ચૈત્રી નોરતાં : ઇતિહાસમાં પહેલી વાર ભક્તો વગર માતાનું ઘટસ્થાપન
આજથી ચૈત્રી નોરતાંનો આરંભ થયો છે. ગુજરાતી સંસ્કૃતિમાં જેટલું આસો નારતાં જેટલો જ મહિમા ચૈત્રી નોરતાંનો હોય છે. આજે તા.25મી માર્ચ 2020થી ગુજરાતી કેલેન્ડરમાં ચૈત્રી નોરતાંનો આરંભ થયો છે. ગુજરાતમાં માતાજીના બે મોટા મંદિરો, અંબાજી અને પાવગઢમાં મહાકાળી માતાના મંદિરમાં ભક્તજનો વગર જ માતાજીના ઘટનું સ્થાપન કરીને તેમની પૂજાઅર્ચના તથા અનુષ્ઠાનનો આરંભ કરાયો છે. ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે આજે ભક્તજનોની ગેરહાજરીમાં માતાના મંદિરોમાં ચૈત્રી નોરતાંનો આરંભ ફક્ત પૂજારીઓએ કરાવ્યો છે. લોકડાઉનની અસર ગુજરાતના મોટા મંદિર અને શક્તિપીઠો પર પણ પડી રહી છે. આ ઉપરાંત આજથી ચૈત્રી નવરાત્રિ પણ શરૂ થઈ છે.
સૂરત અંબિકા નિકેતન મંદિર ખાતે આજે પહેલા નોરતેં સવારના માતાજીના દર્શન
સૂરતમાં અંબિકા નિકેતન મંદિરમાં માતાજીની સેવા પૂજા અવિરત જારી
સૂરતના પારલે પોઇન્ટ સ્થિત વિશ્વ વિખ્યાત અંબિકાનિકેતન મંદિર ખાતે આજથી શરૂ થયેલા ચૈત્રી નોરતાં ના પહેલા દિવસે માતાના ઘટનું સ્થાપન તેમજ અન્ય પરંપરાગત પૂજા અર્ચના અવિરતપણે કરવામાં આવી છે. સૂરતના અંબિકાનિકેતન મંદિરમાં આજે વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર માતાજીના ઘટનું સ્થાપન કરવામાં આવ્યું હતું.
ભક્તજનોની ગેરહાજરીમાં મંદિરના પૂજારીએ માતાજીની આરાધના કરી હતી. સૂરત શહેર સહિત સમગ્ર વિશ્વ કોરોનાથી મુક્ત થાય એ માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી છે.
સૂરતના ઉદ્યોગપતિ અને પ્રતિષ્ઠિત નાગરીક શ્રી મહેન્દ્રભાઇ કતારગામવાળા વર્ષમાં બન્ને નવરાત્રીના પહેલા દિવસે ઝઘડીયા નજીક ગિરનારીબાપૂના આશ્રમ ખાતે યોજાતી પૂજા, ઘટસ્થાપન, આરાધના આરંભમાં અવશ્ય હાજરી આપતા હોય છે. આજે તા.25મી માર્ચ 2020ના રોજ 35 વર્ષે પહેલી વખત એવું બન્યું કે તેઓ ગિરનારીબાપૂના આશ્રમ ખાતે પહેલા નોરતાં ની પૂજા વિધીમાં પહોંચી શક્યા નહીં.
અંબાજી મંદિરમાં લાઇવ દર્શનની વ્યવસ્થા
કોરોના વાયરસના હાહાકાર વચ્ચે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે. મંદિરે પ્રત્યક્ષ આવી ન શક્તા ભક્તજન પરિવારોને આજથી શરૂ થતા ચૈત્રી નવરાત્રી ના પર્વને લઇ દેશ-વિદેશના કરોડો માઇભકતો માટે ટ્રસ્ટ દ્વારા ઈતિહાસમાં પહેલીવાર ઘટસ્થાપન અને માતાજીની આરતી લાઇવ નિહાળી શકે એવી વ્યવસ્થા મંદિર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે.
ચૈત્રી નવરાત્રીનો આજથી આરંભ થઇ રહ્યો છે. આજે અંબાજી મંદિર ના ગર્ભગૃહ મા ભક્તો જે રેલિંગ પાસે ઉભા રહે છે ત્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન કરવામાં આવશે. આ દરમિયાન ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે.
પાવાગઢના ઈતિહાસમાં આ પહેલીવાર થયું છે જ્યારે ચૈત્રી નવરાત્રિમાં મહાકાળી માતાજીનું મંદિર બંધ રાખવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ વિશ્વવિખ્યાત અંબાજી મંદિરના ઈતિહાસમાં પણ ઘટસ્થાપન અને માતાજીની આરતી લાઈવ નિહાળી શકાશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now