CIA ALERT
29. March 2024
March 12, 20201min4100

Related Articles



વિદેશથી ભારત આવતા મુસાફરોના વીઝા 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ

Share On :
Print Friendly, PDF & Email

કોરોના વાયરસ દુનિયાભરમાં 110થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં 4100થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યે કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ભારતમાં કોરોના વાઇરસનો વ્યાપ વિસ્તાર વધે તેવી ગણતરીઓને પગલે ભારત સરકારે કોરોનાને અટકાવવા માટે શ્રેણીબદ્ધ પગલાં ભર્યા છે જેમાં એક મહત્વનું પગલું એ પણ છે કે ભારત આવતા તમામ વિદેશી નાગરીકોના વિઝા તા.15મી એપ્રિલ 2020 સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે કહ્યું કે ચીન, ઈટાલી, ઈરાન, દક્ષિણ કોરિયા, ફ્રાંસ, સ્પેન અને જર્મનીથી સીધા અથવા આ દેશોની 15 ફેબ્રુઆરી પછી મુસાફરી કરી ભારત આવનારા મુસાફરોએ ઓછામાં ઓછા 14 દિવસ સુધી અલગ રાખવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે ઓસીઆઈ કાર્ડ હોલ્ડરોને આપવામાં આવેલા વિઝા ફ્રી ટ્રાવેલની સુવિધા 15 એપ્રિલ સુધી બંધ કરવામાં આવી છે. આ નિયમ 13 માર્ચ 2020થી લાગુ થશે.

વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારે 15 એપ્રિલ સુધી ડિપ્લોમેટ્સ, યૂએન અને આંતરાષ્ટ્રિય સંગઠન સાથે જોડાયેલા લોકો, રોજગારી માટે જાહેર કરેલા વિઝા સિવાયના તમામ વિઝાને 15 એપ્રિલ 2020 સુધી સસ્પેન્ડ કરી દીધા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :