CIA ALERT
18. April 2024
June 11, 20191min7530

Related Articles



ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Share On :
Print Friendly, PDF & Email

અરબી સમુદ્રમાં વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે અને સમુદ્રી વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન ખાતાની આગાહીને પગલે ગુજરાતમાં ‘એલર્ટ’ જાહેર કરવામાં આવી છે. મંગળવાર સવારથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં એનડીઆરએફના 15 ટીમ તૈનાત કરી દેવામાં આવશે. સૈન્ય, નૌકાદળ અને કોસ્ટગાર્ડને એલર્ટ કરવામાં આવશે. અરબી સમુદ્રમાં વેરાવળથી 930 કિમી દૂર દરિયામાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તીત થશે. જેને લઇને સૌરાષ્ટ્રના દરેક બંદરો પર ફિશરીઝ વિભાગ દ્વારા એક નંબરનું સિગ્નલ આપી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી હતી. 12થી 14 જૂન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રના બંદરો પર હોડીઓ લાંગરી દેવાની કાર્યવાહી માછીમારો દ્વારા હાથ ધરવામાં આવી હતી. હવામાન ખાતાની આગાહી અનુસાર તા. 11-6-2019 થી તા. 14-6-2019 દરમ્યાન અરબી સમુદ્રમાં લો પ્રેસર ઉદભવવાની શક્યતા છે. જે 70થી 80 કિ.મી. ઝડપે પવન ફુકાવાની શક્યતા છે.

દરિયામાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તીત થઈ શકે છે જેના કારણે જાફરાબાદ, ઊના, વેરાવળ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના બંદરો પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને સાવચેત રહેવાની તાકીદ પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિતના જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે.

વાવાઝોડાની શક્યતાના પગલે ગીર-સોમનાથ જિલ્લાનાં તમામ તાલુકાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તકેદારીનાં ભાગરૂપે રાઉન્ડ ધી ક્લોક તાલુકા કંટ્રોલ રૂમ કાર્યરત કરી નાયબ મામલતદારને હાજર રાખી જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવા આવશે. માછીમારો જો દરિયામાં હોય તો બોલાવી લેવા અને દરિયો ન ખેડવા હવામાન ખાતાએ સૂચના આપી છે. અત્યારે 930 કિલોમીટર દૂર પ્રેસર સર્જાવાની વાત સામે આવી છે.

અરબી સમુદ્રમાં લો પ્રેસરના કારણે તંત્ર હરકતમાં આવ્યું છે. ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક પણ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત બંદરોને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. મોટાભાગની બોટો પણ જાફરાબાદ બંદરે પહોંચી ગઇ છે. પોરબંદર અને દ્વારકા સહિતના દરિયા કાંઠાના કલેક્ટરો અને મહેસૂલ વિભાગ દ્વારા વિશેષ સૂચના આપવામાં આવી રહી છે. સંભવિત તકેદારીના પગલાં લેવા અને એનઆરડીએફની ટીમો જરૂર પડે તૈનાત કરવાની પણ સૂચના અપાઇ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :