CIA ALERT
19. April 2024

સુરતીઓની દુનિયા Archives - Page 2 of 67 - CIA Live

October 26, 2023
WhatsApp-Image-2023-10-25-at-18.01.43-1280x515.jpeg
1min222

સારો બિઝનેસ આઇડીયા ધરાવતા યંગસ્ટર્સને મૂડ઼ીરોકાણ કરનારા ઇન્વેસ્ટર્સ તેમજ ઇન્વેસ્ટર્સને નફો કમાવી આપે તેવા બિઝનેસ મળી રહે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી તા.27થી 29 ઓક્ટોબર દરમિયાન સ્ટાર્ટ અપ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં 50થી વધુ સિલેક્ટેડ સ્ટાર્ટઅપને પોતાનો બિઝનેસ આઇડીયા એક્ઝિબિટ કરવા માટે મંચ તો આપવામાં આવશે જ પરંતુ, ઇન્વેસ્ટર્સ તેમજ સામાન્ય લોકો પણ સ્ટાર્ટઅપ સંબંધી જાણકારી મેળવી શકે તે માટે આ ત્રણ દિવસિય સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.સ્ટાર્ટ અપ સમિટ અંગે વધુ માહિતી આપતા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ વિજય મેવાવાલા, મંયક દેસાઇ, કશ્યપ પંડ્યા, નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરતમાં અંદાજે 2 હજારથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ છે, યંગસ્ટર્સના મનમાં આવેલા બિઝનેસના આઇડીયાને સાકાર કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મશીનરી અને મૂડીરોકાણ સૌથી મહત્વની જરૂરીયાત હોય છે. આથી નવા યંગસ્ટર્સને ઇન્વેસ્ટર મળી રહે તે માટે યોજવામાં આવેલી સ્ટાર્ટ અપ સમિટમાં પપ જેટલા સ્ટાર્ટ–અપ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે, જેમાંથી ૭૦ ટકા જેટલા સ્ટાર્ટ–અપ સુરતના છે. આ ઉપરાંત અમદાવાદ અને વડોદરાના સ્ટાર્ટ–અપે પણ ભાગ લીધો છે. આ તમામ સ્ટાર્ટ–અપ પોતાના આઇડિયાને એકઝીબીટ કરશે. આ સમિટની મુલાકાત માટે દેશભરમાંથી ૧૦ હજારથી વધુ ઉદ્યોગકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

સમિટમાં એનર્જી, ટેક્નોલોજીથી લઇને ડિઝાઇન સુધીના સ્ટાર્ટઅપ

ચેમ્બર આયોજિત સ્ટાર્ટ અપ સમિટમાં સોલાર એનર્જી, સોફટવેર ટેકનોલોજી, વુમન્સ હેલ્થ, ડાયમંડ, આર્કિટેકટ અને ઇન્ટિરિયર ડિઝાઇનીંગ વિગેરે ક્ષેત્રોમાં સ્ટાર્ટ–અપ કરનારા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે. ખાસ કરીને વર્ષ ર૦૧૯ પછી જે ઉદ્યોગ સાહસિકોએ સ્ટાર્ટ–અપ શરૂ કર્યું છે એવા મોટા ભાગના સ્ટાર્ટ–અપે સમિટમાં ભાગ લીધો છે. આગામી ડિસેમ્બર– ર૦ર૩ દરમ્યાન આયોજિત થનારી ગુજરાત વાઇબ્રન્ટ સ્ટાર્ટ–અપ સમિટનો રોડ શો પણ આ સમિટમાં કરવામાં આવશે.

સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓ માટે ખાસ સેશન યોજાશે

આ સમિટ દરમ્યાન શનિવાર, તા. ર૮ ઓકટોબર, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ‘સ્ટાર્ટ–અપ ફંડ રેઇઝીંગ ઓપોર્ચ્યુનિટી’વિશે પેનલ ડિસ્કશન યોજાશે. બપોરે રઃ૦૦થી ૩:૦૦ કલાક દરમ્યાન એન્જલ ઇન્વેસ્ટમેન્ટ વિશે સેશન. ત્યારબાદ સાંજે ૪:૦૦થી પઃ૦૦ કલાક દરમ્યાન યુનિકોર્ન ઝાઇબર ૩૬પના સની વાઘેલા ઉદ્યોગ સાહસિકોને સંબોધશે. રવિવાર, તા. ર૯ ઓકટોબર, ર૦ર૩ના રોજ સવારે બપોરે ૧રઃ૦૦થી રઃ૦૦ કલાક દરમ્યાન ‘ફયુચર ઓફ એસ્પોર્ટ એન્ડ ગેમીંગ ઇન્વેસ્ટમેન્ટ્‌સ’વિશે પેનલ ડિસ્કશન યોજાશે. બપોરે રઃ૦૦થી સાંજે ૪:૦૦ કલાક દરમ્યાન ‘ઇન્ફલુએન્સર્સ’વિષય પર પેનલ ડિસ્કશન યોજાશે. ત્યારબાદ સાંજે ૪:૦૦ કલાકે કી–નોટ સ્પીકર અર્જુન વૈદ્ય ‘હાઉ ટુ લેવરેજ ડીટુસી બ્રાન્ડ’વિશે સંબોધન કરશે. સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩ દરમ્યાન વિવિધ યુનિકોર્ન દ્વારા સ્ટાર્ટ–અપ કરનારા તેમજ સ્ટાર્ટ–અપ કરવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકો, એન્જલ ઇન્વેસ્ટરો તેમજ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવશે.

સુરતના 20 સ્ટાર્ટઅપને 3 વર્ષ માટે ટેક્ષ હોલિડે, 50 કરોડ જેટલો ટેક્ષ બચી ગયો

સુરતના જાણિતા સી.એ. મેહૂલ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે દેશના કેટલાક યુનિક સ્ટાર્ટઅપને કેન્દ્ર સરકાર તરફથી રૂ.100 કરોડના ટર્ન ઓવર સુધી ત્રણ વર્ષ માટે બિલકુલ ઝીરો ટેક્સ એક પ્રકારનો ટેક્સ હોલિડે આપે છે. ત્રણ વર્ષ દરમિયાન સ્ટાર્ટ દ્વારા રૂ.100 કરોડ સુધીનું ટર્ન ઓવર કરવામાં આવે તો કોઇપણ પ્રકારનો ટેક્સ ભરપાઇ કરવાનો થતો નથી. આ પ્રકારનો ટેક્સ હોલિડે અત્યાર સુધીમાં 2200 જેટલા સ્ટાર્ટ અપને આપવામાં આવ્યો છે. તાજેતરમાં જ સુરતના 20 સ્ટાર્ટ અપને આ પ્રકારનો ત્રણ વર્ષને ટેક્સ હોલિડે કેન્દ્ર સરકારે આપ્યો છે. જ્યારે આ સ્ટાર્ટ અપનું સિલેક્શન 3 વર્ષની ટેક્સ મુક્તિ માટે કરવામાં આવ્યું ત્યારે એ સ્ટાર્ટ અપનું ગયા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું બાકી હતું. જેથી સુરતના 20 સ્ટાર્ટઅપનો કમસેકમ રૂ.50 કરોડનો ટેક્સ બચી ગયો હતો. આ પ્રકારે ત્રણ વર્ષે રૂ.150થી 200 કરોડનો ટેક્સ સ્ટાર્ટઅપનો બચી જાય છે. કેન્દ્ર સરકાર યંગસ્ટર્સને આ પ્રકારે પણ પ્રોત્સાહન આપી રહી છે.

October 5, 2023
Cia_business_news-1280x936.jpg
1min180

ગુજરાતની અગ્રણી સહકારી બેંક એવી ધી વરાછા કો ઓપરેટિવ બેન્ક સુરતને દક્ષિણ ગુજરાતની લાર્જ કેટેગરીની બેંકોમાં કુલ ત્રણ એવોર્ડ મળેલ છે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે બિઝનેસ ગ્રોથ, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, પ્રોફેટીબીલીટી એન્ડ મેનેજમેન્ટ સહિત સ્કોબાના ત્રણ રનર્સ અપ એવોર્ડ થી જ્યારે પબ્લિક રિલેશન માં શ્રેષ્ઠ બેંક તરીકે વરાછા બેંકને સન્માનિત કરવામાં આવી છે. આજે ભુવનેશ્વર ખાતે દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક ફેડરેશન તરફથી સ્કોબા પ્રાઈડ એવોર્ડ અર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.

કેન્દ્ર ના કાપડ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના એક્સ રીજિયોનલ ડિરેક્ટરશ્રી પ્રકાશચંદ્ર સાહુ ની ઉપસ્થિતિમાં એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું. દક્ષિણ ગુજરાતની ૧૭ સહિત કુલ ૨૮ કો-ઓપ. બેંકો વચ્ચે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમાં રાજ્યની છઠ્ઠા ક્રમની અર્બન કો-ઓપ.બેંક એવી વરાછા બેંક ને પબ્લિક રિલેશન માં પ્રથમ તેમજ ટોટલ બિઝનેસ ગ્રોથ, ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી તેમજ પ્રોફિટીબીલીટી એન્ડ મેનેજમેન્ટ માં ત્રણ રનર્સ અપ એવોર્ડ આપવામાં આવ્યા છે. વરાછા બેંક ૨૮ વર્ષમાં ૨૬ શાખાઓ સાથે આશરે કુલ રૂ. ૫૦૦૦ કરોડનો બિઝનેસ ધરાવે છે. જે સહકારી ક્ષેત્ર માટે ખૂબ ગૌરવની વાત છે.

આ પ્રસંગે સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખશ્રી ભીખુભાઈ પટેલ સહિત દક્ષિણ ગુજરાતના ૧૫૦ જેટલા સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં વરાછા બેંકના ચેરમેન શ્રી ભવાનભાઈ નવાપરા, વાઇસ ચેરમેન શ્રી જી.આર.આસોદરિયા, બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળા, ડિરેક્ટર શ્રી પી.બી. ઢાકેચા, શ્રી પ્રભુદાસભાઈ પટેલ, શ્રી જે.કે. પટેલ, શ્રી રાજુભાઈ બાંભરોલીયા, શ્રી કાંતિભાઈ મારકણા તેમજ શ્રીમતી વિમળાબેન વાઘાણી અને શ્રીમતી શારદાબેન લાઠીયા ઉપસ્થિત રહી અને એવોર્ડને સ્વીકાર્યા હતા.

આ પ્રસંગે સ્કોબાના વાઇસ પ્રેસિડન્ટશ્રી કાનજીભાઈ ભાલાળાએ દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોના વિકાસને બિરદાવ્યો હતો અને વર્તમાન સમયમાં જો ટકવું હશે તો ટેકનોલોજી અને વ્યવસાયિક અભિગમ સાથે આગળ વધવાની જરૂરિયાત જણાવી હતી. સ્કોબાના પ્રેસિડન્ટ શ્રી ગૌતમભાઈ વ્યાસ, વાઇસ પ્રેસિડન્ટશ્રી દેવાંગભાઈ ચોકસી અને પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી મુકેશભાઈ ગજ્જર સહિત અગ્રણીઓએ વરાછા બેંકને શુભેચ્છા પાઠવી હતી.

મલ્ટી સ્ટેટ બેંકમાં દરજ્જો પ્રાપ્ત કરનારી વરાછા બેંક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર હોવાની સાથે સાથે અનેક જાગૃતિના અભિયાન થકી લોક જાગૃતિ માટેના કાર્યો કરતી રહી છે. વધુમાં બેંકના ચેરમેન શ્રી ભવાનભાઈ નવાપરાએ જણાવ્યું હતું કે, વરાછા બેંક બેન્કિંગ સેવા અને વીમા સેવા પૂરી પાડી રહી છે. તદુપરાંત હાલમાં મ્યુચ્યુઅલ ફંડની સવિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. જે થકી બેંકના ખાતેદારોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે અન્ય કસે જવાની જરૂર નથી. એક જ સ્થળેથી તમામ સુવિધા થકી ખાતેદાર સરળતાથી તમામ સેવાનો પૂરતો લાભ મેળવી શકશે. જે અમારા માટે આનંદની વાત છે. આઝાદીના અમૃત પર્વ નિમિત્તે બેંક દ્વારા અમૃત નિધિ બચત યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ૭૭૭ દિવસ માટે ૮ ટકા વ્યાજ દર ચૂકવવામાં આવશે. જે વાર્ષિક અસરકારક વ્યાજ દર ૮.૬૩ ટકા થાય છે. આ ઉપરાંત બેંક દ્વારા વિધવા બહેનો અને દિવ્યાંગ લોકોને મદદરૂપ થવા માટે થાપણની ગંગા બચત યોજના અને દિવ્યાંગ બચત યોજના અમલમાં મૂકી છે. જેનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

October 4, 2023
.jpg
1min218

ટિકીટ કે પાસ શોધતા નહીં, મોબાઇલ એપમાં જનરેટ થશે

ધ મેમોરિસ ઇવેન્ટ દ્વારા સરસાણા એસી ડોમ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં જાણીતા સિંગર રહેશે ઉપસ્થિત

ગુજરાતનો મહાઉત્સવ એટલે નવરાત્રી મહોત્સવમાં ઝૂમવા માટે યુવાઓ થનગની રહ્યા છે ત્યારે સુરતના સરસાણા એસી ડોમ ખાતે આ વખતે ધ મેમોરીઝ ઇવેન્ટ દ્વારા પહેલી વખત ડિજિટલ અને લકઝરીયસ “કેસરિયા નવરાત્રી”નું આયોજન કરવામાં આવ્યું છે, જેના આયોજક કેવલ જસોલીયા છે. આ ઇવેન્ટમાં ડિજિટલ સુવિધાઓ સાથે જ ડેકોરેશન પણ સુરતીઓને આકર્ષશે. આ ઇવેન્ટમાં બોલિવુડના ચાર ખ્યાતનામ સિંગર ઉપસ્થિત રહેશે અને સુરતીઓ ને ગરબાના તાલે ઝૂમવા મજબૂર કરી દેશે. આ વખતની આ કેસરિયા નવરાત્રી ખરા અર્થમાં એક સંસ્કૃતિની ઝાંખી કરાવતી ઇવેન્ટ બની રહેશે.

“કેસરિયા નવરાત્રી” મહોત્સવને લઈને આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આયોજક ધ મેમોરિઝ ઇવેન્ટના કેવલ જસોલિયા સહિત ચારેય સિંગર ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોને સંબોધન કર્યું હતું. કેવલ જાસોલિયાએ ઇવેન્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સુરતમાં પહેલી વખત સરસાણા એસી ડોમ ખાતે ડિજિટલ અને લકઝરીયસ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ ઇવેન્ટ માટે ન્યુ પ્રીમિયમ થીમ પર ડોમ ને શણગારવામાં આવશે.

આયોજક કેવલ જસોલિયા દ્વારા My Digi Event નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેનાથી ઇવેન્ટની તમામ કામગીરી અને પ્રક્રિયામાં ડિજિટલ ભારતના દર્શન થશે એટલે કે પાસથી માંડીને સ્ટોલ બુકિંગની પ્રકિયા ઓનલાઇન એપ્લિકેશન મારફતે કરવામાં આવી રહી છે. આ માટે આ એપ્લિકેશન અંગે કેવલ જસોલીયાએ જણાવ્યું હતું વર્ષ 2003 પછી નવરાત્રિના આયોજનમાં છેલ્લા વીસ વર્ષમાં આવેલો આ સૌથી મોટો ફેરફાર છે અને તેનો શ્રેય ધ મમોરીઝ ઇવેન્ટ ને જાય છે. અત્યાર સુધીના આયોજનોમાં પાસ અને કુપન જેવું મેન્યુઅલ રીતે પ્રક્રિયા થતી હતી પણ અમારા દ્વારા પહેલી વખત તમામ પ્રક્રિયા મોબાઈલ પર ઓનલાઇન કરવામાં આવી છે.

15 થી 24 ઓક્ટોબર સુધી યોજાનાર કેસરિયા નવરાત્રિમાં ખાલૈયાઓ માટે ખાસ જાણીતા સિંગર ગોગો ગોગો ફેમ સિંગર જયસિંહ ગઢવી ( ફાયર સિંહ), ગંગુ બાઈ કાઠિયાવાડી ફેમ સેલિબ્રિટી પ્લેબેક સિંગર અને ઢોલીડા ગર્લ જાહ્નવી શ્રીમાંકર, અક્ષત પરીખ અને સ્તુતિ વોરા હાજર રહશે. સાથે જ મ્યુઝિક ડાયરેક્ટર કેદાર ભગત પોતાના ગ્રુપ સાથે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે આયોજક કેવલ જાસોલિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ દ્વારા આગામી વર્ષ 2024માં પણ સરસાણા એસી ડોમ ખાતે જ આનાથી પણ ભવ્ય કેસરિયા નવરાત્રિના આયોજન માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

September 25, 2023
WhatsApp-Image-2023-09-24-at-17.55.43.jpeg
1min166

સુરતના કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલ દ્વારા 7 મહિના અગાઉ પીડીયાટ્રીક કાર્ડિયાક વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. 7 મહિનાના સમયમાં જ નવજાત બાળકોના અખરોટ જેટલા કદના હ્રદયની 125 જેટલી ક્રિટીકલ હાર્ટ સર્જરી કરીને બાળકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે.

ઓપરેશન પૂર્વે, ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી નવજાત દર્દીની સારવારમાં જીવ રેડીને કામ કરનાર કિરણ હોસ્પિટલની ટીમમાં ડો. વિશાલ અગ્રવાલ, ડો.સ્નેહલ પટેલ, ડો.વિકેશ રેવડીવાલા, ડો.પવન માંડવીયા, ડો. રાહુલ સાવલિયા સહિતના સ્ટાફે સાત મહિનામાં જ સવાસો જેટલા બાળકોના જીવ બચાવીને તેમના પરિવારને હર્યોભર્યો કર્યો છે.

કિરણ હોસ્પિટલના પીડીયાટ્રીક કાર્ડિયાક વિભાગના સર્જન ડો.વિશાલ અગ્રવાલ અને ડો.સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે હાલના સમયમાં જન્મ લેતા દર 100 બાળકે 1 બાળકના હ્રદયમાં ખામી હોય છે જેને આર્ટિરિઅલ સ્વીચ ઓપરેશન્સ કરીને દૂર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે એક ઓપરેશન એટલું જટીલ હતું કે બાળક ફક્ત એક જ દિવસનું હતું અને તેના હ્રદયમાં ખામી હોવાનું  નિદાન થયું. 1 દિવસના બાળકની ઓપન હાર્ટ સર્જરી કરવી અત્યંત જટીલ અને ક્રિટિકલ રહેતી હોય છે. આથી એ બાળકની સર્જરી 5માં દિવસે કરવામાં આવી હતી અને એ સર્જરી સફળ રહી હતી. આ બાળકની ધમનીની અદલાબદલીનું ઓપરેશન કરવામાં આવ્યું છે. એ બાળકે જન્મ લીધો ત્યારે તેની ધમનીમાંથી અશુદ્ધ લોહી હ્રદયમાં જઇ રહ્યું હતું, આથી સમય નીકળતા બાળકની જીદંગી સામે જોખમ ઉભું જ હતું, જે સર્જરી પાંચમા દિવસે જ સફળતાપૂર્વક દૂર કરીને તેની ધમનીની અદલાબદલી કરવામાં આવી હતી.

ડો. સ્નેહલ પટેલ અને ડો. વિશાલ અગ્રવાલે જણાવ્યું કે અનેક બાળકોના માતાપિતા આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા હતા આથી તેમની મોટા ભાગની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવ્યો છે. વધુમાં નવજાત બાળકોમાં હ્દયની જુદી જુદી બિમારીઓ તેની માતા અથવા તો તબીબો જ જાણી શકે છે. મોટા ભાગના કિસ્સામાં બાળકને વારંવાર શરદી ખાંસી થતી હોય, બાળકને વારેઘડીયે ન્યુમોનિયા થતો હોય, બાળક ભૂરું પડી રહ્યું હોય, થાકી જતું હોય તેવા લક્ષણોથી પણ હાર્ટ ડિસિઝ જાણી શકાય છે.

September 15, 2023
fostta.jpg
1min461

Jayesh Brahmbhatt 98253 44944

भारत के सबसे बडे रिटेल वेपारीओ का संगठन जो सुरत की 211 टेक्षटाइल मार्केट और उसमें सक्रिय 65 हजार से अधिक व्यापारीओ से प्रत्यक्ष जुडा है, फेडरेशन ओफ सुरत टेक्षटाइल ट्रेडर्स एसोसीएशन (फोस्टा) की नई कार्यकारीणी के गठन के बाद अध्यक्ष कैलाश हाकिम और दिनेश कटारीया ने सिस्टमेटिक तरीके से फोस्टा संगठन का संचालन शरू कीया है, जिसका परीणाम यह आया की 200 से अधिक पेमेन्ट में गरबडीं की कम्पलेन मिली थी उनमें से 85 प्रतिशत से ज्यादा कंम्पलेन सिर्फ फोस्टा के नाम से सोल्व हूई है. न तो किसी पर जोरजुल्मी करनी पडी न तो रिक्वेस्ट करनी पडी सिर्फ आपस में मेलझोल कर के अनेक व्यापारीओ के फंसे हूए 40 करोड रूपए का पेमेन्ट क्लियर करवा दिया है.

पत्रकारो के साथ बातचीत करते हूए फोस्टा के प्रमुख कैलाश हाकिम और सेक्रेटरी दिनेश कटारीया ने बताया कीं फोस्टा ने एक सिस्टमेटिक तरीके से व्यापारीओ से जुडें प्रश्न, समस्याए एवमं कुछ रचनात्मक बातो के लिए कमिटीओ का गठन किया है. रविवार के दिन के लिए शूरु कि गई चौपाल अब फोस्टा कार्यालय में रोजाना होने लगी है. फोस्टा कि एलग अलग कमिटी मामले को देख रही है. अभी सब कामकाज मेन्युअल हो रहा है पर थोडे दिनो में फोस्टा की आधिकारीक वेबसाइट एवमं मोबाइल एप्लिकेशन लोंच हो जाएगी इसके बाद व्यापारी अपनी जगह बैठ कर मोबाइल से फोस्टा को अपनी समस्या दर्ज करवा सकेगा.

कैलाश हाकिमने बताया की थोडे दिनो में फोस्टा को एख लिगल वजुद मिल जाएगा. अभी तक फोस्टा सरकारी चोपडें पर कहीं दर्ज नहीं है. पर हमने फोस्टा का बंधारण ड्राफ्ट किया, थोडे दिनो में फोस्टा का बंधारण भी निश्चित हो जाएगा और एक नो प्राफिट नो लोस पर ट्रेड युनियन की तर्ज पर फोस्टा का रजिस्ट्रेशन भी किया जाएगा.

कैलाश हाकिम और दिनेश कटारीया ने बताया कीं नई कार्यकारिणी के सभी चूने गए डिरेक्टर्स अपना बिजनेस में से व्यापारीओ के प्रश्नो के लिए समय निकाल कर उनको सोल्व करने में लगे हूए है.

September 1, 2023
WhatsApp-Image-2023-08-31-at-20.42.30-1280x853.jpeg
1min201

મિશન ૮૪ અંતર્ગત વૈશ્વિક માર્કેટમાં ઝંપલાવવા સુરતના ઉદ્યોગકારોએ કવોલિટી પ્રોડકટ બનાવવી પડશે : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ને વાઇબ્રન્ટ ગુજરાતનો ભાગ બનાવવા માટે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૩૧ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મિટીંગ યોજાઇ હતી. જેમાં તેમણે ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતને ચાઇનાનો વિકલ્પ બનવા માટે સુવર્ણ તક છે. હાલ ગ્લોબલી માર્કેટનો ટ્રેઇન્ડ ચાલી રહયો છે ત્યારે વૈશ્વિક માર્કેટમાં સ્પર્ધાત્મક બનવા માટે ઉદ્યોગકારોએ કવોલિટી પ્રોડકટ પર ધ્યાન આપવું પડશે. પ્રોડકટ કોઇપણ હોય પણ તેમાં કવોલિટી જોઇશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ મિટીંગમાં મુખ્યમંત્રી સમક્ષ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ રજૂ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગકારોને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પૂરું પાડવા જઇ રહયું છે. જેના અંતર્ગત ગુજરાતના ૮૪૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં રહી બિઝનેસ કરતા ભારતના ૮૪૦૦૦ ઉદ્યોગકારોને ઓનબોર્ડ કરી રૂપિયા ૮૪૦૦૦ કરોડના દ્વિપક્ષીય ટ્રેડ એગ્રીમેન્ટ કરવાનો પ્રયાસ થઇ રહયો છે.

તેમણે મિશન ૮૪ને વાઇબ્રન્ટ ગુજરાતનો ભાગ બનાવવા માટે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાતની વિવિધ કોન્ફરન્સમાં SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટને સરકાર તરફથી રજૂ કરવામાં આવે. વાઇબ્રન્ટ ગુજરાતની સમિટમાં મિશન ૮૪ના બ્રોશરનો સમાવેશ કરવામાં આવે.

વધુમાં તેમણે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરના પરિસરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો એકઝીબીશન હોલ બનાવવા માટે સરકાર દ્વારા જે રૂપિયા ર૪ કરોડ જેટલી રકમ મંજૂર કરી છે તે માટે રાજ્ય સરકારનો આભાર માની તેમના વરદ્‌ (મુખ્યમંત્રીના) હસ્તે ખાતમૂહુર્તવિધિ સંપન્ન થાય તે માટે તેમને અનુકુળ તારીખ આપવા વિનંતી કરી હતી.

આ મિટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર તથા પૂર્વ પ્રમુખો અશોક શાહ, રાજેન્દ્ર ચોખાવાલા, બી.એસ. અગ્રવાલ, રોહિત મહેતા, દિનેશ નાવડિયા ઉપરાંત ઉદ્યોગપતિ મથુર સવાણી, કાનજી ભાલાલા તેમજ ધારાસભ્યો વિનુભાઇ મોરડીયા, સંદિપ દેસાઇ અને મનુભાઇ પટેલ તથા કલેકટર આયુષ ઓક અને મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ ઉપસ્થિત રહયા હતા. મિટીંગનું સંચાલન માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ કર્યું હતું.

September 1, 2023
WhatsApp-Image-2023-08-31-at-15.50.26-1280x650.jpeg
1min156

SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવીયાની હાજરીમાં ઉદ્યોગકારો એક્ષ્પોર્ટને વધારવા સંકલ્પ લેશે

ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ અંતર્ગત ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહયો છે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત શનિવાર, તા. ર સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પ્લેટિનમ હોલ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે ભારત સરકારના કેન્દ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ તેમજ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર મંત્રી ડો. મનસુખ માંડવીયા સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રિય મંત્રી સરકાર, ઉદ્યોગકારો પાસે શું અપેક્ષા રાખે છે તે બાબતે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપશે. સાથે જ ઉદ્યોગકારો પણ સરકાર પાસે વ્યાપાર અને એક્ષ્પોર્ટને વધારવા માટે શું ઇચ્છી રહયા છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. એના માટે ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, આથી ગુજરાત રિજીયનમાંથી ઉદ્યોગકારોનું એક્ષ્પોર્ટમાં યોગદાન વધે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત વિવિધ પ્રયાસો કરાઇ રહયા છે. જેના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવીયાની હાજરીમાં એક્ષ્પોર્ટ કરનારા ઉદ્યોગકારો એક્ષ્પોર્ટ વધારવા માટે તેમજ નવા ઉદ્યોગ સાહસિકો એક્ષ્પોર્ટ શરૂ કરવા માટે સ્વયંભૂ સંકલ્પ લેશે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, જેમ એન્ડ જ્વેલરી, સોલાર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એન્જીનિયરીંગ, ડિફેન્સ પ્રોડકટ્‌સનું ઉત્પાદન કરતા તેમજ એક્ષ્પોર્ટ કરતા ઉદ્યોગકારોને જોડવામાં આવશે અને તેઓને પણ તેઓનું એક્ષ્પોર્ટ વધારવા હાંકલ કરવામાં આવશે. આ ઉદ્યોગકારો પણ એક્ષ્પોર્ટ વધારવા માટે સ્વયંભૂ સંકલ્પ લેશે. આવી રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાત રિજીયનમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે મિશન ૮૪ અંતર્ગત પ્રયાસ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની અર્થ વ્યવસ્થાને મજબુત કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આ વર્ષે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉદ્યોગકારો માટે ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહયું છે, જેની સાથે ગુજરાતના ૮૪૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪૦૦૦ ભારતીય ઉદ્યોગકારોને ઓનબોર્ડ કરવામાં આવશે. આ ઉદ્યોગકારોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની એક્ષ્પોર્ટ સંબંધિત પ્રોત્સાહક યોજનાઓની જાણકારી તેમજ એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.

August 24, 2023
dc-patel.png
1min223

ન્યુ સિટીલાઇટ ભરથાણાના કોલેજ સંકુલની 5 કોલેજોની કુલ 172 ટીમો જેમાં 40 ટીમો યુવતિઓની પણ છે, આટલી મોટી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 5 દિવસમાં પૂર્ણ કરાશે

સુરત: સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા 22 ઓગષ્ટથી ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસની જુદી જુદી પાંચ કોલેજોના વિદ્યાર્થીઓ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ સુધી ચાલનાર આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 172 ટીમો ભાગ લઈ રહી છે. સાથે ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ખાસ મહેમાન તરીકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને જતીન પરાંજપે ઉપસ્થિત રહેનાર છે.

ટુર્નામેન્ટ અંગે માહિતી આપતા સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી ના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બોક્સ ક્રિકેટ ઇન્ડોર ગેમ છે એટલે ચોમાસાની ઋતુમાં પણ રમી શકાય છે અને વિદ્યાર્થીઓમાં ખેલદિલી હંમેશા જાગૃત રહે તે બાબતને કેન્દ્રમાં રાખી સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા ડી. સી. પટેલ એજ્યુકેશનલ કેમ્પસના સહયોગથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના પ્રમુખ પંકજ પટેલના હસ્તે ટુર્નામેન્ટનો આરંભ

ટુર્નામેન્ટમાં ડી.સી. પટેલ એજયુકેશનલ કેમ્પસમાં આવેલી પાંચ કોલેજની 172 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન 22મી ઓગષ્ટના રોજ સવારે 9 કલાકે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ ના પ્રમુખ શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડી. સી.પટેલ એજયુકેશનલ કેમ્પસના પ્રમુખ પંકજભાઈ ગીજુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા અન્ય સભ્યો એ પણ હાજરી આપી હતી. ટુર્નામેન્ટમાં વિશેષ અતિથિ તરીકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને ઇન્ડિયન સિલેકશન પેનલ ના સભ્ય તેમજ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જતીન પરાંજપે ઉપસ્થિત રહેશે. પાંચ દિવસ ચાલતી આ ટુર્નામેન્ટ માં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર શ્રી કિશોરસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહેશે .

August 22, 2023
sgcci-sparkle-1280x419.png
1min188

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ શહેરના અઠવાલાઇન્સ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩નું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સ્પાર્કલ એક્ષ્પો ડિસેમ્બર માસમાં યોજાતો હોય છે પરંતુ, આ વર્ષથી પરંપરા એટલા માટે બદલવામાં આવી છે કે દિવાળી પછી લગ્નસરાની સિઝન માટે ઝવેરાતની ખરીદી થઇ શકે અને તેને લઇને સમગ્ર ઇન્ડસ્ટ્રીઝને વેપાર મળશે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ દરમ્યાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નું આયોજન

સ્પાર્કલ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા, વીપી વિજય મેવાવાલા, નિખિલ મદ્રાસી, હિમાંશુ બોડાવાલા, બિજલ જરીવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશન યોજાશે. જેમાં સુરત ઉપરાંત અમદાવાદ, મુંબઇ, જયપુર અને બિકાનેરના રપ જેટલા જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવતી અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવશે.

વિશ્વમાં આગળ વધવા માટે આ સમય સારો છે. હવે સુરત ડાયમંડ બુર્સ બની ગયું છે, આથી આખા વિશ્વના ડાયમંડ સુરતથી હેન્ડલ થાય એવો સમય આવી ગયો છે.મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. વેડિંગમાં આઉટફિટ સાથે જ્વેલરી સિલેકશન માટે મહિલાઓ ઘણું રિસર્ચ કરે છે, આથી મહિલાઓનું આ રિસર્ચ સ્પાર્કલ પ્રદર્શનમાં એક જ સ્થળે પૂરું થઇ જશે. કારણ કે, જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે.

સ્પાર્કલ એકઝીબીશનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે, ઓગષ્ટ મહિના પછી લગ્નસરા શરૂ થશે. લગ્ન પ્રસંગ હોવાથી લોકો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત જેમના ત્યાં લગ્ન પ્રસંગ હોય તેઓ જ્વેલરી કયાંથી ખરીદવી તે બાબતે દુવિધામાં હોય છે. તદુપરાંત જ્વેલરીમાં કયો ટ્રેન્ડ ચાલી રહયો છે? તેનાથી પણ તેઓ વાકેફ હોતા નથી, આથી સ્પાર્કલ પ્રદર્શનમાં સમગ્ર દેશભરની જુદી–જુદી ડિઝાઇનની જ્વેલરીનું પ્રદર્શન થાય છે. જેથી કરીને લોકો એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરી પસંદ કરી તેની ખરીદી કરી શકે છે.

સ્પાર્કલ એકઝીબીશનના કો–ચેરમેનો નિખિલ દેસાઇ, પ્રતાપ જીરાવાલા અને સલિમ દાગીનાવાલાએ આ પ્રદર્શનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં લગ્નસરાને ધ્યાનમાં લઇ સુરતના જ્વેલર્સ દ્વારા નેકલેસિસ ડેવલપ કરવામાં આવ્યા છે. જેમાં ટેકિનકલ વેરીયસ સાથે જુદા–જુદા ડિઝાઇન કોન્સેપ્ટ ડેવલપ કરાયા છે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરવામાં આવી છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે.આ ઉપરાંત ગોલ્ડમાં પોલ્કી–હેરિટેજ જ્વેલરી અને ડાયમંડમાં એમ્રાલ્ડ–પર્લનું ફયુઝન બ્રાઇડલ જ્વેલરીને વધારે પસંદ કરવામાં આવે છે. આ બધી જ જ્વેલરીનું પ્રદર્શન સ્પાર્કલ એકઝીબીશનમાં કરવામાં આવશે. પોલ્કી–હેરિટેજ જ્વેલરી લોન્ગ લાસ્ટીંગ હોવાથી મહિલાઓ તેની ખરીદી વધારે કરે છે. આ પ્રદર્શનમાં ગ્રાહકોને વિશિષ્ટ શ્રેણીઓની જુદી–જુદી જ્વેલરી જોવા મળશે.

ચાંદીમાં રામમંદિરની થીમની કૃતિ આકર્ષણ જમાવશે

સ્પાર્કલમાં જ્વેલર્સ દ્વારા ચાંદીનું અદ્‌ભુત કલેકશન પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં ભગવાન શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા સાથેનું રામ દરબાર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ૪ ફૂટના શ્રીનાથજીની પ્રતિમા, શ્રીજીની પ્રતિમા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પણ આકર્ષણ ઉભું કરશે. ચાંદીની પ્રતિમા ઉપરાંત આધુનિક ફર્નિચર, હોમ ડેકોરેશન અને ચાંદીની ગીફટીંગ પણ પ્રદર્શિત કરવામાં આવશે.

આગામી છ-આઠ માસમાં જેમના લગ્ન થવાના છે તેમને ખાસ આમંત્રણ અપાયા

ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સુરત શહેરના ૬૦૦થી વધુ યુગલો તથા તેમના પરિવારજનોને સ્પાર્કલની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યુગલો એવા છે કે જેઓના થોડા મહિના બાદ લગ્ન થવાના છે, જેથી તેઓને એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરીનું કલેકશન મળી રહેશે. આ પ્રદર્શનમાં બિન નિવાસી ભારતીયો માટે લગ્નસરા તથા રક્ષાબંધન અને દિવાળી જેવા તહેવારો માટે ખાસ કલેકશન જોવા મળશે.

August 21, 2023
WhatsApp-Image-2023-08-20-at-20.30.50.jpeg
4min244

“વર્લ્ડ સીનીયર સીટીઝન ડે” ની પૂર્વ સંધ્યાએ કિરણ હોસ્પિટલ દ્વારા ભારત વડીલ વંદના કાર્યક્રમ

“કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન કેલ્થ કેર” યોજનામાં સુરતમાં રહેતા ૨૬ રાજયના ૧૫ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા

કિરણ હોસ્પિટલ દ્વારા “સીનીયર સીટીઝનો” માટે એક અનોખી યોજના બનાવવામાં આવી છે તે યોજના થકી સીનીયર સીટીઝનો ને હોસ્પિટલમાં તેમજ ઘર બેઠા આરોગ્ય સારવાર આપવા માટેની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ યોજનાનો પ્રારંભ માનનીય આરોગ્યમંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલના વરદ હસ્તે રવિવાર તા.20મી ઓગસ્ટે સુરતના સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ કન્વેન્સન સેન્ટર ખાતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજીને કરવામાં આવ્યો હતો.

“કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન કેલ્થ કેર” યોજનામાં સુરતમાં રહેતા ૨૬ રાજયના ૧૫ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા છે.

આરોગ્યમંત્રી રૂષિકેશભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો.

સુરતમાં રહેતા ૨૬ રાજયના સીનીયર સીટીઝન આ યોજનામાં જોડાયેલા હોવાથી આ કાર્યક્રમનું નામ “ભારત વડીલ વંદના” રાખવામાં હતુ. “વર્લ્ડ સીનીયર સીટીઝન ” ની સમગ્ર દુનિયામાં ઉજવણી થાય છે ત્યારે કિરણ હોસ્પિટલ દ્વારા ૨૦ ઓગષ્ટ ને રવિવાર ના રોજ સુરત ખાતે કંઇક અલગ પ્રકારે સીનીયર સીટીઝનોને મદદરૂપ થવાય તેવા ઉદેશ થી “કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજના” લોન્ચ કરીને “વર્લ્ડ સીનીયર સીટીઝન ડે” ની ઉજવણી કરવામાં આવી.

આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માનનીય આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલ, તેમજ મહેમાન તરીકે પદ્મશ્રી પઝદીભાઈ કરજીયા, સદભાવના ટ્રસ્ટના વિજયભાઇ ડોબરીયા, ઉપરાંત કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી, શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી લાલજીભાઈ પટેલ, શ્રી રવજીભાઈ મોણપરા, શ્રી મનભાઇ લખાણી તેમજ કિરણ હોસ્પિટલના ટ્રસ્ટીદાતાશ્રીઓ, શહેરના મહાજનો અને યોજનામાં જોડાયેલા ૧૪ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

આજના કાર્યક્રમમાં કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સાવણી દ્વારા આ યોજનાની ઉડાણ પૂર્વક માહિતી આપી અને યોજનામાં સીનીયર સીટીઝનોને કેવી રીતે લાભ મળશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ માનનીય આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલે કિરણ હોસ્પિટલ દ્વારા સીનીયર સીટીઝનો માટે આવી યોજના બનાવવા બદલ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી તેમજ સૌ ટ્રસ્ટીદાતાશ્રીઓને આવા ઉમદા કાર્ય બદલ બિરદાવ્યા હતા.

કિરણ હોસ્પીટલ દ્વારા લાખો લોકોને ક્વોલીટી સેવા પૂરી પાડવામાં આવી છે, આપણે સૌ જાણીએ છીએ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે આપણે દેશના મોટા મેટ્રો સીટીની હોસ્પિટલોમાં જવું પડતું હતું. તે બધાજ ટ્રાન્સપ્લાન્ટ ઘર બેઠા કિરણ હોસ્પિટલે સુરતમાં શરુ કર્યા અને બહુ મોટી સંખ્યામાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ પણ કરવામા આવી.

કિરણ હોસ્પિટલની વિવિધ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર ટીમનું આરોગ્યમંત્રીશ્રી ના વરદ હસ્તે આપણે સન્માન કરવામાં આવ્યું હતું જેમ કે

૧- કિરણ હોસ્પીટલમાં ૩૩ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. રવિ મોહ્ન્કા (લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. ગૌરવ ચોબાલ (લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. ધર્મેશ ધાનાણી (લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. જયારામ કે (લીવર ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. સ્મિત વઘાસિયા (લીવર ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. ભાવિન લશ્કરી (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ),  ડો. આનંદ પ્રસ્તાગીયા (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ) અને ડો. દર્શન ત્રિવેદી (ટ્રાન્સપ્લાન્ટ ઇન્ટેનસીવીસ્ટ)

૨- કિરણ હોસ્પીટલમાં ૧૧૨ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. કલ્પેશ ગોહેલ (કીડની ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. પ્રમોદ પટેલ (કીડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. મુકેશ આહીર (કીડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. વિમલ કરગથરા (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ), ડો. કૃતિ પટેલ (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ), ડો. અપેક્ષા પારેખ (ટ્રાન્સપ્લાન્ટ ઇન્ટેનસીવીસ્ટ)

૩- કિરણ હોસ્પીટલમાં ૧૨૦ બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. હસમુખ બલર  (બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. ધર્મેશ વઘાસીયા (બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. કપિલ દીવેકર (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ ), ડો. હિતેશ નાથાણી (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ ) અને ડો. રાહુલ સાવલિયા (પીડીયાટીક  ટ્રાન્સપ્લાન્ટ ઇન્ટેનસીવીસ્ટ)

૪-કિરણ હોસ્પીટલમાં ૩૫૦ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરનાર  ડોક્ટર ટીમ-  ડો. સંકીત શાહ (કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. હર્ષ જોષી (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ) અને ડો. પરેશ પટેલ (ટ્રાન્સપ્લાન્ટ ઇન્ટેનસીવીસ્ટ)

૫- કિરણ હોસ્પીટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. આલોક રંજન  (કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. વિશાલ વાનાણી (કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. નિકિતા ચતુર્વેદી (કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. માલ્કેશ તરસરિયા (કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ સર્જન) અને ડો. વિકેશ રેવડીવાલા (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ)

૬-કિરણ હોસ્પિટલમાં  હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. અરવિંદ પટેલ (હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. આશુતોષ શાહ (હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. આશિષ ચૌધરી (હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન) અને ડો. અંકિત વર્મા (હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન)

૭-કિરણ હોસ્પીટલમાં  ઓર્ગન ડોનેશન અવેરનેશ કરનાર ડોક્ટર ટીમ-   ડો. ભૌમિક ઠાકોર (ન્યુરો સર્જન), ડો. હીના ફળદુ (ન્યુરો ફીઝીશ્યન) અને ડો. અલ્પા પટેલ ( ટ્રાન્સપ્લાન્ટ કો ઓર્ડીનેટર)

સદભાવના વૃધાશ્રમમાં ૬૦૦ થી વધારે સીનીયર સીટીઝનોની સેવા કરનાર એવાશ્રી વિજયભાઈ ડોબરીયા જેઓએ ૨૦ લાખથી વધારે વૃક્ષો ઉછેર્યા છે. સુરતના અનેક રસ્તો ઉપર સદભાવના ટ્રસ્ટ દ્વારા ૫૦ હજાર થી વધારે વૃક્ષો રોપી અને તેને ઉછેરવાનું કામ ચાલુ છે. નવા ૧૫ કરોડ વૃક્ષો ઉછેરવાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છે, રાજકોટમાં ૩૦ એકરમાં ૨ હજાર નિરાધાર વડીલોને માન સન્માન સાથે રાખી શકાય તેવા કેમ્પસનું નિર્માણ કાર્ય ચાલુ છે. આવી અનોખી સેવા કરનાર એવા શ્રી વિજયભાઈ ડોબરીયા નું માનનીય આરોગ્યમંત્રી શ્રી  અને કિરણ હોસ્પિટલ દ્વારા  સન્માન કરવામાં આવ્યું હતું