CIA ALERT
19. April 2024

વુમન્સ વર્લ્ડ Archives - Page 2 of 19 - CIA Live

July 25, 2022
murmu.jpeg
1min303

દેશના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દેશના સર્વોચ્ય બંધારણીય પદ માટેના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ દેશના 15મા અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ, વડાપ્રધાન, અનેક રાજ્યોના રાજ્યપાલ, મુખ્યમંત્રી અનેક દેશોના રાજદૂત તથા ત્રણેય સેનાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા છે.

સીજેઆઈ એન.વી.રમણાએ સંસદના સેન્ટ્રલ હોલ ખાતે મુર્મુને શપથ ગ્રહણ કરાવ્યા હતા. ત્યાર બાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવશે. સંસદના સેન્ટ્રલ હોલ ખાતે સમારંભના સમાપન બાદ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થશે અને ત્યાં તેમને ઈન્ટર-સર્વિસ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે, 26મી જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ છે. આ દિવસ ભારતીય સેનાઓના શૌર્ય અને સંયમનું પ્રતીક છે. હું તમામ નાગરિકો અને સેનાઓને કારગિલ દિવસની શુભેચ્છા પાઠવું છું.

‘ભારતનો ગરીબ સપના જોઈ પણ શકે છે અને તેને પૂરા પણ કરી શકે છે’

મહામહિમ મુર્મુએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચવું એ મારી વ્યક્તિગત ઉપલબ્ધિ નથી. તે ભારતના પ્રત્યેક ગરીબની ઉપલબ્ધિ છે. મારી પસંદગીએ એ વાતનો પુરાવો છે કે, ભારતનો ગરીબ સપના જોઈ પણ શકે છે અને તેને પૂરા પણ કરી શકે છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે, ‘મેં મારા જીવનની સફર ઓડિશાના એક નાનકડા આદિવાસી ગામથી શરૂ કરી હતી. હું જે પૃષ્ઠભૂમિમાંથી આવું છું ત્યાં મારા માટે પ્રારંભિક શિક્ષણની પ્રાપ્તિ પણ એક સ્વપ્ન સમાન હતી. પરંતુ અનેક અડચણો છતાં મારો સંકલ્પ દૃઢ રહ્યો અને હું કોલેજ જનારી મારા ગામની પહેલી દીકરી બની. આ આપણી લોકશાહીની જ તાકાત છે જેમાં એક ગરીબ ઘરમાં જન્મેલી દીકરી, આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં જન્મેલી દીકરી ભારતના સર્વોચ્ય બંધારણીય પદ સુધી પહોંચી શકે છે.’

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ‘દેશે મને એક એવા મહત્વપૂર્ણ કાલખંડમાં રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરી છે જ્યારે આપણે આપણી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આજથી અમુક દિવસો બાદ દેશ સ્વાધીનતાના 75 વર્ષ પૂર્ણ કરશે. આ પણ એક સંયોગ કહી શકાય કે, દેશ જ્યારે પોતાની આઝાદીના 50મા વર્ષનો પર્વ ઉજવી રહ્યો હતો ત્યારે મારી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી અને આજે આઝાદીના 75મા વર્ષે મને આ નવી જવાબદારી મળી છે.’

પોતાના સંબોધન દરમિયાન દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે, હું દેશની પ્રથમ એવી રાષ્ટ્રપતિ છું જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો. સ્વતંત્ર ભારતના નાગરિકો સાથે આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓની અપેક્ષાઓને પૂરી કરવા માટે આપણે આપણાં પ્રયત્નો તેજ કરવા પડશે. મારો જન્મ ઓડિશાના એક આદિવાસી ગામમાં થયો હતો પરંતુ દેશની લોકશાહીમાં એ તાકાત છે કે, મને અહીં સુધી પહોંચાડી.

રામનાથ કોવિંદ તથા તેમના પત્ની સવિતા કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે નિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શુભેચ્છા પાઠવી હતી.

June 22, 2022
draupadi_murmu.jpg
1min290

રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે વિપક્ષ પછી હવે ભાજપના નેતૃત્વમાં એનડીએએ પણ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારની પસંદગી માટે મંગળવારે નવી દિલ્હીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે, ઝારખંડના ભૂતપૂર્વ ગવર્નર અને આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂ એનડીએ તરફથી રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર હશે. સંસદીય બોર્ડની બેઠકમાં અંદાજે ૨૦ નામો પર ચર્ચા થઈ હતી અને દ્રૌપદી મુર્મૂના નામ પર સંમતી સધાઈ હતી.

ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનું નામ અગાઉ પણ રાષ્ટ્રપતિપદના ઉમેદવારની રેસમાં ચર્ચાયું હતું. જેપી નડ્ડાએ કહ્યું કે, દેશને પહેલી વખત આદિવાસી સમાજમાંથી એક રાષ્ટ્રપતિ આપવાની પક્ષની તૈયારી છે. આ વખતે પૂર્વીય ભારતમાંથી કોઈને તક આપવા અંગે સંસદીય બોર્ડમાં સહમતી બની હતી. અમે એ અંગે પણ વિચાર કર્યો કે દેશને હજી સુધી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા નથી. એવામાં બેઠક પછી દ્રૌપદી મુર્મૂના નામ પર બેઠકમાં સર્વસંમતી સધાઈ હતી. 

મુર્મૂ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી જશે તો ભારતના ઈતિહાસમાં તેઓ પહેલાં આદિવાસી રાષ્ટ્રપતિ બનશે. ઉપરાંત તેઓ ચૂંટણી જીતી જાય તો પ્રતિભા પાટિલ પછી દેશનાં બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. દ્રૌપદી મુર્મૂ ઝારખંડનાં પહેલા મહિલા ગવર્નર હતા. તેઓ ઓડિશાનાં પહેલા એવા મહિલા આદિવાસી નેતા છે, જેમને કોઈ રાજ્યમાં ગવર્નર બનાવાયા હોય અને તેમણે કાર્યકાળ પૂરો કર્યો હતો.

દ્રૌપદી મુર્મૂનું જીવન ઘણું જ સંઘર્ષમય રહ્યું છે. તેઓ એક અત્યંત ગરીબ આદિવાસી પરિવારમાં પેદા થયાં હતા. તેમણે રૈરંગપુરના શ્રી અરબિંદો ઈન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં પગાર વિના જ શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. તેમણે રાજકીય કારકિર્દી રૈરંગપુર એનએસીના વાઈસ ચેરમેન તરીકે શરૃ કરી હતી. તેમને ઓડિશા વિધાનસભામાં ૨૦૦૭માં સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નીલકંઠ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

ભાજપ સમર્થિત એનડીએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેના ઈલેક્ટોરલ કોલેજમાં ૪૮ ટકાથી વધુ વોટ શૅર ધરાવે છે અને તેના ઉમેદવારને વિપક્ષના ઉમેદવાર કરતાં સ્પષ્ટ લાભ મળશે. નવી દિલ્હીમાં મંગળવારે મોડી સાંજે વડાપ્રધાન મોદી, પક્ષ પ્રમુખ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી હતી, જેમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ૨૦ જેટલા નામોની ચર્ચા થઈ હતી.

વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪મી જુલાઈએ પૂરો થઈ રહ્યો છે ત્યારે વિપક્ષે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે યશવંત સિંહાને મેદાનમાં ઉતારતા ૧૮મી જુલાઈએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાશે. મતગણતરી ૨૧મી જુલાઈએ થશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ ૨૯ જૂન છે.

June 9, 2022
mithali-raj.jpg
1min392
Mithali Raj retires from international cricket

ભારતીય મહિલા ક્રિકેટની સર્વકાલિન મહાન ખેલાડી અને ટેસ્ટ-વન ડે ટીમની કપ્તાન મિતાલી રાજે આજે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કર્યું છે. આ સાથે મિતાલી રાજની 22 ગજની પીચ પર 23 વર્ષથી ચાલી રહેલી શાનદાર સફરનો અંત આવ્યો છે. મિતાલીએ 2019માં ટી-20 ઇન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધો હતો. હવે આજે તેણે તમામ પ્રકારના ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી છે. મિતાલી રાજ દેશની પહેલી મહિલા ક્રિકેટર છે જેને અર્જુન એવોર્ડ, પદ્મશ્રી અને ખેલરત્ન એવોર્ડથી ભારત સરકારે સન્માનિત કરી છે. મિતાલી રાજ મહાન સચિન તેંડુલકરની જેમ 20 વર્ષથી વધુ ભારત માટે આંતરારાષ્ટ્રીય ક્રિકેટ રમી છે. મહિલા ક્રિકેટમાં તેણીનાં નામે સૌથી વધુ ઇન્ટરનેશનલ રન (ત્રણેય ફોર્મેટ) 10,868 છે.

1999માં 16 વર્ષની વયે ભારત તરફથી પદાર્પણ કરનાર મિતાલી રાજની મહિલા વિશ્વ ક્રિકેટમાં સર્વકાલિન મહાન ખેલાડી પૈકિની એકમાં થાય છે. મિતાલીએ તેની 23 વર્ષની શાનદાર કેરિયર દરમિયાન 12 ટેસ્ટ, 232 વન ડે અને 89 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેના સુકાનીપદ હેઠળ ભારત બે વખત વિશ્વ કપના ફાઇનલમાં પહોંચ્યું છે. જો કે તે ભારતીય મહિલા ટીમને વિશ્વ વિજેતા બનાવવાનું સપનું સાકાર કરી શકી નથી.

મહિલા વન ડે ક્રિકેટમાં મિતાલી રાજનાં નામે સૌથી વધુ 780પ રન કરવાનો રેકોર્ડ છે. જેમાં 7 સદી અને 64 અર્ધસદી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણીના ખાતામાં 43.68ની સરેરાશથી કુલ 699 રન છે જ્યારે ટી-20 ઇન્ટરનેશનલમાં 2364 રન બનાવ્યા છે. વન ડે પદાર્પણ સાથે જ મિતાલીએ સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી કરનારી મિતાલી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે.

મિતાલી રાજે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરતા લખ્યું છે કે હું ભારતની’ બ્લ્યૂ જર્સી પહેરવાની યાત્રા પર નીકળી હતી, કારણ કે દેશનું પ્રતિનિધિત્વ કરવું સૌથી મોટું સન્માન છે. મેં આ યાત્રા દરમિયાન વિશેષ ક્ષણો માણી. કેટલાક મુશ્કેલ તબક્કાનો પણ સામનો કર્યો. દર વખતે મને કંઈક નવું શિખવા મળ્યું. પાછલાં 23 વર્ષ મારા જીવનના સૌથી સંતોષજનક, ચુનૌતિપૂર્ણ અને આનંદદાયક વર્ષ રહ્યા. પૂરી યાત્રાનો આનંદ લીધો. તેનો અંત થવાનો જ હતો. આજે એ દિવસ છે જ્યારે હું આંતરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપમાંથી સંન્યાસ લઈ રહી છું.

May 31, 2022
upsc-topper.jpg
1min312

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.)એ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧માં લેવાયેલી સિવિલ સર્વિસિસની પરીક્ષાના પરિણામોમાં ટોચની ત્રણ રૅન્ક ગર્લ્સને ફાળે ગઈ છે. ૬૮૫ ઉમેદવારોમાં પ્રથમ સ્થાન શ્રુતિ શર્માએ, બીજું સ્થાન અંકિતા અગ્રવાલે અને ત્રીજું સ્થાન ગામિની સિંગલાએ પ્રાપ્ત કર્યા છે. ઉત્તીર્ણ થયેલા ૬૮૫ પરીક્ષાર્થીઓમાં ૫૦૮ યુવકો અને ૧૭૭ યુવતીઓનો સમાવેશ હતો. ઉત્તીર્ણ ઉમેદવારોની કેન્દ્ર સરકારની વિવિધ સેવાઓમાં નિયુક્તિની ભલામણ યુ.પી.એસ.સી.એ કેન્દ્ર સરકારને કરી છે. 

પ્રથમ સ્થાને આવેલી શ્રુતિ શર્મા દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસમાં સ્નાતક, બીજા સ્થાને આવેલી અંકિતા અગ્રવાલ દિલ્હી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં સ્નાતક છે. અંકિતાએ વૈકલ્પિક વિષયો રાજ્યશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં બીજી રૅન્ક મેળવી છે. કૉમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક (બૅચલર ઑફ ટેક્નોલૉજી)ની ડિગ્રી મેળવનારી ગામિની સિંગલાએ વૈકલ્પિક વિષય રૂપે સોશિયોલૉજીમાં ત્રીજી રૅન્ક મેળવી હતી. ઐશ્ર્વર્ય વર્માએ ચોથી અને ઉત્કર્ષ દ્વિવેદીએ પાંચમી રૅન્ક મેળવી હતી. ટોચના પચીસ ઉમેદવારોમાં ૧૫ યુવકો અને ૧૦ યુવતીઓ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સફળ ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા અને પરીક્ષામાં પાસ ન થયા હોય એવા ઉમેદવારોને ઉદ્બોધનમાં પ્રોત્સાહનના શબ્દો કહ્યા હતા.


યુ.પી.એસ.સી.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે સફળ ઉમેદવારોમાં ટોચના પચીસ ક્રમ પ્રાપ્ત કરનારા ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષામાં વૈકલ્પિક વિષયોમાં નૃવંશશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂગોળ, હિન્દી સાહિત્ય, ઇતિહાસ, ગણિત, તબીબી વિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધો, સાર્વજનિક વહીવટ, સમાજશાસ્ત્ર (સોશિયોલૉજી) અને ઝૂઓલૉજીની પસંદગી કરી હતી.

May 14, 2022
ardern.jpg
1min278

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ન કોરોના પોઝિટિવ થયા છે. આની જાણકારી તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આપી છે. જાણકારી શેર કરતા તેમણે જણાવ્યુ કે તેઓ પોઝિટિવ થઈ ગયા છે પરંતુ આ મહિનાના અંતમાં તેઓ બિઝનેસ ટૂર કરવાની સાથે-સાથે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભાષણ આપવા માટે યુએસ જવાની યોજના બનાવી રહ્યા છે. શનિવારે આર્ડર્નએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કોરોના પોઝિટિવ રિપોર્ટની તસવીર શેર કરી અને જણાવ્યુ કે તેઓ આવનારા સપ્તાહમાં કેટલીક મહત્વપૂર્ણ રાજકીય જાહેરાત કરવાના હતા. તેમણે કહ્યુ કે હુ વ્યક્તિગત રીતે આ કાર્યક્રમોમાં રહેવાથી ચૂકી જઈશ, પરંતુ ટીમની સાથે સંપર્કમાં રહીશ. આ યોજનાઓમાં સરકારનો વાર્ષિક બજેટ જારી કરવા અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઓછુ કરવાનુ પ્લાનિંગ સામેલ છે. 

જેસિન્ડા આર્ડર્ન સંપૂર્ણ વેક્સિનેટેડ છે પરંતુ તેમના મંગેતર ક્લાર્ક ગેફોર્ડના પોઝિટીવ મળ્યા બાદ તેઓ પણ કોરોના સંક્રમણની ચપેટમાં આવી ગઈ. રવિવારથી જ હોમ આઈસોલેશનમાં છે. ન્યુઝીલેન્ડના સ્વાસ્થ્ય નિયમો હેઠળ કોરોના પોઝીટીવ લોકોએ સાત દિવસ માટે આઈસોલેટ થવુ એટલે તેમના ઘરમાં કોઈ વ્યક્તિ પોઝીટીવ આવ્યા તો આર્ડર્ન કહ્યુ કે તેમણે શુક્રવારની રાતે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યો અને બાદમાં શનિવારે તેઓ કોરોના પોઝીટીવ થઈ ગયા. પોતાની પોસ્ટમાં આર્ડર્ન પોતાના લક્ષણો વિશે જણાવ્યુ નહીં. જોકે તેમના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યુ કે તેમને શુક્રવારથી લક્ષણ જોવા મળ્યા હતા.

કીવી સરકારે એક નિવેદનમાં કહ્યુ કે આર્ડર્નના લક્ષણ સામાન્ય છે અને તેઓ સાત દિવસ માટે ઘરે આઈસોલેટ રહેશે. તેઓ ગયા રવિવારથી જ હોમ આઈસોલેશનમાં છે, જ્યારે તેમના મંગેતર ક્લાર્ક ગેફોર્ડ કોરોના પોઝીટીવ થયા. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા કેપ્શનમાં તેમણે લખ્યુ કે તમામ પ્રયત્નો છતાં પોતાના પરિવારના બાકી સભ્યોમાં સામેલ થઈ ગયા, જે કોવિડ પોઝીટીવ થયા છે. અમે ગયા રવિવારથી આઈસોલેટ છીએ, જ્યારે સૌથી પહેલા ક્લાર્કનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો. બુધવારે નેવ પણ કોરોના પોઝીટીવ થઈ ગયા અને આજે હુ કોરોના પોઝીટીવ થઈ ગઈ.

April 3, 2022
australia-women-icc_625x300_03_April_22.jpg
1min391

ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે વન-ડે વર્લ્ડ કપ 2022 પોતાના નામે કરી લીધો છે. ન્યૂઝીલેન્ડમાં રમાયેલ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને રનોથી હરાવ્યું હતું. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ 7મી વખત મહિલા વર્લ્ડ કપ પર જીત હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડની ટીમ 2017માં રમાયેલ વર્લ્ડ કપની ચેમ્પિયન બની હતી. પણ આ ફાઈનલ મેચમાં તેમની ટીમ ઓસ્ટ્રેલિયાની સામે ટકી શકી ન હતી. ઓસ્ટ્રેલિયાએ આ ટુર્નામેન્ટમાં રમાયલે તમામ મેચોમાં જીત હાંસલ કરી હતી. ઈંગ્લિશ ટીમ પ્રથમ ત્રણ લીગ મેચ હાર્યા બાદ ફાઈનલ સુધી પહોંચી હતી.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 5 વિકેટના નુકસાન પર 356 રનનો સ્કોર બનાવ્યો હતો. ઓપનિંગ બેટર એલિસા હીલીએ આક્રમક બેટિંગ કરતાં 170 રનોની શાનદાર ઈનિંગ્સ રમી હતી. હીલીએ 41 રનોના સ્કોર પર જીવતદાન મળ્યું હતું, જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો, અને ઈંગ્લેન્ડના બોલર્સને ધોવામાં કોઈ કચાશ રાખી ન હતી. તેણે પોતાની ઈનિંગ્સમાં 138 બોલ રમ્યા હતા અને 26 ચોગ્ગા ફટકાર્યા હતા.

હીલીએ તેની ઓપનિંગ બેટર રાચેલ હેન્સ (93 બોલ પર 68 રન) અને બેથ મૂની (47 બોલ પર 62 રન)ની સાથે પાર્ટનરશિપ કરી હતી. જેનાથી ઓસ્ટ્રેલિયા મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં સૌથી વધારે રનનો રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યું હતું. આ પુરુષ અને મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં બીજો સૌથી મોટો સ્કોર છે. ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમે વર્લ્ડ કપ 2003ની ફાઈનલમાં ભારત સામે બે વિકેટના નુકસાન પર 359 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. હીલીએ હેન્સ સાથે મળી પ્રથમ વિકેટ માટે 160 અને મૂની સાથે બીજી વિકેટ માટે 156 રનોની પાર્ટનરશિપ કરી હતી. 357 રનોનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમને ત્રીજી જ ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. સેમિફાઈનલમાં સદી લગાવનાર ડેનિયલ વેટને મેગલ સ્કટે બોલ્ડ કરી હતી. જે બાદ સતત ઈંગ્લેન્ડની વિકેટો પડતી રહી હતી. જો કે એકબાજુથી નતાલી સિવરે મોરચો સંભાળી રાખ્યો હતો, તેણે 90 બોલમાં સદી ફટકારી હતી. પણ ઈંગ્લેન્ડની અન્ય કોઈ બેટરે તેનો સાથ આપ્યો ન હતો. 44 ઓવરમાં 285 રન બનાવી ઈંગ્લેન્ડ ઓલઆઉટ થઈ ગયું હતું. સિવરે 148 રનોની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર અલાના કિંગ અને જાનેસને સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી.

March 15, 2022
hijab.jpg
1min329

કર્ણાટક હાઈકોર્ટની ફુલ બેન્ચે હિજાબ વિવાદ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે હિજાબ ઈસ્લામનો ભાગ નથી. આ આદેશ સાથે હાઇકોર્ટે વિદ્યાર્થિનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબને લઈને હાઈકોર્ટમાં પહોંચેલી ફુલ બેન્ચે 15 દિવસથી વધુ સમય સુધી સુનાવણી કરી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગયા અઠવાડિયે નિર્ણય અનામત રાખ્યો હતો. અહીં મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીન રાજ્ય સરકારે કર્ણાટકના જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી છે. જે વિસ્તારો અતિસંવેદનશીલ છે ત્યાંની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દક્ષિણ કન્નડના ડેપ્યુટી કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કે.વી.એ જણાવ્યું કે મંગળવારે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે એક્સટર્નલ પરીક્ષાઓ સમયપત્રક મુજબ જ લેવામાં આવશે પરંતુ મંગળવારે જે ઇન્ટરનલ પરીક્ષાઓ યોજાવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે. ઉડુપીના ડીએમ કુરમા રાવ એમએ પણ મંગળવારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

પોલીસ ફોર્સ તૈનાત
શિવમોગા જિલ્લામાં શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. અહીં 21 માર્ચ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. એસપી બીએમ લક્ષ્મી પ્રસાદે જણાવ્યું કે KSRPની 8 કંપનીઓ, ડિસ્ટ્રિક્ટ આર્મ્ડ રિઝર્વની 6 કંપનીઓ અને RPFની 6 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. કલબુર્ગી પ્રશાસને કલમ 144 પણ લગાવી છે.

ઉડુપીની કોલેજથી શરૂ થયો હતો વિવાદ
ઉડુપીની એક કોલેજમાંથી હિજાબનો વિવાદ ઉભો થયો હતો. ગવર્નમેન્ટ પ્રી કોલેજમાં છોકરીઓને સ્કૂલમાં હિજાબ પહેરવાની છૂટ હતી પરંતુ ક્લાસની અંદર હિજાબ પર પ્રતિબંધ હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં કોલેજના છ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને ક્લાસરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તેમને અટકાવવામાં આવ્યા હતા પરંતુ છોકરીઓ મક્કમ હતી. જે બાદ તે કોલેજની બહાર ધરણા પર બેસી ગઈ હતી અને ત્યારબાદ વિવાદ વધુ ગરમાયો હતો. કોલેજની અંદરનું આ પ્રદર્શન દેશના અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાં ફેલાઈ ગયું.

ખંડપીઠે નિર્ણય અનામત રાખ્યો હતો
કર્ણાટક હાઈકોર્ટે ગયા મહિને હિજાબ વિવાદની સુનાવણી પૂર્ણ કરી હતી. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ જેએમ ખાજી અને જસ્ટિસ કૃષ્ણા એમ દીક્ષિતની બનેલી ફુલ બેન્ચે કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટમાં કર્ણાટક સરકાર વતી દલીલ કરવામાં આવી હતી કે હિજાબ જરૂરી ધાર્મિક પરંપરા નથી અને ધાર્મિક સૂચનાઓને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવી જોઈએ.

હાઇકોર્ટે વચગાળાનો સ્ટે લગાવ્યો હતો
કર્ણાટક સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર પ્રભુલિંગ નવદગીએ કહ્યું હતું કે બંધારણની કલમ 25 હેઠળ માત્ર આવશ્યક ધાર્મિક પ્રથાઓ જ સુરક્ષિત છે, જે નાગરિકોને તેમની પસંદગીના ધર્મનું પાલન કરવાની ખાતરી આપે છે. કર્ણાટક હાઈકોર્ટે હાલમાં કોઈપણ ધાર્મિક પ્રતીક પહેરીને શાળાએ જવા પર વચગાળાનો પ્રતિબંધ લગાવી દીધો છે!

હિજાબ વિવાદ કેસમાં સુનાવણીના કેટલાક તથ્યો
– ફેબ્રુઆરીમાં મેરેથોન સુનાવણી પછી, કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
– મોટાભાગની અરજીઓ ઉડુપી અને કુંડાપુરા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવી. બે પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી.
– અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે હિજાબ પહેરવું ફરજિયાત છે અને રાજ્ય સરકારની કાર્યવાહી ધર્મના આધારે પ્રતિકૂળ ભેદભાવ સમાન છે.
– અરજદારોએ વધુમાં દલીલ કરી હતી કે મુસ્લિમ છોકરીઓ ઓછી શિક્ષિત હોય છે અને વર્ગોમાં તેનું પ્રતિનિધિત્વ ઓછું હોય છે અને જો તેઓને આ રીતે બંધ કરવામાં આવશે તો તેની અસર તેમના શિક્ષણ પર પડશે.
– રાજ્ય સરકારે દલીલ કરી હતી કે હિજાબ પહેરવું એ જરૂરી ધાર્મિક પ્રથા નથી. સરકારે એમ પણ કહ્યું હતું કે ડ્રેસ કોડ સંબંધિત તેનો 5 ફેબ્રુઆરી, 2022નો પરિપત્ર – જેને કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો – તે અરજદારોના અધિકારોમાં દખલ કરતું નથી.

March 8, 2022
nari.jpg
5min514

આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહિલાઓનાં સશક્તિકરણ માટે અસાધારણ કાર્ય કરનાર ૨૯ મહિલાઓ અને સંસ્થાઓને વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ માટેનો ‘નારી શક્તિ’ પુરસ્કાર આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઍવૉર્ડ વિજેતા મહિલાઓ સાથે વાતચીત કરશે. વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧ પ્રત્યેકના ૧૪ ઍવૉર્ડ કુલ ૨૯ મહિલાને આપવામાં આવશે. 

ખાસ કરીને સમાજના વંચિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગની મહિલાઓનાં સશક્તિકરણ માટે તેમણે કરેલાં કાર્યો બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવશે. સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં ઉદ્દીપકની ભૂમિકા ભજવનાર મહિલાઓને આ પુરસ્કારથી નવાજવામાં આવશે.

સમાજમાં સમાનતા લાવવા અને મહિલાઓને પ્રોત્સાહન આપવા આ પુરસ્કાર આપવામાં આવશે. 

Nari Shakti Puruskar 2020

Sl. NoNameState/ UTDomain
 Anita GuptaBiharSocial Entrepreneur
 Ushaben Dineshbhai VasavaGujaratOrganic farmer & Tribal Activist
 Nasira AkhterJammu & KashmirInnovator – Environmental Conservation
 Sandhya DharJammu & KashmirSocial Worker
 Nivruti RaiKarnatakaCountry Head, Intel India
 Tiffany BrarKeralaSocial Worker – Working for Blind people
 Padma YangchanLadakhRevived the lost cuisine & clothing in Leh region
 Jodhaiya Bai BaigaMadhya PradeshTribal Baiga Art Painter
 Saylee Nandkishor AgavaneMaharashtraDown syndrome affected Kathak Dancer
 Vanita Jagdeo BoradeMaharashtraFirst Women Snake Rescuer
 Meera ThakurPunjabSikki Grass Artist
 Jaya Muthu, Tejamma  (Jointly)Tamil NaduArtisans – Toda embroidery
 Ela Lodh (Posthumous)TripuraObstetrician & Gynecologist
 Arti RanaUttar PradeshHandloom Weaver & Teacher
 Nari Shakti Puruskar 2021 
 Sathupati Prasanna SreeAndhra PradeshLinguist – preserving minority tribal languages
 Tage Rita TakheArunachal PradeshEntrepreneur
 Madhulika RamtekeChhattisgarhSocial Worker
 Niranjanaben Mukulbhai KalarthiGujaratAuthor & Educationist
 Pooja SharmaHaryanaFarmer & Entrepreneur
 Anshul MalhotraHimachal PradeshWeaver
 Shobha GastiKarnatakaSocial Activist – Working for ending Devadasi system
 Radhika MenonKeralaCaptain Merchant Navy – First woman to receive award for Exceptional Bravery at Sea from IMO
 Kamal KumbharMaharashtraSocial Entrepreneur
 Sruti MohapatraOdishaDisability Rights Activist
 Batool BegamRajasthanMaand & Bhajan Folk Singer
 Thara RangaswamyTamil NaduPsychiatrist & Researcher
 Neerja MadhavUttar PradeshHindi Author – working for rights for transgenders and Tibetan refugees
 Neena GuptaWest BengalMathematician
February 26, 2022
suman_cs.jpg
1min511

40 વર્ષીય ગૃહિણી અને બે બાળકોના માતાએ આ વાતને ખોટી સાબિત કરી છે. તેમણે CS (Company Secretaries)ની પરીક્ષા પાસ તો કરી ઉપરાંત ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) પણ મેળવ્યો. ઘરના કામકાજ અને અભ્યાસના સમય વચ્ચે સંતુલન જાળવીને આ ગૃહિણીએ પ્રોફેશનલ પ્રોગ્રામ (જૂનો અભ્યાસક્રમ)માં AIR 4 મેળવ્યો છે. પરિણામ શુક્રવારે જાહેર થયું છે. દેશના ટોપ 10ની યાદીમાં દક્ષિણ ગુજરાતના કુલ ત્રણ વિદ્યાર્થીઓ છે. દક્ષિણ ગુજરાતના બે અન્ય વિદ્યાર્થીઓમાંથી એકે પ્રોફેશનલ પ્રોગ્રામ (નવો અભ્યાસક્રમ)માં AIR 3 અને બીજા વિદ્યાર્થીએ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ (નવો અભ્યાસક્રમ)માં AIR 9 મેળવ્યો છે.

900માંથી 453 માર્ક્સ મેળવનારાં સુમન સૌરભે જણાવ્યું કે તેઓ આ સિદ્ધિથી ખૂબ ખુશ છે. “શરૂઆતમાં હું CS મિતેશ દેસાઈ પાસે શીખવા જતી હતી પરંતુ ઘરની જવાબદારીઓ અને મહામારીના કારણે મેં ઓનલાઈન ક્લાસ ભરવાનું શરૂ કર્યું હતું. કેટલાક લોકોને શંકા હતી કે હું આ પરીક્ષા પાસ કરી શકીશ કે કેમ? શંકા દાખવવાનું તેમનું પાસે કારણ પણ હતું કારણકે હું 2016થી પરીક્ષા આપી રહી હતી પરંતુ સફળ નહોતી થઈ. જોકે, આ વખતે મેં દ્રઢ નિર્ણય કર્યો કે હું પરીક્ષા પાસ કરીશ અને એક જ વારમાં કાયમ માટે ટીકાખોરોનું મોં બંધ કરી દઈશ. મેં પરીક્ષાની તૈયારી શરૂ કરી અને પરિવારે પણ મને બનતી બધી જ મદદ કરી હતી”, તેમ વલસાડમાં રહેતાં અને આર્ટ્સમાં ગ્રેજ્યુએટ થયેલા સુમન સૌરભે ઉમેર્યું.

જીએસટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં પતિ, બેંગાલુરુમાં ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગ કરતો દીકરો અને ધોરણ 11માં અભ્યાસ કરતી દીકરીએ પણ આખી જર્નીમાં સુમનબેનનો સપોર્ટ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું, “સીએસના વિદ્યાર્થીઓની આગામી પેઢીને મારી સલાહ છે કે એકવાર અભ્યાસક્રમ પૂરો થઈ જાય પછી રિવિઝન કરવું ખૂબ જરૂરી છે અને તે પસંદગીના મુદ્દાઓનું થવું જોઈએ.”

February 10, 2022
breaking-1280x1035.jpg
1min1117

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આજે સી.એ. ફાઇનલ્સ પરીક્ષાનું પરીણામ ઘોષિત કરવામાં આવ્યું હતું. પરીણામ જાહેર થતાં જ સુરત શહેરનું નામ સમગ્ર દેશમાં ગૂંજવા માંડ્યું હતું. કેમકે સુરતની રાધિકા બેરીવાલ નામની યુવતિએ સી.એ. ફાઇનલ્સ પરીક્ષામાં સમગ્ર ભારતમાં પહેલા ક્રમે પાસ થવાની સિદ્ધિ હાંસલ કરી છે. સી.એ.ના પરીણામો પર દેશની બેંકોથી લઇને ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યુટ્સથી લઇને ફાઇનાન્સ મિનિસ્ટ્રી સુધીના અધિકારીઓની નજર રહેતી હોય છે એવા સમયમાં સી.એ. ઓલ ઇન્ડિયા ફર્સ્ટ તરીકે સુરતની રાધિકાએ મેદાન મારતા આજે સુરત શહેરનું નામ સમગ્ર રાષ્ટ્રીય સ્તરે ગૂંજતું થઇ ગયું છે.

સી.એ. ફાઇનલ્સ ડિસેમ્બર 2021માં લેવાયેલી પરીક્ષામાં ઓલ ઇન્ડિયા ફર્સ્ટ આવેલી રાધિકાની પરિવાર સાથેની એક ફાઇલ તસ્વીર.

સમગ્ર ભારતમાં સી.એ. કોંચિંગ માટે વખણાતા સુરતના જાણિતા રવિ છાવછરીયાએ જણાવ્યું હતું કે સી.એ.ના પરીણામમાં આ વખતે અગાઉના વર્ષના લગભગ દરેક રેકોર્ડ તૂટી ગયા છે. દરેક સબ્જેક્ટ વાઇઝ જોરદાર પરફોર્મન્સ રાધિકા બેરીવાલાએ હાંસલ કર્યું છે. તેમણે કહ્યું કે અગાઉ રાધિકા બેરીવાલા આઇ.પી.સી.સી.ની પરીક્ષામાં પણ સમગ્ર ભારતમાં સેકન્ડ રેંક હાંસલ કરવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે.