મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક અને નેશનલ લેવલની વેટરનરી કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે જેનો સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે એ નીટ યુજી NEET UG પરીક્ષાનું પરીણામ આજે તા.7મી સપ્ટેમ્બર 2022ના રોજ જાહેર કરવામાં આવશે. આજે બપોરે 12 કલાકે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા નીટ યુજીની વેબસાઇટ https://neet.nta.nic.in/ પર પરીણામ જાહેર કરવામાં આવશે. એવી જાહેરાત કરાયા બાદ દર વખતની જેમ એન.ટી.એ. દ્વારા પરીણામ જાહેર કરવામાં વિલંબ કરવામાં આવતાં લાખો વિદ્યાર્થીો અને વાલીઓ મૂઝાયા છે.
જે રીતે આન્સર કી જાહેર કરવામાં દસથી બાર કલાકનો વિલંબ કરાયો હતો એવું જ નીટના રીઝલ્ટ જાહેર કરવામાં થઇ રહ્યું છે.
કુલ 18.79 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટ યુજી 2022ની પરીક્ષા ગઇ તા.17મી જુલાઇ 2022ના રોજ આપી હતી. એ પછી દોઢ મહિને નીટનું પરીણામ જાહેર થઇ રહ્યું છે. તેમાં પણ આ પ્રકારે વિલંભ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂઝવણ અનુભવી રહ્યા છે. ધો.12 બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીણામની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.
આન્સર કી વખતે જ પરીણામ 7મી સપ્ટેમ્બરે જાહેર થશે તેવી ઘોષણા કરવામાં આવી હતી
ગુજરાતની મેડીકલ-પેરામેડીકલ કોર્સમાં ગયા વર્ષનું કટઓફ મેરીટ જોવા માટે નીચેની લિંક પર ક્લીક કરો
ઓલમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ શુક્રવારે ફરી એક વખત ઈતિહાસ સર્જ્યો છે. નીરજ ચોપરા ડાયમંડ લીગ મીટના લુસાને ફેઝનું ટાઈટલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા છે. આ સાથે જ નીરજ આગામી 7 અને 8 સપ્ટેમ્બરના રોજ જ્યૂરિખ ખાતે રમાનારી ડાયમંડ લીગની ફાઈનલમાં પણ પહોંચી ગયા છે.
નીરજ ચોપરા આ સિદ્ધિ હાંસલ કરનારા પ્રથમ ભારતીય છે અને આ સાથે જ તેમણે હંગરીના બુડાપેસ્ટમાં 2023માં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે.
ચોપરા (24)એ આ સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રથમ પ્રયત્નમાં 89.08 મીટર અને રિપીટ 89.08 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. આ નીરજ ચોપરાના કરિયરનો ત્રીજો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન છે. ઉલ્લેખનીય છે કે, ઈજાના કારણે તેઓ બર્મિંગહામ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નહોતા લઈ શક્યા.
નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ ગઇ તા.24 જુલાઇથી 30 જુલાઇ દરમિયાન લેવાયેલી જેઇઇ મેઇન્સ પેપર-1 ફેઝ-2 પરીક્ષાનું પરીણામ આજે રવિવાર, તા.8મી ઓગસ્ટે જાહેર કરી દીધું છે. જેઇઇ મેઇન્સ પરીક્ષામાં ટોચના 2.40 લાખ વિદ્યાર્થીઓ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા માટે લાયકાત પાત્ર બન્યા છે. જોકે, જેઇઇ મેઇન્સની બન્ને ફેઝની પરીક્ષાનો સ્કોર ભલે જાહેર થઇ ગયો હોય પરંતુ, જે વિદ્યાર્થીઓએ નેશનલ ઇન્સ્ટીટ્યુટ્સ કે ત્રિપલ આઇટીમાં પ્રવેશ મેળવવો છે તેમણે હજુ એક મહિનો તો પ્રતિક્ષા કરવી જ પડશે. તા.11મી સપ્ટેમ્બરે સંભવતઃ જેઇઇ એડવાન્સ્ડનું પરીણામ જાહેર થશે. એ પછી પાંચ દિવસ જોસા સંસ્થા દ્વારા પ્રવેશ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાશે. એ પછી મેરીટ લિસ્ટ અને ત્યારબાદ પ્રવેશ ફાળવવામાં આવશે. એટલે હજુ એક મહિનાથી વધુ સમય નીકળી જશે.
જેઇઇ મેઇન્સની બન્ને ટ્રાયલના પરીણામની સાથે જ નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા રેન્ક પણ આપી દીધા છે. આ વખતના કટઓફની વાત કરીએ તો ઓપન કેટેગરીને બાદ કરતા બાકીની તમામ કેટેગરીમાં છેલ્લા 4 વર્ષના કટઓફ કરતા આ વખતના કટઓફ સાવ નીચે આવ્યા છે. જાણકારો કહે છે કે આ વખતના વિદ્યાર્થીઓ ધો.11-12માં કોરોના પેન્ડેમિકને કારણે પ્રત્યક્ષ શિક્ષણ અસરકારક રીતે લઇ શક્યા ન હતા, તેની સીધી અસર પરીણામ પર જોવા મળી છે.
JEE Mainsના સ્કોરથી નીચે દર્શાવેલી સંસ્થાઓમાં પ્રવેશ મળી શકે, આઇઆઇટી માટે જેઇઇ એડવાન્સ્ડનું મેરીટ જરૂરી
આગામી તા.28મી ઓગસ્ટે લેવાનારી જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન પણ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અંતે સ્કૂલો શરૃ થયાના દોઢ મહિને ૨૦૨૨-૨૩નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવાયુ છે. જે મુજબ ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા ૧૪મી માર્ચથી શરૃ થશે.જ્યારે ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાઓ ૧૦ એપ્રિલથી શરૃ થશે.પ્રથમ સત્ર ૧૯ ઓક્ટોબર સુધીનું રહેશે અને ૧૦ નવે.થી બીજુ સત્ર શરૃ થશે. જ્યારે ૧લી મેથી ઉનાળુ વેકેશન શરૃ થશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા એક સપ્તાહ મોડી છે. ૧૪મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓ શરૃ થશે. બોર્ડની સૂચના મુજબ ૨૦૨૨-૨૩ માટે ધો.૯થી૧૨ના અબ્યાસક્રમમાં કોઈ ઘટાડો નહીં થાય. ૯થી૧૨ની પ્રથમ પરીક્ષા માટે જુનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે અને ધો.૧૦ તથા ૧૨ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.ધો.૯ અને ૧૧ની દ્રિતિય પરીક્ષા માટે જુનથી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં જુનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી ૩૦ ટકા અભ્યાસક્રમ અને ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી ૭૦ ટકા અભ્યાસક્રમ રહેશે.
ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા તેમજ ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.આ તમામ પરીક્ષાઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમાં આવેલ પરીક્ષા પદ્ધતિ જ યથાવત રહેશે. કોઈ ફેરફાર થઈ શકશે નહીં. બોર્ડના એકેડેમિક કેલેન્ડ મુજબ પ્રથમ સત્રમાં જુનના ૧૬ ,જુલાઈના ૨૬, ઓગસ્ટના ૨૧, સપ્ટે.ના ૨૬ , ઓક્ટો.ના ૧૫ દિવસ સહિત કુલ ૧૦૪ દિવસ શિક્ષણકાર્યના રહેશે અને બીજા સત્રમાં નવે.માં ૧૮,ડિસે.માં ૨૭, જાન્યુ.આમાં ૨૪, ફેબુ્ર.માં ૨૩, માર્ચમાં ૨૩ અને એપ્રિલમાં ૨૧ દિવસ સહિત કુલ ૧૩૭ દિવસ શિક્ષણ કાર્યના રહેશે. બંને સત્રના મળી કુલ ૨૪૧ દિવસ શિક્ષણના રહેશે.૭ સ્થાનિક રજાઓ રહેશે. પ્રથમ સત્ર ૧૩ જુનથી ૧૯ ઓક્ટો સુધી અને દિવાળી વેકેશન ૨૦ ઓક્ટો.થી ૯ નવે. સુધીનું રહેશે. દ્રિતિય સત્ર ૧૦ નવે.થી ૩૦ એપ્રિલ સુધીનું રહેશે. ઉનાળુ વેકેશન ૧લી મેથી ૪ જુન સુધીનું રહેશે.
સેન્ટ્રલ બોર્ડ દ્વારા આજે ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસના વિદ્યાર્થીઓનું પરીણામ ઘોષિત કરવામાં આવ્યું હતું. સુરતની 40થી વધુ સ્કુલોનું પરીણામ સરેરાશ 95 ટકાથી 100 ટકા વચ્ચે રહ્યું છે. ધો.12નું પરીણામ જાહેર થયું હોવા છતાં વિદ્યાર્થીઓમાં કોઇ ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો, કેમકે ધો.12ના પરીણામથી ઇચ્છીત કોલેજ કે કોર્સમાં પ્રવેશ મળવાનો નથી, સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓની નજર નીટ, જેઇઇ કે આઇપી મેટ જેવી પ્રવેશ પરીક્ષાઓના પરીણામ પર ટકી હોવાનું જાણવા મળ્યું હતું.
ચાલુ વર્ષે ફેઝ-1 અને ફેઝ-2 એમ બે તબક્કામાં ધો.10 અને ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા લેનાર સેન્ટ્રલ બોર્ડ (સીબીએસઇ)એ આજે ધો.12નું પરીણામ જાહેર કર્યું હતું. સમગ્ર દેશમાંથી કુલ 14 લાખ 35 હજાર 366 વિદ્યાર્થીઓએ સેન્ટ્રલ બોર્ડમાંથી સાયન્સ, આર્ટસ, કોમર્સ પ્રવાહની પરીક્ષા આપી હતી, આજે જાહેર કરાયેલા પરીણામમાં કુલ 13 લાખ 30 હજાર 662 વિદ્યાર્થીઓને પાસ જાહેર કરાયા છે. સમગ્ર દેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે સેન્ટ્રલ બોર્ડે ધો.12ના વિદ્યાર્થીઓને ખોબલે ખોબલે માર્કસ આપ્યા અને એટલે જ ધો.12નું ઓવરઓલ પરીણામ 92.71 ટકા જેટલું વિશાળ આવ્યું છે. સુરત-ગુજરાત જેમાં આવે છે એ સેન્ટ્રલ બોર્ડના અજમેર રિજિયનનું પરીણામ તો નેશનલ એવરેજ કરતા પણ વધુ 96 ટકા આવ્યું છે.
દેશભરમાં આવેલી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અને વેટરનરી સાયન્સની કોલેજોમાં પ્રવેશ માટે જરૂરી નીટ (નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ એક્ઝામ ) યુજી-અન્ડર ગ્રેજ્યુએટ પરીક્ષાનું રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓ માટે આજે નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ એડમિટ કાર્ડ ઓનલાઇન ઉપલબ્ધ કરાવ્યા છે. વિદ્યાર્થીઓએ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પરથી પોતાના એડમિટ કાર્ડ લઇને તેની દરેક ડિટેલ ચેક કરી લેવી હિતાવહ છે.
નીટ યુજી પરીક્ષા આગામી તા.17મી જુલાઇએ દેશભરમાં 497 શહેરોમાં પેન એન્ડ પેપર બેઝ (ઓફલાઇન) યોજાઇ રહી છે.
ગુજરાતમાંથી અંદાજે ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહેલા ગુજરાત સહિતના તમામ બોર્ડના મળીને 70 હજાર જેટલા વિદ્યાર્થીઓ નીટ યુજી પરીક્ષા આપશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રમત-ગમત ક્ષેત્રે એક મહત્વની જાહેરાત કરી છે. આગામી 27મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થવાનું છે.
છેલ્લે વર્ષ 2015માં કેરળ ખાતે નેશનલ ગમ્સ યોજાઈ હતી. ત્યાર બાદ 2016ના વર્ષમાં ગોવા ખાતે રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન થવાનું હતું પરંતુ રાજ્ય સરકારની અસમર્થતાના કારણે તેને 2 વખત ટાળવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2020માં તેનું આયોજન થવાનું હતું પરંતુ કોરોના મહામારીએ તેમાં વિઘ્ન નાખ્યું હતું.
ગુજરાત હવે સ્પોર્ટ્સ હબ બનવા જઈ રહ્યું છે તથા રાજ્યમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર થઈ રહ્યા છે.
ત્યારે મુખ્યમંત્રીએ ટ્વિટરના માધ્યમથી 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે તેની જાહેરાત કરી છે. ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે રાષ્ટ્રીય રમતોત્સવ યોજાવા જઈ રહ્યો છે તથા અમદાવાદ સહિતના 6 શહેરોમાં તેનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રીએ ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ ઈન્ડિયન ઓલમ્પિક અસોસિએશનનો આભાર માન્યો હતો.
આ રમતોત્સવમાં દેશભરના 25,000થી પણ વધારે રમતવીરો સહભાગી બનશે. ઓલમ્પિકની દાવેદારી પહેલા ગુજરાત સરકારે આ મોટું આયોજન હાથ ધર્યું છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સ 2022નું ઓપનિંગ થાય તેવી શક્યતા જણાઈ રહી છે.
છેલ્લા કેટલાક સમયથી વિવિધ કારણોસર સ્થગિત થઈ રહેલી નેશનલ ગેમ્સ માટેની તારીખો આખરે જાહેર થઈ ગઈ છે. ભારતીય ઓલમ્પિક સંઘના મહાસચિવ રાજીવ મેહતાએ પણ આ અંગે ટ્વિટ કરી હતી.
ગુજરાત ઓલમ્પિક સંઘ તથા રાજ્ય સરકારના સંયુક્ત પ્રયત્નોથી 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતીય વાયુ સેનામાં આજથી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા શરૂ થશે. આજથી એટલે કે 24 જૂન 2022થી ઉમેદવાર રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઓનલાઈન પરીક્ષા એક મહિના બાદ 24 જુલાઈએ યોજાશે. આ વર્ષે ડિસેમ્બર પહેલા બેચની ટ્રેનિંગ શરૂ થઈ જશે.
19 જૂને વાયુસેનાએ નવી યોજના વિશે તમામ ડિટેલ શેર કરી હતી. જે અંગર્ગત યોગ્યતાના માપદંડ, સેલરી પેકેજ, મેડિકલ અને CSD (કેન્ટીન સ્ટોર) સુવિધાઓ, વિકલાંગતા માટે વળતર, વિકલાંગતા મર્યાદાની ગણતરી, રજા અને તાલીમ સહિતની વિવિધ માહિતી આપવામાં આવી હતી.
– 18 વર્ષથી ઓછી ઉંમરના કર્મચારીઓ માટે નામાંકન પત્ર પર વર્તમાન જોગવાઈઓ અનુસાર માતા-પિતા કે વાલીઓના હસ્તાક્ષર કરાવવા પડશે. ગયા અઠવાડિયે સરકારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે વર્ષ 2022 માટે ઉચ્ચ વય મર્યાદા 21 થી વધારીને 23 વર્ષ કરી હતી.
– સાડા સત્તર વર્ષથી 21 વર્ષની વયજૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે સામેલ કરવામાં આવશે. જ્યારે તેમાંથી 25 ટકાને બાદમાં નિયમિત સેવામાં સામેલ કરવામાં આવશે. નવી યોજના હેઠળ ભરતી થનાર યુવાનોને ‘અગ્નિવીર’ કહેવામાં આવશે.
– વાયુસેનાએ કહ્યુ, ચાર વર્ષના સમયગાળા બાદ તમામ અગ્નિવીર સમાજમાં પાછા ફરશે. બહાર નીકળનારા અગ્નિવીરોને વાયુસેનાના નિયમિત કેડરમાં નામાંકન માટે અરજી કરવાની તક આપવામાં આવશે.
– પ્રત્યેક અગ્નિવીર દ્વારા પ્રાપ્ત કૌશલ માટે એક સર્ટિફિકેટ જારી કરવામાં આવશે, જે તેમના બાયોડેટાનો ભાગ બનશે. આ અરજી પર એક કેન્દ્રીયકૃત બોર્ડ પારદર્શક રીતે વિચાર કરશે અને વાયુસેનામાં મૂળ અગ્નિવીરોના વિશિષ્ટ બેચની સંખ્યાના મોટાભાગના 25 ટકા સૈનિકોને પ્રદર્શનના આધારે સામેલ કરવામાં આવશે.
– વાયુસેનાએ કહ્યુ કે રજાની અનુમતિ સંગઠનની આવશ્યકતાઓ અનુસાર આપવામાં આવશે. પ્રત્યેક અગ્નિવીરને 30 દિવસની વાર્ષિક રજા આપવામાં આવશે, જ્યારે બીમારીની રજા મેડીકલ રિપોર્ટ પર નિર્ભર કરશે.
– અગ્નિવીરોને ભારતીય વાયુસેનામાં એક અલગ રેન્ક આપવામાં આવશે, જે કોઈ પણ અન્ય વર્તમાન રેન્કથી અલગ થશે. અગ્નિવીરોને નવી યોજનાના તમામ નિયમો અને શરતોનો સ્વીકાર કરવો પડશે.
– આ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતીની નૌસેનાની યોજનાનુ વિવરણ આપતા વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ કહ્યુ કે નૌસેના મુખ્યાલય 25 જૂન સુધી ભરતી માટે વ્યાપક દિશાનિર્દેશ જારી કરશે. તેમણે કહ્યુ કે પહેલી બેચ 21 નવેમ્બર સુધી તાલીમ કાર્યક્રમ શરૂ કરશે.
– લેફ્ટિનેંટ જનરલ પુરીએ કહ્યુ હતુ કે સરકાર અગ્નિપથ યોજનાને લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે. તેમણે યુવાનોને પોતાનુ વિરોધ પ્રદર્શન પૂરુ કરવાની અપીલ કરી હતી.
– લેફ્ટિનેંટ જનરલ પોનપ્પાએ કહ્યુ કે 25,000 કર્મચારીઓની પહેલી બેચ ડિસેમ્બરના પહેલા અને બીજા સપ્તાહમાં તાલીમ કાર્યક્રમ સાથે જોડાશે તથા બીજી બેચ 23 ફેબ્રુઆરીની આસપાસ પોતાની તાલીમમાં સામેલ થશે.
ધો.12 કોમર્સનું 86.01% પરીણામ: ગુજરાતમાં પહેલી વખત બન્યું: 1,44,198 છોકરાઓ સામે 1,47,089 છોકરીઓ પાસ થઇ!!
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે તા.4 જૂને ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ 86.91 ટકા જેટલું ઉદાર આપ્યું છે. પરીણામને જોતા જ શિક્ષણશાસ્ત્રીઓએ એક સૂરમાં કહ્યું કે કોરોના સમયગાળામાં 11-12 કોમર્સ બે વર્ષના અભ્યાસ પૈકી દોઢ વર્ષ ઓનલાઇન અભ્યાસ કરીને 12 સામાન્ય પ્રવાહમાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ લાઇફમાં કંઇક બનવા માટે સ્પેશયલ કરવું પડશે.
આદિવાસી જિલ્લા ડાંગનું પરીણામ તમામ જિલ્લાઓમાં સૌથી વધુ
ગુજરાતના ઓવરઓલ પરીણામની વાત કરીએ તો કુલ 3.35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 2.91 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ગણાતા ડાંગના સુબિરનું પરીણામ 100 ટકા આવ્યું છે. જે સમગ્ર રાજ્યના 488 પરીક્ષા કેન્દ્રોમાં સૌથી વધુ છે. સમગ્ર ડાંગ જિલ્લામાં એકપણ વિદ્યાર્થી એ-વન ગ્રેડમાં સ્થાન પામ્યો નથી પણ હકીકત એ પણ છે કે આ કેન્દ્રમાંથી પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ પાસ થતા સમગ્ર રાજ્યમાં 100 ટકા પરીણામ ધરાવતું કેન્દ્ર સુબિર બન્યું છે અને સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરીણામ ધરાવતો જિલ્લો પણ ડાંગ બન્યો છે. ડાંગનું પરીણામ 95.41 ટકા આવ્યું છે. સૌથી વધુ એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ સુરત શહેર જિલ્લાના છે. આ જિલ્લામાંથી 643 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. સુરત પછી રાજકોટમાંથી 402 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં પરીણા મેળવ્યું છે.
છોકરાઓ કરતા છોકરીઓ વધુ પાસ થઇ
ધો.12 સામાન્ય પ્રવાહમાં 2022માં ઇતિહાસ રચાયો છે. બોર્ડમાં પહેલી વખત એવું નોંધાયું છે કે છોકરાઓની સંખ્યા કરતા છોકરીઓની સંખ્યા વધુ છે. સમગ્ર રાજ્યમાંથી કુલ 1,42,904 વિદ્યાર્થીઓ પાસ થયા છે જેની સામે 1,45,760 વિદ્યાર્થિનીઓ પાસ થઇ છે. સામાન્ય પ્રવાહના ત્રણેય વિભાગમાં ઓવરઓલ પરીણામ પર નજર કરીએ તો 1,44,198 છોકરાઓ સામે 1,47,089 છોકરીઓ પાસ થઇ છે.
સુરત શહેર જિલ્લાનું પરીણામ 87.52 ટકા
સુરત શહેર જિલ્લાનું ધો.12 કોમર્સનું પરીણામ 87.52 ટકા આવ્યું છે. સુરત શહેર જિલ્લામાંથી 38551 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 643 એ-વન ગ્રેડ, 4382 એ-ટુ ગ્રેડ, 7521 બી-વન ગ્રેડ, 8995 બી-ટુ ગ્રેડ, 8128 સી-વન ગ્રેડ, 3813 સી-ટુ ગ્રેડ અને 255 વિદ્યાર્થીઓ ડી ગ્રેડમાં પાસ થયા છે.
સુરતમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સે ઇતિહાસ રચ્યો, 209 A-1 Grade – CiA Live News Web…
ગુજરાતના ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં સુરતની આશાદીપ સ્કુલના પરીણામે ન ભૂતો ન ભવિષ્યતિ પરીણામ હાંસલ કર્યું છે. સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડની બોલબાલા ચાલી રહી છે. આવી સ્થિતિમાં સુરતની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના 205 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કરી લાવ્યા છે. આ પરીણામનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો ગુજરાતના કુલ 31 જિલ્લાઓમાં સુરત અને રાજકોટના બાદ કરતા બાકીના તમામ 31 જિલ્લાઓ અને બે કેન્દ્ર શાસિત પ્રદેશ આ બધાના એ-વન ગ્રેડ કરતા સુરતની એક જ શાળા આશાદીપ કોમર્સ ભવનના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. ગુજરાતમાંથી કુલ 2092 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કરી શક્યા છે તેમાંથી એકલા 10 ટકા જેટલો હિસ્સો આશાદીપ કોમર્સ ભવનના વિદ્યાર્થીઓનો છે. www.cialive.in
સુરત શહેર જિલ્લામાં એ-વન ગ્રેડના લાવનાર વિદ્યાર્થીઓ કઇ શાળાના છે તેનું લિસ્ટ www.cialive.in
શાળાનું નામ- CiA Live
વિસ્તાર- CiA Live
એ-વન ગ્રેડ CiA Live
આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ
વરાછા
209
મૌની અંકુર સ્કુલ
એકે રોડ
33
સંસ્કારભારતી વિદ્યાલય
અડાજણ
18
એલપીડી હાઇસ્કુલ
પૂણા
09
ભૂલકાભવન
અડાજણ
08
ઉમરીગર સ્કુલ
ઉમરા
08
ભૂલકા વિહાર સ્કુલ
પાલ
07
જીજી ઝડફીયા સ્કુલ
એ.કે. રોડ
07
આઇ એન ટેકરાવાલા
પાલનપુર પાટીયા
06
પ્રેસિડેન્સી સ્કુલ
અડાજણ
06
એસ્પાયર સ્કુલ
મોટા વરાછા
06
પ્રેરણા વિદ્યાલય
પૂણાગામ
05
નોબલ પબ્લિક સ્કુલ
પૂણા
05
સ્વામીનારાયણ ગુરુકુળ
સિંગણપોર
04
ઉત્તર ગુજરાત કેએસકેપી
ભટાર રોડ
03
દિપદર્શન વિદ્યાસંકુલ
ડીંડોલી
03
વનિતા વિશ્રામ ગર્લ્સ સ્કુલ
અઠવાલાઇન્સ
03
એચએમબી સરદાર સ્કુલ
પાલનપુર પાટીયા
02
લિયો સ્કુલ ઓફ કોમર્સ
ઉધના
02
સદભાવના સ્કુલ
પૂણા
02
જીવનભારતી
નાનપુરા
02
વિશ્વભારતી ગર્લ્સ સ્કુલ
કામરેજ
02
લીલાબા કન્યાશાળા
લાલદરવાજા
01
સરસ્વતિ વિદ્યાલય
અડાજણ
01
વિદ્યાનિકેતન હાઇસ્કુલ
અમરોલી
01
રિવરસાઇડ સ્કુલ
ડિંડોલી
01
જો આપની કોઇ સ્કુલના બાળકો ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં એ-વન ગ્રેડ લાવ્યા હોય તો તેની માર્કશીટ અમને 98253 44944 વ્હોટએપ પર મોકલી શકો જેથી અમે ઉપરોક્ત લિસ્ટને અપડેટ કરી શકીએ.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો.12 સાયન્સનું પરીણામ ચાલુ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં જાહેર થઇ શકે તેવી શક્યતાઓ ગુજરાત બોર્ડના ઉચ્ચ અધિકારીએ વ્યક્ત કરી છે. ગુજરાત બોર્ડની ધો.12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીઓની ચકાસણીનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે, હવે રિઝલ્ટ શીટ તૈયાર થશે અને એ પછી પરીણામની ડેટા એન્ટ્રીનું કામ હાથ ધરાશે.
ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયા બાદ જૂન ના બીજા સપ્તાહમાં ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર થઇ શકે છે. બોર્ડનું પરિણામ જાહેર કરવા માટે પરીક્ષાઓ પછી એપ્રિલ મહિનાની 11 તારીખથી ધોરણ-10ની અને 13 એપ્રિલથી ધોરણ-12 સાયન્સ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરુ કરવામાં આવી હતી.આ કામગીરીમાં 61 હજાર શિક્ષકો રોકાયા હતા. જેમાં સૌ પ્રથમ ધોરણ-12 સાયન્સની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. એ પછી અને ધોરણ-10ની અને હવે સામાન્ય પ્રવાહની લગભગ 10 ટકા જેટલી કામગીરી બાકી છે. આ કામગીરી પણ ચાલુ અઠવાડિયા દરમિયાન પૂર્ણ થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે.
ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયા પછી પણ નીટ-જેઇઇ બાકી હોવાથી અડધી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા તો બાકી જ રહેશે
ધો.12 સાયન્સ પછી ઇજનેરીની આઇઆઇટી, એનઆઇટી, ત્રીપલ આઇટી જેવી કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી જેઇઇ મેઇન્સ અને જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા છેક ઓગસ્ટ મહિના સુધી લેવાશે અને તે પછી જ પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. એવી જ રીતે ધો.12 બાયોલોજી ધરાવતા વિદ્યાર્થીઓ માટે નીટ પરીક્ષા છેક 17 જુલાઇએ લેવાશે અને એ પછી ઓગસ્ટમાં તેનું પરીણામ જાહેર થશે ત્યાર પછી જ મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીકમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.
આ અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ જશે
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. કેમકે એસીપીસી દ્વારા મેરીટ બનાવવા માટે ધો.12 સાયન્સ અને ગુજકેટનો સ્કોર જરૂરી છે, આ બન્ને રિઝલ્ટ આવી ચૂક્યા હોઇ, એસીપીસી દ્વારા ઇજનેરી, ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટ્રેશન શરૂ કરી દેવાશે.
એવી જ રીતે ધો.12 બાયોલોજી ધરાવતા વિદ્યાર્થીઓ માટે નોન નીટ, નીટના સ્કોર વગર જ્યાં પ્રવેશ મળી શકે છે તેવા ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, નર્સિંગ વગેરે કોર્સ ઉપરાંત સ્થાનિક યુનિવર્સિટીઓના બી.એસસી. અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી ધો.12ના પરીણામની સાથે જ શરૂ થઇ જશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.