમજ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના નેજા હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં ખંભાતના હીરા ઉદ્યોગકારો પણ જોડાશે. તમામ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલને બહુમાનિત કરશે. પરવટ પાટીયા સ્થિત અમેઝિયા ખાતે યોજાનારા કાર્યક્રમ આમંત્રિતો માટે મર્યાદિત છે.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ ઉપરાંત મેયર ડો.જગદીશ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી કિશોર કાનાણી, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ તેમજ સાંસદ શ્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now