વડોદરામાં ખાળકૂવાની સફાઈ કરવા ઉતરેલા સાત મજૂરોનું ગૂંગળામણથી મોત
વડોદરા નજીક ડભાઈ તાલુકાના ફરતીકુઈ પાસે આવેલી હોટલ દર્શનના ખાળકૂવાની સફાઇ કરવા ઉતરેલા સાત મજૂરોના એક પછી એક કૂવામાં જ ગૂંગળાઇ જતા મોત નિપજ્યાની કમકમાટી ભરેલી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં એરેરાટી ફેલાવી દીધી છે.
ખાળકૂવો સાફ કરવા માટે પહેલા પિતા-પુત્ર ઉતર્યા હતા અને તેમને જોવા માટે અન્ય મજૂરો એક પછી એક ઉતર્યા હતા. ખાળકૂવામાં અત્યંત ઝેરી ગેસ ધરબાયેલો હતો જેનાથી અજાણ મજૂરો અંદર ઉતરતા જ ગૂંગળામણનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનામાં થુવાવી ગામમાં રહેતા પિતા-પુત્ર અશોકભાઇ હરીજન અને હિતેષ હરીજન સહિત ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા.
મૃતકોના નામ
1. અશોક બેચરભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી)
2. હિતેષ અશોકભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી)
3. મહેશ મણીલાલ હરીજન (રહે. વસાવા ફળિયું, થુવાવી)
4. મહેશ રમણલાલ પાટણવાડીયા (રહે. દત્તનગર, થુવાવી)
5. અજય વસાવા (મૂળ રહે. કાદવાલી, ભરૂચ, હાલ હોટલ)
6. શહદેવ રમણભાઇ વસાવા (રહે. વેલાવી, તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ)
7. વિજય અરવિંદભાઇ ચૌધરી (રહે. વેલાવી તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ)
ઝેરી ગેસના કારણે મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. વડોદરા અને ડભોઇ ફાયર બ્રિગેડે છ કલાકની ભારે જહેમત બાદ દોરડાથી ખેંચીને મૃતદેહ બહાર કાઢ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઝેરી ગેસની અસર થતા એક મજૂર ખાળકૂવામાં ઢળી પડ્યો હતો અને તેને બચાવવા માટે અન્ય છ મજૂર ખાળકૂવામાં ઉતર્યા હતા. પરંતુ તેઓ પણ એક બાદ એક મોતને ભેટ્યા હતા.
ફરતીકુઈ પાસેની દર્શન હોટલના માલિક હસન અબ્બાસ છે. રાતે હોટલનો ખાળકૂવો સાફ કરવા માટે થુવાવી ગામના વસાવા ફળિયામાં રહેતા પિતા-પુત્ર સહિત ચાર અને હોટલના ત્રણ કર્મચારીઓ ઉતર્યા હતા. ખાળકૂવામાં ઉતરતા સાથે જ તમામને ઝેરી ગેસની અસર થતાં તેઓ ખાળકૂવામાં ડૂબી ગયા હતા અને મોતને ભેટ્યા હતા. ડૂબેલા મજૂરોને બચાવવાને બદલે ગભરાયેલા હોટલ માલિક હસન અબ્બાસે હોટલ બંધ કરીને દીધી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now