સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત RTSV હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ શાનદાર રીતે સંપન્ન
કિરણ-2 હોસ્પિટલ માટે દાતાઓએ મન મૂકીનો દાનનો ધોધ વહાવ્યો
ગુજરાતમાં સૌથી વધુ રાહત દરે તબીબી સેવા ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે કિરણ-2 હોસ્પિટલને ઝડપભેર વિકસાવવાનો નિર્ધાર કરાયો
સુરત સુરત ડાયમંડ એસોસીએશનની આરોગ્ય સમિતિ સંચાલિત આર.ટી.એસ.વી. ડાયમંડ હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ આજે રવિવારની સંધ્યાએ શાનદાર રીતે સંપન્ન થયો છે. હકડેઠઠ માનવ મેદની આ સમારોહમાં ઉમટી પડી હતી. ડાયમંડ હોસ્પિટલના આરંભથી જ દર્દીઓનો અત્યંત રાહતદરે તબીબી સેવાઓ પૂરી પાડવાનું શરૂ કરાયું હતું, આ પ્રકારે ગુજરાતમાં સૌથી વધુ રાહતદરે તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે સંસ્થાની સૂચિત કિરણ-2 હોસ્પિટલને ઝડપભેર વિકસાવવાનો મક્કમ નિર્ધાર ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં જાહેર મંચ પરથી વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલમાં જ જન્મ લેનારી 400 દિકરીઓના પરિવારજનોને રૂ.1-1 લાખની કિંમતના બોન્ડ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવના સમારોહમાં મહાનુભાવો ઉપસ્થિત થાય ત્યાં સુધીમાં કિરણ-2 હોસ્પિટલ માટે લાખો રૂપિયાનું નવું દાન દાતાઓએ મન મૂકીને જાહેર કર્યું હતું. દાતાઓએ કિરણ-2 હોસ્પિટલના નિર્માણમાં મન મૂકીને દાન આપવાની જાહેરાત કરી હતી. સમારોહમાં નવું દાન આપનારા દાતાઓનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. બરાબર સાંજે સાતના ટકોરે સમારોહના અધ્યક્ષ એવા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી શ્રીમનસુખભાઇ માંડવીયા, રાજ્યસભાના સભ્ય શ્રી ગોવિંદભાઇ ધોળકીયા, ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા, ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણી, મેયર શ્રી દક્ષેશ માવાણી સહિતના આગેવાનોનું આગમન મંચ પર થયું હતું.
કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ રાહતદરે તબીબી સેવા પૂરી પાડવી અને દિકરીઓના જન્મ માટે એક પણ રૂપિયો ચાર્જ નહીં લેવાની ડાયમંડ હોસ્પિટલની બાબતોને બિરદાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાના ભેખધારી સંસ્થાઓની સમાજને તાતી જરૂરીયાત છે. તેમણે કિરણ-2 હોસ્પિટલ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમારોહને સંબોધતા શ્રી મનસુખભાઇ માંડવીયાએ કહ્યું કે 200 કરોડથી વધુની રાહત ડાયમંડ હોસ્પિટલ દ્વારા સામાન્ય મધ્યમવર્ગના લોકોને આપવામાં આવી એ બહુ મોટી વાત છે. સુરતની ધરતી નોખી ધરતી છે, આ કર્ણની ધરતી છે, આ ધરતી પર પૂણ્ય અને સેવા આ ધરતીની વિશેષતા છે. 25 વર્ષનો જાહેર જીવનનો અનુભવે છે, કદાચ સૌરાષ્ટ્રમાં ક્યારેય પૂર્ણ્ય દાન ન કર્યું હોય પરંતુ, સુરતની ધરતી પર આવી ગયા અને મંચ પર બેઠા એટલે દાન કરવાનું શરૂ કરી દે છે. પૂણ્ય દાન કરવું બીજાનો સહયોગ કરવો એ ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, જીવન શૈલીનો ભાગ છે. જરૂરીયાતમંદ લોકોને સહયોગ કરવો એ આપણા સંસ્કાર છે. તેમણે અમેરીકા અને ભારતના તબીબી ખર્ચના ઉદાહરણો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે સુરતમાં 30 ચેરીટી હોસ્પિટલો છે, જેમાં 50 ટકા જેટલું કામ રાહત દરે કરવામાં આવે છે. અહીં સ્વાસ્થ્ય એ સેવા છે, ધંધો નથી. સંસ્કારએ ભારતની સભ્યતા છે. કોવીડ આવ્યો ત્યારે આખી દુનિયા સાથે વાતો થતી, દરેક દિવસે દુનિયા પૂછતી કે ભારતમાં કેવું છે, ભારતમાં ડોક્ટરો હોસ્પિટલમાં આવે છે, દુનિયામાં ડોક્ટરો અને નર્સો રજા પર હતા, આપણા દેશમાં કોવીડમાં રોગીઓની સેવા કરતા કેટલાય ડોક્ટરો પોતાના પ્રાણના ભોગે ફરજ બજાવતા રહ્યા. તેમણે સંસ્થાને 600 બેડની હોસ્પિટલ કરો એવી હાકલ સાથે કહ્યું કે આટલા બેડ થશે તો 50 સીટની મેડીકલ કોલેજને મંજૂરી આપવામાં આવશે. સી.પી.ભાઇ, દિનેશભાઇ નાવડીયા સહિત ડાયમંડ હોસ્પિટલ સાથે સંકળાયેલા, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સાથ સહકાર આપનારા તમામને અભિનંદન આપતા મનસુખભાઇ માંડવીયાએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.
સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત આર.ટી.એસ.વી. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવનું આયોજન જ્યાં કરવામાં આવ્યું હતું એ કિરણ-2 હોસ્પિટલ જ્યાં નિર્માણ પામવાની છે એ લોકશન (ગ્રાઉન્ડ) પર આજે દશાબ્દી મહોત્સવમાં હકડેઠઠ માનવ મેદની ઉમટી પડી હતી. સાંજે 5 કલાકથી જ લોકોનું ગ્રાઉન્ડ પર આગમન શરૂ થઇ ચૂક્યું હતું. મહાનુભાવોની પણ એન્ટ્રી એક પછી એક શરૂ થઇ હતી અને જોતજોતામાં પ્રેક્ષાગાર અને મંચ બન્નેની તમામ બેઠકો ફુલ થઇ ગઇ હતી. સમારોહના આરંભે ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી.વાનાણીએ મહાનુભાવોનું સ્વાગત કરતા ડાયમંડ હોસ્પિટલની અત્યાર સુધીની કામગીરીનો ચિતાર આપ્યો હતો. એવી જ રીતે સંસ્થાના ઉપપ્રમુખ કેશુભાઇ ગોટીએ 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલે કેટલી રકમની રાહત આપી તેનો વિગતવાર ચિતાર આપ્યો હતો.
આ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલને દાન આપનારા દાતાશ્રીઓ, જુદાજુદા કાર્યોમાં સહકાર આપનારા આગેવાનો તેમજ ડાયમંડ હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહેલા તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું.
છેલ્લા 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલમાં જન્મેલી દિકરીઓની દર વર્ષની નામાવલી અનુસાર મહાનુભાવોના હસ્તે લકી ડ્રો કરવામાં આવ્યો હતો. અને 2014થી 2023 સુધીના વર્ષમાં પ્રત્યેક વર્ષની એક દિકરીની ચીઠ્ઠી ઉપાડીને ઇનામી ડ્રો કરવામાં આવ્યો હતો.
ડાયમંડ હોસ્પિટલ દ્વારા કમસેકમ રૂ.250 કરોડની રકમની રાહત દર્દીઓને તેમના મેડીકલ બિલમાં કરાવી આપવામાં આવી
છેલ્લામાં 10 વર્ષમાં 11.64 લાખ દર્દીઓને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી
ડાયમંડ હોસ્પિટલમાં જન્મલેનાર 2000થી વધુ દિકરીઓને રૂ.1-1 લાખના બોન્ડ સુપરત કરવામાં આવ્યા છે.
તા.22મી ફેબ્રુઆરી 2014ના રોજ જેની સ્થાપના થઇ હતી એ સુરત ડાયમંડ હોસ્પિટલ આરોગ્ય સમિતિ સંચાલિત RTSV ડાયમંડ હોસ્પિટલે સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે. દશાબ્દી વર્ષની પૂર્ણાહૂતિના વિરલ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલની તબીબી અને આરોગ્યલક્ષી સેવાઓને વધુ લોકાભિમુખ બનાવવાની નેમ સાથે દશાબ્દી મહોત્સવને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
વધુ માહિતી આપતા ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સી.પી.વાનાણી તેમજ સેક્રેટરીશ્રી દિનેશ નાવડીયાએ પત્રકાર પરીષદને સંબોધતા જણાવ્યું છે કે દશાબ્દી મહોત્સવનું આયોજન તા.17મી માર્ચને રવિવારે સાંજે 5.30 કલાકે કિરણ હોસ્પિટલ-2 ગ્રાઉન્ડ, લેક ગાર્ડન પાસે, ડિજિટલ વેલી, મોટા વરાછા મેઇનરોડ ખાતે કરવામાં આવ્યું છે. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં કમસેકમ 5000થી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
છેલ્લા 10 વર્ષમાં 11 લાખ 64 હજારથી વધુ દર્દીઓને ડાયમંડ હોસ્પિટલે જરૂરી જરૂરી તબીબી સેવા પૂરી પાડી છે. 26,556 ગર્ભવતી મહિલાઓની ડિલિવરી અત્યંત રાહત દરે કરી આપવામાં આવી છે. જુદાજુદા સમાજના લોકોને અંદાજે રૂ.250 કરોડથી પણ વધુ રકમની રાહત તબીબી સેવા, સુવિધાઓમાં કરી આપવામાં આવી છે. ડાયમંડ હોસ્પિટલમાં જન્મ લેનાર 2000 દિકરીઓને રૂ.1 લાખના બોન્ડ એનાયત કરવામાં આવ્યા છે.
શ્રી સી.પી.વાનાણી અને શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે અમને આનંદ છે કે દશાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે વધુ 400 દિકરીઓને 1-1 લાખના બોન્ડ વિતરણ કરવામાં આવશે. આગામી દિવસોમાં મોટા વરાછા વિસ્તાર ખાતે રત્નકલાકાર તેમજ દરેક સમાજના જરૂરીયાત મંદ પરીવારોને પરવડે તેવી સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકારના ભૂમિદાનથી નામકરણના મુખ્યદાતા કિરણ જેમ્સના વલ્લભભાઇ લાખાણી પરિવાર તથા ટ્રસ્ટી દાતાશ્રીઓના સહયોગથી રૂ.425 કરોડના ખર્ચે 450 બેડની કિરણ હોસ્પિટલ-2 અને નર્સિંગ કોલેજનું નિર્માણ કાર્ય ધમધમતું કરકી દેવાનું આયોજન છે.
આ પ્રસંગે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા સમારોહના અધ્યક્ષ તરીકે જ્યારે કિરણ જેમ્સના ચેરમેન શ્રી વલ્લભભાઇ એસ. લાખાણી, રાજ્યસભાના નવનિર્વાચીત સદસ્ય શ્રી ગોવિંદભાઇ ધોળકીયા અને આલિધ્રા ગ્રુપના શ્રી હંસરાજભાઇ ગોંડલિયા ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહેશે. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પુરુષોત્તમભાઇ રુપાલા, ગુજરાત ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, સુરતના સાંસદ અને કેન્દ્ર સરકારના મંત્રી શ્રીમતી દર્શના જરદોષ, રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઇ દેસાઈ, ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્યના મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા, મેયર સુરત શ્રી દક્ષેશભાઇ માવાણી અને સાંસદ બારડોલી શ્રી પ્રભુભાઇ વસાવા વિશેષ ઉપસ્થિત રહેશે.
વર્ષે 40,000થી વધુ વિદ્યાર્થીઓને મોબાઇલ અને ડ્રગ્સના દુષણથી થતી મુશ્કેલીઓ અને કોઇપણ વ્યક્તિને હેલ્થ ઇમરજન્સીમાં કેવી રીતે મદદ કરવી તે અંગેનું નોલેજ શેરીંગ કરાશે
ધો.8થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડ્રગ્સથી દૂર રહે, મોબાઇલના વ્યસની ન બને અને ઇમરજન્સીમાં દર્દીને કેવી રીતે ટ્રીટ કરી શકાય તેનાથી વાકેફ કરાશે
કિરણ હોસ્પીટલ દ્વારા સુરત શહેરની તમામ સ્કુલો તથા કોલેજોના ધો.8થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ હેલ્થકેર નોલેજ અભિયાનનો આરંભ આગામી શનિવારે સવારે 10 કલાકે કિરણ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે.
કિરણ હોસ્પીટલ દ્વારા સુરત શહેરની તમામ સ્કુલો તથા કોલેજોના ધો.8થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ હેલ્થકેર નોલેજ અભિયાનનો આરંભ આગામી શનિવારે સવારે 10 કલાકે કિરણ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે.વધુ માહિતી આપતા કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણી અને અગ્રણી શાળા સંચાલક સવજીભાઇ પટેલ સહિત અન્યોએ જણાવ્યું હતું કે આ એક એવું અભિયાન છે જેમાં કિરણ હોસ્પિટલ ખાતે દર શનિવારે તેના ઓડીટોરીયમમાં જુદી જુદી શાળાના 350 વિદ્યાર્થીઓના એક એવા બે સેશનમાં તબીબો વિદ્યાર્થીઓને હેલ્થકેરના આજીવન જરૂરી પાઠ ભણાવશે. જેમાં હાલમાં સુરતમાં વધી રહેલા ડ્રગ્સના દુષણને કારણે થતી સમસ્યાઓ, મોબાઇલના વધુ પડતા ઉપયોગને કારણે થતી મુશ્કેલીઓ ઉપરાંત આસપાસમાં કોઇક વ્યક્તિની તબિયત અચાનક બગડે તો ક્વીક રિસ્પોન્સ સ્વરૂપે શું કરવું અને શું ન કરવું તે અંગેનું નોલેજ શેરીંગ કિરણ હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવશે. કન્યા છાત્રાઓ માટે મહિલા તબીબો તેમના પ્રશ્નોનું નિરાકરણ તેમજ ખોટી માન્યતાઓ કે ભ્રમણાઓથી ગેરમાર્ગે ન દોરવાવા અંગે માહિતગાર કરશે.આ કાર્યક્રમમાં નિરંતર રીતે દશ શનિવારે બે સેશનમાં જારી રહેશે. સુરત શહેર જિલ્લા કે બહારગામની કોઇપણ શાળા તેમના વિદ્યાર્થીઓ માટે આ નોલેજ શેરીંગ સેશન ઓનલાઇન બુક કરાવી શકશે.
સુરતની સુમુલ ડેરી દિન પ્રતિદિન નવી ક્ષિતિજો સર કરી રહી છે. તા.14મી માર્ચ 2024ના રોજ સુમુલડેરી કેટલીક એવી સિદ્ધીઓ સર કરવા જઇ રહી છે કે જે ગુજરાત જ નહીં પરંતુ, સમગ્ર ભારતના લોકોની આઇસ્ક્રીમની જરૂરીયાતને પૂર્ણ કરવા માટે સક્ષમ હશે.
તા.14મી માર્ચ 2024ને ગુરુવારથી સુમુલ ડેરીના ઉપક્રમે કામરેજના નવી પારડી ખાતે અમુલ આઇસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ તેમજ સુુમુલ ડેરીના ભારતના સૌથી મોટા આઇસ્ક્રીમ કોન મેકીંગ પ્લાન્ટનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના હસ્તે કરવામાં આવશે.
અમુલ આઇસ્ક્રીમ પ્લાન્ટનું હાલનું 50 હજાર લિટર પ્રતિદિન ક્ષમતા તા.14મી માર્ચથી બમણી થઇ જશે અને દૈનિક 1 લાખ લિટર આઇસ્ક્રીમ ઉત્પન કરવાની ક્ષમતા હાંસલ કરી લેવામાં આવશે.
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ર૩, ર૪, રપ અને ર૬ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસીય ‘ઉદ્યોગ– ર૦ર૪’પ્રદર્શન યોજાયું હતું, જેનું આજરોજ સમાપન થયું હતું. ચાર દિવસીય ઉદ્યોગ પ્રદર્શનમાં દેશના જુદા–જુદા શહેરોમાંથી ર૦ હજારથી પણ વધુ બાયર્સે વિઝીટ કરતા પ્રદર્શનને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. જેને કારણે એકઝીબીટર્સને જુદા–જુદા સેગમેન્ટમાં ખૂબ જ સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી.
ઉદ્યોગ પ્રદર્શનમાં ત્રણ દિવસ દરમ્યાન ઇન્દોર, તેલંગાણા, કોલકાતા, ચેન્નાઇ, છત્તીસગઢ, દિલ્હી, ઇરોડ, હૈદરાબાદ, જોધપુર, જેતપુર, ઉદયપુર, અહમદનગર, અમૃતસર, પાણીપત, બેંગ્લોર, મુંબઇ, ભીવંડી, માલેગાંવ, નાસિક, નવાપુર, અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભાવનગર, ભરૂચ, વડોદરા, વલસાડ, રાજકોટ, સેલવાસા, વ્યારા વિગેરે શહેરોમાંથી બાયર્સ મુલાકાતે આવ્યા હતા. ઉદ્યોગ પ્રદર્શનમાં પહેલા દિવસે ૪૧૭૦, બીજા દિવસે પપ૮૦, ત્રીજા દિવસે ૭૧પ૦ અને ચોથા દિવસે ૩૧૮ર બાયર્સ મળી કુલ ર૦૦૮ર જેટલા બાયર્સ મુલાકાતે આવ્યા હતા, આથી એકઝીબીટર્સને ખૂબ જ સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી.
ઉદ્યોગ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઈલ એન્સીલરી, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જીનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્સ અને સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ ઉદ્યોગ એકઝીબીશનમાં પ્રથમ વખત ‘૩ E એક્ષ્પો’તરીકે અલગથી પેવેલિયન ફાળવવામાં આવ્યું હતું. જેમાં એનર્જી, એફિશિયન્સી અને એન્વાયરમેન્ટ માટેના પ્રોડકટ તેમજ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં પણ એકઝીબીટર્સને ઘણી સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી.
Reported on 24 February 2024
Reported on 22 February 2024
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ર૩, ર૪, રપ અને ર૬ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસીય ‘ઉદ્યોગ– ર૦ર૪’પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ચેમ્બરના ફલેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે, જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની ૧૪મી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ– ર૦ર૪’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અંકલેશ્વર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, વાપી, વલસાડ, મુંબઇ, ઠાણે, પૂણે, ગુરૂગ્રામ (હરિયાણા) અને ભોપાલના મળી ર૦૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા પાર્ટીસિપેટ કરવામાં આવ્યું છે. ઉદ્યોગ એકઝીબીશનમાં ‘૩ E એક્ષ્પો’ તરીકે અલગથી પેવેલિયન ફાળવવામાં આવ્યું છે. જેમાં એનર્જી, એફિશિયન્સી અને એન્વાયરમેન્ટ માટેના પ્રોડકટ તેમજ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.
‘ઉદ્યોગ–ર૦ર૪’ પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવાર, તા. ર૩ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં ઉદ્ઘાટક તરીકે કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડો. ફારૂક પટેલ પધારશે અને તેમના વરદ હસ્તે ઉદ્યોગ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ એન્ડ ટેકનોલોજી મેનેજમેન્ટના ડાયરેકટર અરૂણ ચૌધરી સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે. જ્યારે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન (NPCIL)ના સ્ટેશન ડાયરેકટર અજય કુમાર ભોલે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર ક્ષિતિજ મોહન સ્પેશિયલ ગેસ્ટ્સ તરીકે સમારોહની શોભા વધારશે. આ ઉપરાંત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરતના જનરલ મેનેજર એમ.કે. લાદાણી અને ટોરેન્ટ પાવર લિમિટેડ– સુરતના વાઇસ પ્રેસિડેન્ટ નિતિન માલકન અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં કુલ ૧,૧૦,૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં ઉદ્યોગ પ્રદર્શન યોજાયું છે. જેમાં ટેક્ષ્ટાઈલ એન્સીલરી, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જીનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્સ અને સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવશે.
ઉદ્યોગ એકઝીબીશનમાં ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટમાં ઓટોમેશન એન્ડ રોબોટિકસ, એસી એન્ડ ડીસી ડ્રાઇવ્સ, કેબલ્સ, સ્વીચ ગિયર્સ, ઇન્વર્ટર, યુપીએસ અને બેટરી વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે. એન્જીનિયરીંગ એન્ડ અલાઇડ સેગમેન્ટમાં મશીન ટૂલ્સ, ગિયર્સ એન્ડ મોટર્સ, ટેક્ષ્ટાઇલ એન્સીલરી, કોમ્પ્રેશર, પમ્પ્સ એન્ડ વાલ્વ, કટીંગ ટૂલ્સ, મશીન ટૂલ્સ એસેસરીઝ, એકસકલુઝીવ લેસર એન્ડ એડીટીવ મેન્યુફેકચરીંગ, વેલ્ડીંગ ઇકવીપમેન્ટ એન્ડ કોન્સુમેબલ્સ, પાવર ટૂલ્સ એન્ડ ફાસ્ટનર, ઇન્ડસ્ટ્રીયલ હાર્ડવેર મટિરિયલ હેન્ડલીંગ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્સ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરિટી, હેઝાર્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને એર પોલ્યુશન કન્ટ્રોલ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.
આ ઉપરાંત સર્વિસ સેગમેન્ટમાં બેન્કીંગ, ફાયનાન્સ એન્ડ ઇન્સ્યુરન્સ, ટૂરીઝમ, લોજિસ્ટીક એન્ડ વેર હાઉસિંગ અને આઇટી સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવશે. જ્યારે રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં સોલાર એનર્જી, વીન્ડ એનર્જી, બાયો–એનર્જી, હાઇડ્રો એનર્જી, જનરેટર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇલેકટ્રો કેમિકલ વિગેરે દરેક ઇન્ડસ્ટ્રી સબંધિત એનર્જી સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સને ઉદ્યોગ પ્રદર્શનમાં ગોલ્ડ સ્પોન્સર તરીકે કેપી ગૃપ તથા એસોસીએટ સ્પોન્સર તરીકે એનપીસીઆઇએલ અને જૈનમનો તેમજ એમએસએમઇ બેન્કીંગ સ્પોન્સર તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. જ્યારે ઉદ્યોગ એકઝીબીશન માટે સરકારના ઇન્ડેક્ષ્ટબી, મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ– ગુજરાત અને એસ.એસ.આઇ.સી.નો સહયોગ મળ્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. ૧૦થી ૧ર ફેબ્રુઆરી દરમ્યાન સરસાણા ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ’ અને ‘ફૂડ એન્ડ એગ્રીટેક’
એક્ષ્પો યોજાશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ– ર૦ર૪’ અને ‘ફૂડ એન્ડ એગ્રીટેક– ર૦ર૪’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની પરિકલ્પના રજૂ કરી તેને સાકાર કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૮૩ વર્ષથી ઉદ્યોગ – ધંધાઓના વિકાસ હેતુ પ્રયાસ કરતી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આરોગ્ય સબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપવાના ભાગ રૂપે ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન કર્યું છે. આ એક્ષ્પોના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે, હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની આરોગ્ય સબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ષ્પો થકી દક્ષિણ ગુજરાતમાં હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારનું હેલ્ધી વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ એકઝીબીશનમાં એક જ છત્ર નીચે સુરત સહિત દક્ષિણ ગુજરાત, ગુજરાત અને દેશના અન્ય શહેરોમાં મેડિકલ સુવિધાઓ કેટલી ઉપલબ્ધ છે? તેની જાણકારી મેળવી શકાશે. આ ઉપરાંત સુરતમાં મેડીકલ ટુરીઝમ વિકસાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શન થકી પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો છે. વિશ્વના જુદા–જુદા દેશોમાંથી બિન નિવાસી ભારતીયો અને બિન નિવાસી ગુજરાતીઓ સુરતમાં આવે છે અને તબીબી સારવાર પણ લે છે ત્યારે તેઓને સુરતની કઇ હોસ્પિટલમાં મેડીકલ ટુરિઝમ છે? તેના વિશે પણ વિસ્તૃત માહિતી મળી રહે તે હેતુથી પણ આ પ્રદર્શન યોજાયું છે. આ પ્રદર્શન થકી સુરતમાં મેડીકલ ક્ષેત્રે સ્પેશિયલ તબીબી સ્કીલ્સ, સ્પેશિયલ રોબોટ્સ અને સર્જરી તેમજ સારી મેડીકલ સર્વિસિસ મળી રહે છે તેની માહિતી એનઆરઆઇ, એનઆરજી અને દેશના અન્ય લોકો સુધી પહોંચાડી શકાશે.
ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ પ્રદર્શન થકી મેડીકલ સંસાધનોના ઉત્પાદકોને તેમજ સર્વિસ આપનારાઓને સીધું માર્કેટ પૂરું પાડવાનો હેતુ તો છે જ પણ તેની સાથે સાથે આ એકઝીબીશનને કારણે જાહેર જનતામાં તબીબી સારવાર માટેની જનજાગૃતિ કેળવાશે અને મેડીકલ ફેટર્નિટીને પણ તેનો લાભ થશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કઇ હોસ્પિટલની કયા રોગ માટેની સારવાર માટે શું વિશેષતા છે? તેની જાણ સામાન્ય લોકોને થશે, જેથી કરીને તેઓ સંબંધિત રોગની સારવાર માટે સંબંધિત હોસ્પિટલમાં લેતા થશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ભારત દેશ હવે ‘વિકસિત ભારત @ર૦૪૭’ની પરિકલ્પનાને સાકાર કરવા કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરવા જઇ રહયો છે ત્યારે માનનીય વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહયા છે. દેશના વિકાસમાં કૃષિ અને કૃષિકારોનું અનન્ય યોગદાન રહયું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય અને આગવી સૂઝબૂઝ થકી કૃષિ ક્ષેત્ર પ્રગતિના પંથે આગળ વધી રહયું છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કૃષિ ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ એગ્રીટેક એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષિ ઉદ્યોગ માટે હબ છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગ સાહસિકો તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા એકઝીબીટર્સને ગુજરાત સરકારની માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ સ્કીમનો લાભ પણ મળી રહેશે.
તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ પ્રદર્શનના આયોજન માટે ગુજરાતના આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરીયા, સુરતના મેયર દક્ષેશ માવાણી અને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલનું માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. સુરત શહેરમાં તેમજ રાજ્યમાં મેડીકલ ટુરિઝમને વિકસાવવા માટે આ પ્રદર્શન મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેના વિશે તેઓની સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ હતી અને તેઓનું પણ માર્ગદર્શન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મેળવવામાં આવ્યું હતું, આથી મેડીકલ ટુરિઝમને વિકસાવવા માટે સહિયારો પ્રયાસ કરવામાં આવી રહયો છે.
માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોનો ઉદ્ઘાટન સમારોહ શનિવાર, તા. ૧૦ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે યોજાશે. જેમાં ગુજરાત સ્ટેટ કો–ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડના ચેરમેન દિલીપ એન. સંઘાણી મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે. જ્યારે ધી સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન બળવંતભાઇ પટેલ અને સુરત – તાપી ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લિમિટેડના ચેરમેન માનસિંહભાઇ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મરે જણાવ્યું હતું કે, હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોનો ઉદ્ઘાટન સમારોહ શનિવાર, તા. ૧૦ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ બપોરે ૩:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે યોજાશે. જેમાં સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર દક્ષેશભાઇ માવાણી ઉદ્ઘાટક તરીકે પધારશે અને તેમના વરદ હસ્તે આ એક્ષ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહી સમારોહની શોભા વધારશે. જ્યારે ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડના એડીશનલ ડાયરેકટર ડો. આર.એન. દિક્ષીત અને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) ડો. આશિષ કે. નાયક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, હેલ્થ એન્ડ વેલનેસ પ્રદર્શનમાં આરોગ્યના ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ મળી ૬૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવ્યો છે. બીજી તરફ, ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોમાં ૧૦૦થી વધુ એકઝીબીટર્સે ભાગ લીધો છે. જેમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન એન્ડ કેનડ ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ એન્ડ ડ્રીન્કસ (નોન આલ્કોહોલિક), ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્સનું પ્રદર્શન કરવામાં આવશે.
‘હેલ્થ એન્ડ વેલનેસ’ એક્ષ્પોના ચેરપર્સન ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોમાં ભાગ લેનારા એકઝીબીટર્સ પર એક નજર કરીએ તો હોસ્પિટલ્સ, ડોકટર્સ, નર્સિંગ હોમ્સ, લેબ્સ (ડાયગ્નોસ્ટીક સેન્ટર્સ), બાયોમેડિકલ કંપનીઝ, હોસ્પિટલ ફર્નિચર, ઇમ્પોર્ટર એન્ડ એક્ષ્પોર્ટર, ફાર્મા કંપનીઝ, ઇન્સ્યુરન્સ કંપનીઝ, મેડિકલ આર્કિટેકટ્સ, મેડિકલ/હોસ્પિટલ કન્સલ્ટન્ટ, મેડિકલ ટુરીઝમ, આયુર્વેદા, હોમિયોપેથિક, ફિઝીયોથેરાપી સેન્ટર, આઇવીએફ સેન્ટર્સ, બેરિયાટ્રિક સર્જરી, પેઇન મેનેજમેન્ટ, હોમ કેર સર્વિસ પ્રોવાઇડર્સ, વેલનેસ સેન્ટર્સ, ન્યુટ્રિશન, કિલનિકલ રિસર્ચ, માર્કેટીંગ કંપનીઝ, જીમ – હેલ્થ કલબ, યોગા કલાસિસ, વેલનેસ ફુડ પ્રોડકટ, એચઆર રિકુ્રટર્સ – નર્સિસ એન્ડ સ્ટાફ, મેડિકલ કોલેજીસ, નર્સિંગ કોલેજીસ, ફિઝીયો કોલેજીસ, પેરામેડિકલ કોલેજીસ, એડમિશન એજન્સીઝ, ઓડિયોલોજી એન્ડ હિયરીંગ એડ, મેડિકલ લેજર્સ, ડેન્ટલ લેબ્સ, ટેલીમેડિસીન રેડિયોલોજી, સોફટવેર પ્રોવાઇડર્સ, મેડિકલ ફાયનાન્શીયલ પ્રોવાઇડર્સ, બ્લડ બેન્ક, મેડિકલ ડિવાઇસ કેલીબ્રેશન સર્વિસિસ, આયુષ એન્ડ અલ્ટરનેટીવ ટ્રિટમેન્ટ સેન્ટર, આઇટી ઇન મેડિકલ સેકટર અને મેન્ટલ હેલ્થની સર્વિસ આપનારાઓનો સમાવેશ થાય છે.
ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોના ચેરમેન કે.બી. પિપલીયાએ જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોની મુલાકાત લેવા માટે ફુડ પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીના મેન્યુફેકચરર્સ એન્ડ પ્રોફેશનલ્સ, એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેકચરર્સ, સપ્લાયર્સ એન્ડ એકસપર્ટ, ફુડ એન્ડ બેવરેજ પ્રોડયુસર્સ, ઇમ્પોર્ટર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ, એન્જીનિયર્સ/ટેકનોક્રેટ્સ, કન્સલ્ટન્ટ્સ એન્ડ એડવાઇઝર્સ, ફુડ કવોલિટી એસ્યોરન્સ પ્રોફેશનલ્સ, ઇન્ટરનેશનલ ડેલીગેટ્સ એન્ડ ડિપ્લોમેટ્સ, સીડ ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો, ટ્રેડર્સ, ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એક્ષ્પોમાં એકજ સ્થળે સુરતીઓને ૪૦૦થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવાનો મોકો મળશે.
‘તમાકુ મુકત ભારત’ અભિયાનની સાથે આ પ્રદર્શનમાં જીંગર પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે. તમાકુનું સેવન કરનારાઓ તમાકુથી મુકિત મેળવવા માટે વિવિધ પ્રયાસ કરે છે ત્યારે જીંજર પ્રોડકટ તેઓને તમાકુથી મુકિત અપાવવા માટે ઘણી ઉપયોગી સાબિત થશે. આ પ્રદર્શનમાં કેટલીક પ્રોડકટ એવી છે કે એકની ખરીદી પર બીજી વિના મૂલ્યે આપવામાં આવશે.
આ પ્રદર્શનથી ખાદ્ય ઉદ્યોગ, સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે ઉજળી તક મળશે. ભવિષ્યમાં ઉદ્યોગ સાહસિકોને પણ સારુ પ્લેટફોર્મ મળી રહેશે. કૃષિ ક્ષેત્રે એગ્રીકલ્ચર મશીનરી એન્ડ ઇકવીપમેન્ટ્સ, એગ્રો કેમિકલ્સ, પેસ્ટીસાઇડ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, કવોલિટી કન્ટ્રોલ સર્વિસિસ, હેન્ડલીંગ માટેના ઇકવીપમેન્ટ, માઇલીંગ એન્ડ મિકસીંગ, ડ્રાયર્સ, કલીનર, સિલોસ એન્ડ સ્ટોરેજ સિસ્ટમ્સ, ડેરી એન્ડ મિલ્ક પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ, એગ્રીકલ્ચર ઇકવીપમેન્ટ, ઇરીગેશન સિસ્ટમ્સ, બાયો ટેકનોલોજી, સીડ્સ એન્ડ પ્લાન્ટીંગ મશીનરી, ગ્રીન હાઉસિસ, પોલી હાઉસિસ, હાયડ્રોપોનિકસ એન્ડ એકવાપોનિકસ, નર્સરીઝ, સોલાર પ્રોડકટ્સ એન્ડ સોલ્યુશન્સ, ટેરેસ ગાર્ડનીંગ અને ડ્રોન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે.
–––––––––––––––––––––––––––––––––––––
હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો દરમ્યાન પબ્લીક અવેરનેસ પ્રોગ્રામ યોજાશે
ર૦થી વધુ વિવિધ મેડિકલ વિષયો પર વિવિધ નિષ્ણાંત તબીબો વકતવ્યો આપશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ– ર૦ર૪’ અને ‘ફૂડ એન્ડ એગ્રીટેક– ર૦ર૪’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. એકઝીબીશન દરમ્યાન રવિવાર, તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ સવારે ૧૦ઃ૩૦થી સાંજે પઃ૦૦ કલાક દરમ્યાન પબ્લીક અવેરનેસ પ્રોગ્રામ યોજાશે, જેમાં વિવિધ નિષ્ણાંત તબીબો મેડિકલ વિષયો પર પોતાનું વકતવ્ય રજૂ કરશે.
આગામી ફેબ્રુઆરી મહિનાની તા.10થી 12 દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે એક સાથે બે જુદા જુદા વિષયો પર બે એક્ષ્પોનું આયોજન એક જ સ્થળે કરીને ચેમ્બર ઓફ કોમર્સ એક નવો ઇતિહાસ સર્જવા માટે આગળ વધ્યું છે. તા.10થી 12 દરમિયાન શહેરમાં પહેલો હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો યોજાશે અને સાથે જ કન્વેન્શન સન્ટરમાં જ ફુડ એન્ડ એગ્રિટેક એક્ષ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બન્નેની થીમ અલગ હોવા છતાં ટાર્ગેટ ઓડિયન્સ સમાન હોવાનો મત ચેમ્બરના અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રમેશ વઘાસીયા, આઇપીપી હિમાંશુ બોડાવાલા, વીપી વિજય મેવાવાલા, સેક્રેટરી નિખીલ મદ્રાસી, ખજાનચી કિરણ ઠુમ્મર, બિજલ કાપડીયાએ સંયુક્તપણે જણાવ્યું હતું કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે.
કોરોના પછી બધાને આરોગ્યનું મહત્વ સમજાયું છે અને લોકો હવે આરોગ્યની જાળવણી માટે સજાગ થયા છે ત્યારે હેલ્થ સંબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપવાના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦ર૪’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, સરકારની આરોગ્ય સંબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે.
હેલ્થ એકઝીબીશન્સ ચેરપર્સન ડો. પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં આરોગ્યના ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ દ્વારા ભાગ લેવામાં આવશે. આશરે પ૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવશે. એક્ષ્પોમાં ભાગ લેનારા એકઝીબીટર્સ પર એક નજર કરીએ તો હોસ્પિટલ્સ, ડોકટર્સ, નર્સિંગ હોમ્સ, લેબ્સ (ડાયગ્નોસ્ટીક સેન્ટર્સ), બાયોમેડિકલ કંપનીઝ, હોસ્પિટલ ફર્નિચર, ઇમ્પોર્ટર એન્ડ એક્ષ્પોર્ટર, ફાર્મા કંપનીઝ, ઇન્સ્યુરન્સ કંપનીઝ, મેડિકલ આર્કિટેકટ્સ, મેડિકલ/હોસ્પિટલ કન્સલ્ટન્ટ, મેડિકલ ટુરીઝમ, આયુર્વેદા, હોમિયોપેથિક, ફિઝીયોથેરાપી સેન્ટર, આઇવીએફ સેન્ટર્સ, બેરિયાટ્રિક સર્જરી, પેઇન મેનેજમેન્ટ, હોમ કેર સર્વિસ પ્રોવાઇડર્સ, વેલનેસ સેન્ટર્સ, ન્યુટ્રિશન, કિલનિકલ રિસર્ચ, માર્કેટીંગ કંપનીઝ, જીમ – હેલ્થ કલબ, યોગા કલાસિસ, વેલનેસ ફુડ પ્રોડકટ, એચઆર રિકુ્રટર્સ – નર્સિસ એન્ડ સ્ટાફ, મેડિકલ કોલેજીસ, નર્સિંગ કોલેજીસ, ફિઝીયો કોલેજીસ, પેરામેડિકલ કોલેજીસ, એડમિશન એજન્સીઝ, ઓડિયોલોજી એન્ડ હિયરીંગ એડ, મેડિકલ લેજર્સ, ડેન્ટલ લેબ્સ, ટેલીમેડિસીન રેડિયોલોજી, સોફટવેર પ્રોવાઇડર્સ, મેડિકલ ફાયનાન્શીયલ પ્રોવાઇડર્સ, બ્લડ બેન્ક, મેડિકલ ડિવાઇસ કેલીબ્રેશન સર્વિસિસ, આયુષ એન્ડ અલ્ટરનેટીવ ટ્રિટમેન્ટ સેન્ટર, આઇટી ઇન મેડિકલ સેકટર અને મેન્ટલ હેલ્થની સર્વિસ આપનારાઓનો સમાવેશ થાય છે.
ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો ખેડૂતોના એક્ષ્પોર્ટર બનાવશે
ફુડ એગ્રિટેક એક્ષ્પોના ચેરમેન કે.બી. પીપલીયાએ જણાવ્યું હતું કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. આ એકઝીબીશનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે. ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોમાં કૃષિ ક્ષેત્રે એગ્રીકલ્ચર મશીનરી એન્ડ ઇકવીપમેન્ટ્સ, એગ્રો કેમિકલ્સ, પેસ્ટીસાઇડ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, કવોલિટી કન્ટ્રોલ સર્વિસિસ, હેન્ડલીંગ માટેના ઇકવીપમેન્ટ, માઇલીંગ એન્ડ મિકસીંગ, ડ્રાયર્સ, કલીનર, સિલોસ એન્ડ સ્ટોરેજ સિસ્ટમ્સ, ડેરી એન્ડ મિલ્ક પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ, એગ્રીકલ્ચર ઇકવીપમેન્ટ, ઇરીગેશન સિસ્ટમ્સ, બાયો ટેકનોલોજી, સીડ્સ એન્ડ પ્લાન્ટીંગ મશીનરી, ગ્રીન હાઉસિસ, પોલી હાઉસિસ, હાયડ્રોપોનિકસ એન્ડ એકવાપોનિકસ, નર્સરીઝ, સોલાર પ્રોડકટ્સ એન્ડ સોલ્યુશન્સ, ટેરેસ ગાર્ડનીંગ અને ડ્રોન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે.આ પ્રદર્શનમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન એન્ડ કેનડ ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ એન્ડ ડ્રીન્કસ (નોન આલ્કોહોલિક), ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્સનું પ્રદર્શન કરાશે.આ પ્રદર્શનમાં ૧૦૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લઈ રહયાં છે. આ પ્રદર્શનથી ખાદ્ય ઉદ્યોગ, સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે ઉજળી તક મળશે. ભવિષ્યમાં ઉદ્યોગ સાહસિકોને પણ સારુ પ્લેટફોર્મ મળી રહેશે. આ પ્રદર્શનમાં એકજ સ્થળે સુરતીઓને ૬૦૦થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવાનો મોકો મળશે.
સુરતમાં મેડિકલ ટુરિઝમ વિકસાવવાના ભાગ રૂપે ચેમ્બરનો પ્રથમ પ્રયાસ છે, NRI/NRG તથા સામાન્ય લોકોને સુરતની કઇ હોસ્પિટલમાં કયા રોગની સારવાર મળી રહે છે? તેના વિશેની માહિતી મળી રહે તે હેતુથી પ્રદર્શન યોજાશે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦-૦ર-ર૦ર૪થી ૧ર-૦2-૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, કોરોના પછી બધાને આરોગ્યનું મહત્વ સમજાયું છે અને લોકો હવે આરોગ્યની જાળવણી માટે સજાગ થયા છે ત્યારે હેલ્થ સંબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપવાના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦ર૪’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, સરકારની આરોગ્ય સંબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ષ્પો થકી દક્ષિણ ગુજરાતમાં હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં હેલ્ધી વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ ઉપરાંત સુરતમાં મેડીકલ ટુરીઝમ વિકસાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક પ્રયાસના ભાગ રૂપે પણ આ પ્રદર્શનનું આયોજન કરાયું છે. વિશ્વના જુદા–જુદા દેશોમાંથી બિન નિવાસી ભારતીયો અને બિન નિવાસી ગુજરાતીઓ સુરતમાં આવે છે અને તબીબી સારવાર પણ લેતા હોય છે ત્યારે તેઓને સુરતની કઇ હોસ્પિટલમાં મેડીકલ ટુરિઝમ છે તેના વિશે પણ વિસ્તૃત માહિતી મળી રહે તે હેતુથી પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં મેડીકલ ક્ષેત્રે સ્પેશિયલ તબીબી સ્કીલ્સ, સ્પેશિયલ રોબોટસ અને સારી મેડીકલ સર્વિસિસ મળી રહે છે તેની માહિતી એનઆરઆઇ, એનઆરજી અને દેશના અન્ય લોકો સુધી પહોંચાડી શકાશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન થકી મેડીકલ સંસાધનોના ઉત્પાદકોને તેમજ સર્વિસ આપનારાઓને સીધું માર્કેટ પૂરું પાડવાનો હેતુ તો છે જ પણ તેની સાથે સાથે આ એકઝીબીશનને કારણે જાહેર જનતામાં તબીબી સારવાર માટેની જનજાગૃતિ કેળવાશે અને મેડીકલ ફેટર્નિટીને પણ તેનો લાભ થશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કઇ હોસ્પિટલની કયા રોગ માટેની સારવાર માટે શું વિશેષતા છે? તેની જાણ સામાન્ય લોકોને થશે. જેથી કરીને તેઓ સંબંધિત રોગની સારવાર માટે સંબંધિત હોસ્પિટલમાં લેતા થશે.
તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મરે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનના આયોજન માટે ગુજરાતના આરોગ્ય મંત્રી ૠષીકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા, સુરતના મેયર દક્ષેશ માવાણી અને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર શાલીની અગ્રવાલનું માર્ગદર્શન મેળવવામાં આવ્યું છે. સુરત શહેરમાં તેમજ રાજ્યમાં મેડીકલ ટુરીઝમને વિકસાવવા માટે આ પ્રદર્શન મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેના વિશે તેઓની સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તેઓનું પણ માર્ગદર્શન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મેળવવામાં આવ્યું હતું. આથી મેડીકલ ટુરિઝમને વિકસાવવા માટે સહિયારો પ્રયાસ કરવામાં આવી રહયો છે.
ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં આરોગ્યના ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ દ્વારા ભાગ લેવામાં આવશે. આશરે પ૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવશે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સની ટીમે સુરતની સાથે ફલાઇટ કનેકટેડ શહેરોની પણ મુલાકાત લેવામાં આવી છે અને તે શહેરોની હોસ્પિટલની મુલાકાત લઇને તેઓને પણ પ્રદર્શનમાં ભાગ લેવા અનુરોધ કરાયો છે.
‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦ર૪’ના ચેરપર્સન ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોમાં ભાગ લેનારા એકઝીબીટર્સ પર એક નજર કરીએ તો હોસ્પિટલ્સ, ડોકટર્સ, નર્સિંગ હોમ્સ, લેબ્સ (ડાયગ્નોસ્ટીક સેન્ટર્સ), બાયોમેડિકલ કંપનીઝ, હોસ્પિટલ ફર્નિચર, ઇમ્પોર્ટર એન્ડ એક્ષ્પોર્ટર, ફાર્મા કંપનીઝ, ઇન્સ્યુરન્સ કંપનીઝ, મેડિકલ આર્કિટેકટ્સ, મેડિકલ/હોસ્પિટલ કન્સલ્ટન્ટ, મેડિકલ ટુરીઝમ, આયુર્વેદા, હોમિયોપેથિક, ફિઝીયોથેરાપી સેન્ટર, આઇવીએફ સેન્ટર્સ, બેરિયાટ્રિક સર્જરી, પેઇન મેનેજમેન્ટ, હોમ કેર સર્વિસ પ્રોવાઇડર્સ, વેલનેસ સેન્ટર્સ, ન્યુટ્રિશન, કિલનિકલ રિસર્ચ, માર્કેટીંગ કંપનીઝ, જીમ – હેલ્થ કલબ, યોગા કલાસિસ, વેલનેસ ફુડ પ્રોડકટ, એચઆર રિકુ્રટર્સ નર્સિસ એન્ડ સ્ટાફ, મેડિકલ કોલેજીસ, નર્સિંગ કોલેજીસ, ફિઝીયો કોલેજીસ, પેરામેડિકલ કોલેજીસ, એડમિશન એજન્સીઝ, ઓડિયોલોજી એન્ડ હિયરીંગ એડ, મેડિકલ લેજર્સ, ડેન્ટલ
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. ૬થી ૮ જાન્યુઆરી દરમ્યાન સરસાણા ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૪’ યોજાશે
‘સીટેક્ષ એક્ષ્પો’માં ૧૦૦થી વધુ એકઝીબીટર્સ ભાગ લેશે, મલ્ટી ફીડર સકર્યુલર નિટિંગ મશીન તથા એમ્બ્રોઇડરી અને જેકાર્ડ ફેબ્રિક માટે ઉપયોગી પોઝીશનલ ડિજીટલ પ્રિન્ટીંગ મશીન પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ૬, ૭ અને ૮ જાન્યુઆરી, ર૦ર૪ ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ નવમું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળશે. ‘સીટેક્ષ– ર૦ર૪’ એ ખરેખર વિકસિત ભારત @ ર૦૪૭ની દિશામાં એક મહત્વનું કદમ બની રહેશે, જે ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, પોઝીશન અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીન અને એસેસરીઝ, યાર્ન અને ફેબ્રિકસ જેવા તમામ સેકટર્સને આવરી લેવામાં આવ્યા છે, આથી જ અમને ટેક્ષ્ટાઇલ ઇનડસ્ટ્રીના તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ ર૦ર૪’નો ઉદ્ઘાટન સમારોહ તા. ૬ જાન્યુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે, જેમાં ઉદ્ઘાટક તેમજ મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના એડિશનલ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી એસ.પી. વર્મા પધારશે અને તેમના વરદ હસ્તે સીટેક્ષ એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત ઉદ્ઘાટન સમારોહમાં ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા અને ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમ તથા સ્ટોબલી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેકટર સુરજીત સિંઘ મહાજન અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી અને માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મરે જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં ભારતમાં જ બનાવવામાં આવેલી હાઇસ્પીડ ઇલેકટ્રીક જેકાર્ડ મશીનનું પ્રદર્શન કરવામાં આવશે. જેની વિવિધ વિશેષતાઓ જોઇએ તો આ હાઇસ્પીડ ઇલેકટ્રીક જેકાર્ડ મશીન ગડર લગાવ્યા વગર ઓછામાં ઓછી હાઇટ (૮.પ)માં ડાયરેકટ મશીન પર સરળતાથી ફીટીંગ કરી શકાય છે. આ ઉપરાંત આ મશીનરીને કારણે જેકાર્ડ લગાવવા માટે ગડર લગાવવાની જરૂર પડતી નથી. સાથે જ જેકાર્ડ હાઇટવાળા મકાનની જરૂર પડતી નથી. કોઇપણ હાઇટમાં ડાયરેકટ મશીન પર ફિટીંગ થઇ શકે અને જાળા (હાર્નેસ) કપાવવાનો કોઇ ડર રહેતો નથી.
ચેમ્બરના ગૃપ ચેરમેન તેમજ ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા ૪૦૦ આરપીએમવાળું તેમજ ર૬૮૮ હૂક ધરાવતું ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન અને તેની સાથે સુપર હાઇસ્પીડ ટીએફઓનું પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત મલ્ટી ફીડર સકર્યુલર નિટિંગ મશીન તથા એમ્બ્રોઇડરી અને જેકાર્ડ ફેબ્રિક માટે ઉપયોગી પોઝીશનલ ડિજીટલ પ્રિન્ટીંગ મશીન પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
સીટેક્ષ એકઝીબીશનના ચેરમેન સુરેશ પટેલ અને કો–ચેરમેન મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.૩૦ લાખ સ્કવેર ફૂટમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીલરલેસ એસી હોલમાં તથા બહાર અલગથી ઉભા કરવામાં આવેલા ડોમમાં ૧૦૦થી પણ વધુ એકઝીબીટર્સ દ્વારા ટેક્ષ્ટાઇલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે.
આ પ્રદર્શનના આયોજનમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને સર્જન અને સોલટેક્ષ ઉપરાંત સુરતના ટેક્ષ્ટાઇલ એસોસીએશનો જેવા કે ફિઆસ્વી, ફોગવા, ફોસ્ટા, સાસ્કમા, સાસ્મી, પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિમિટેડ, વેડરોડ આર્ટ સિલ્ક સ્મોલ કો. – ઓપ. ફેડરેશન, લિ. સુરત, ધી સાઉથ ગુજરાત યાર્ન ડીલર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત ટેકચ્યુરાઇઝર્સ વેલ્ફેર એસોસીએશન, કીમ–પીપોદરા વિવર્સ એસોસીએશન, માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશન, ધી સુરત ટેક્ષ્ટાઇલ કલબ, સુરત વણકર સહકારી સંઘ, સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશન, સુરત નેરો ફેબ્રિક એસોસીએશન, ધી ઉધના ગૃપ વિવર્સ પ્રોડયુસર કો–ઓપરેટીવ સોસાયટી, સાઉથ ગુજરાત ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન, સુરત મર્કન્ટાઇલ એસોસીએશન, શટલલેસ વિવર્સ એસોસીએશન, સુરત ઓટોલૂમ્સ વિવર્સ એસોસીએશન, ધી ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘ લિમિટેડ, સકર્યુલર નીટર્સ એસોસીએશન, સુરત એમ્બ્રોઇડરી એસોસીએશન, ધી સુરત યાર્ન બ્રોકર્સ એસોસીએશન, બોમ્બે માર્કેટ આર્ટ સિલ્ક કો–ઓપરેટીવ સોસાયટી, મેરીયોટ સુરત, સત્વ હોસ્પિટલ, એરલીન્ક અને આરકે ઇન્ફ્રાટેલનો સહયોગ પ્રાપ્ત થયો છે.
આવતીકાલ રવિવાર તા.29મી ઓક્ટોબરના રોજ આઇસીસી મેન્સ વર્લ્ડ કપ ક્રિકેટના ઉપક્રમે લખનૌ ખાતે રમાનારી ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની વન ડે મેચનો ફેન પાર્ક શહેરના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.
ફેન પાર્ક અંગે વધુ વિગતો આપતા સ્ટેડીયમ મિડીયા કન્વીનર મિતુલભાઇએ જણાવ્યું હતું કે શહેરના ક્રિકેટ રસીકો પોતાના પરિવારજનો સાથે સ્ટેડીયમ પરીસરમાં મોટા સ્ક્રીન પર લાઇવ મેચ નિહાળી શકશે. ફેન પાર્કમાં એન્ટ્રી બિલકુલ વિનામૂલ્યે આપવામાં આવશે. ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ ઉપરાંત ફૂટકોર્ટ તેમજ નાના બાળકો માટે ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.