CIA ALERT
19. April 2024

શિક્ષણ સર્વદા Archives - Page 2 of 48 - CIA Live

March 25, 2023
private-university.jpg
1min311

Jayesh Brahmbhatt 98253 44944

રાજ્ય સરકારે ગુજરાતમાં પાંચ નવી ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી આપી છે અને ગુજરાત યુનિવર્સિટી (સુધારા) બિલ, 2023 આગામી થોડા દિવસોમાં રાજ્ય વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ યુનિવર્સિટીઓ સાથે રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓની કુલ સંખ્યા 108 થશે. હવે પ્રાઇવેટ યુનિવર્સિટીઓની સંખ્યા 108 થઇ કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓ એવી છે કે જ્યાં કોલેજો કરતા ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે

  • 1. અમદાવાદમાં ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગ્લોબલ યુનિવર્સિટી
  • 2. અમદાવાદના સાણંદમાં કે.એન. યુનિવર્સિટી
  • 3. સૌરાષ્ટ્રમાં ભાવનગર ખાતે જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટી
  • 4. વડોદરામાં સિગ્મા યુનિવર્સિટી
  • 5. દક્ષિણ ગુજરાતમાં વાપીમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી

રાજ્ય સરકારની મંજૂરી પામનારી નવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં બે યુનિવર્સિટી અમદાવાદમાં છે. જેમાં એક અમદાવાદમાં ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગ્લોબલ યુનિવર્સિટી અને બીજી અમદાવાદના સાણંદમાં કે.એન. યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર ખાતે જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. મધ્ય ગુજરાતમાં વડોદરામાં સિગ્મા યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાતમાં વાપીમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

નવી યુનિવર્સિટીઓનું ઇન્સ્પેકશન, વેરિફિકેશન સહિતની પ્રક્રિયાઓ દરમિયાન સરકારી કમિટીએ એવું નોંધ્યું કે પાંચેય સ્થળો પર તમામ જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવી છે આથી તેમને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિવિધ સંસ્થાઓ અને કોલેજોમાંથી 11 વધુ અરજીઓ છે જે યુનિવર્સિટીનો દરજ્જો ઇચ્છે છે. સૂત્રોએ જણાવ્યું કે સરકાર આવતા વર્ષે પણ આ અરજીઓને મંજૂરી આપી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી જેવી મોટી યુનિવર્સિટી સાથે સંલગ્ન ગ્રાન્ટ-ઇન-એઇડ અને ખાનગી કોલેજો આ નવી યુનિવર્સિટીઓ સાથે જોડાણ લે તેવી શક્યતા છે.

March 18, 2023
cia_edu-1280x925.jpg
3min1099

કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરે તા.17 માર્ચ, 2023ના રોજ NATA 2023 તારીખો જાહેર કરી છે. આર્કિટેક્ચરના પહેલા વર્ષ પહેલા સેમેસ્ટર 2023ના બેચમાં પ્રવેશ ઇચ્છુકોએ નાટા (નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર) પ્રવેશ પરીક્ષા આપવી ફરજિયાત છે. ગયા વર્ષ 2022થી નાટા ત્રણ વખત લેવાનું શરૂ થયું છે. આ વર્ષે 2023માં પણ નાટા પરીક્ષા ત્રણ વખત લેવાશે.

2023ના વર્ષની પ્રથમ NATA પરીક્ષા તા.21 એપ્રિલ, 2023ના રોજ શેડ્યૂલ કરવામાં આવી છે. બીજી NATA 2023 પરીક્ષા 28 મે, 2023 ના રોજ લેવામાં આવશે, અને ત્રીજી NATA પરીક્ષા 09 જુલાઈ, 2023 ના રોજ લેવામાં આવશે. ત્રણેય પરીક્ષણો બે સત્રોમાં લેવામાં આવશે એટલે કે, સત્ર 1 સવારે 10 AM થી 1 PM દરમિયાન લેવામાં આવશે. અને સત્ર 2 બપોરે 2:30 PM થી 5:30 PM સુધી.

નાટા પ્રવેશ પરીક્ષા કુલ 200 માર્કસની લેવામાં આવે છે. જેમાં ક્વોલિફાય થવા માટે 200માંથી 50 માર્કસ લાવવા જરૂરી છે.

વેબસાઇટ અનુસાર NATA પરીક્ષા 2023 નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

The Council of Architecture has released a new NATA 2023 date on March 17, 2023. The National Aptitude Test in Architecture 2023 examination was earlier scheduled to be conducted on April 22, 2023, but in view of a public holiday on that date, the first NATA exam 2023 has been rescheduled to April 21, 2023.The examination dates have been announced for three tests and candidates who wish to appear for these tests can check the notification on the official website – nata.in.
“It is hereby informed to all concerned that due to a public holiday on 22nd April 2023, the Council of Architecture has decided to conduct the First Test of NATA 2023 on Friday, 21st April 2023. The candidates applying for registration of NATA may kindly take note of the same,” reads the CoA notification.

The second NATA 2023 exam will be held on May 28, 2023, and the third NATA exam will be conducted on July 09, 2023. All three tests will be conducted in two sessions i.e., Session 1 will be held from 10 AM to 1 PM and Session 2 from 2:30 PM to 5:30 PM.

The NATA Exam 2023 registration process is expected to begin shortly as per the website.

February 10, 2023
adm_guide-1280x874.jpg
11min275

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જેઇઇ મેઇન્સ પેપર-1, ફેઝ-1 2023ની પરીક્ષાના જાહેર થયેલા પરીણામ બાદ હાલ કેટલાક કોચિંગ ક્લાસીસોના સંચાલકો પોતાના વિદ્યાર્થીઓ 90 પર્સન્ટાઇલથી વધુ માર્કસ લાવ્યા હોવાના ગુણગાન ગાઇ રહ્યા છે. હકીકતમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજવું જોઇએ કે 90 પર્સન્ટાઇલ માર્ક આવે એ કોઇ ઉપયોગ સ્કોર નથી કે જે તમારી ઇચ્છિત બ્રાન્ચ કે કેમ્પસમાં પ્રવેશ અપાવી શકે. હકીકતમાં 95 પર્સન્ટાઇલ જેઇઇમાં આવ્યા પછી પણ કદાચ ટોપ ટેન કેમ્પસ કે કમ્પ્યુરની કોઇ બ્રાન્ચમાં એડમિશન મળવું અતિમુશ્કેલ છે.

કોચિંગ ક્લાસીસોવાળા ફક્ત પર્સન્ટાઇલ રેન્ક જાહેર કરે છે એવું કહેતા નથી કે એડમિશન ક્યાં મળશે, જેઇઇ એડવાન્સ માટે ક્વોલિફાય થવું એટલે એડમિશન મળી જવું એ માનવું ભૂલ ભરેલું છે

કોચિંગ ક્લાસીસોના સંચાલકો હવે પછીના વિદ્યાર્થીઓ અને વાલીઓને આકર્ષવા માટે 90 પર્સન્ટાઇલનો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓને પોસ્ટર બોય બનાવીને એક પ્રકારની જાળ બિછાવી રહ્યા છે.

અહીં વર્ષ 2022માં જેઇઇ મેઇન્સના રેન્કની સામે કેટલા પર્સન્ટાઇલ વિદ્યાર્થીઓએ મેળવ્યા હતા એ દુર્લભ ડેટા રજૂ કરવામાં આવ્યો છે જેના પરથી જાણી શકશો કે 95 પર્સનટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓનો રેન્ક 45 હજારથી પણ ઉપર છે. આઇઆઇટી, એનઆઇટી, ત્રિપલ આઇટી બધુ મળીને આખા ભારતમાં 40 હજાર જેટલી સીટો ઉપલબ્ધ છે.

RankPercentile
5699.998
7399.996
8899.995
10999.993
12999.992
19199.98
26999.97
39399.96
48299.95
58199.94
66399.93
76099.92
84799.91
95199.9
1,03699.89
1,12899.88
1,22599.87
1,30799.86
1,40799.85
1,48599.84
1,57199.83
1,65899.82
1,75799.81
1,82299.8
1,92599.79
2,01799.78
2,10999.77
2,18399.76
2,28899.75
2,36999.74
2,47399.73
2,55599.72
2,65599.71
2,72999.7
2,82899.69
2,92399.68
3,03499.67
3,12199.66
3,20699.65
3,29499.64
3,38999.63
3,46499.62
3,57199.61
3,63699.6
3,74499.59
3,85599.58
3,92899.57
4,00099.56
4,11499.55
4,20699.54
4,30099.53
4,41099.52
4,49199.51
4,57299.5
4,66199.49
4,75799.48
4,83999.47
4,91299.46
5,02199.45
5,09199.44
5,20599.43
5,27999.42
5,39999.41
5,46699.4
5,55099.39
5,63399.38
5,74599.37
5,80099.36
5,90199.35
6,00299.34
6,10899.33
6,18499.32
6,28999.31
6,37099.3
6,47399.29
6,55699.28
6,65399.27
6,74899.26
6,83599.25
6,94399.24
7,02499.23
7,09199.22
7,19399.21
7,31799.2
7,37499.19
7,46299.18
7,54399.17
7,61999.16
7,72399.15
7,82699.14
7,89799.13
7,99999.12
8,07899.11
8,19299.1
8,26699.09
8,35699.08
8,47299.07
8,54099.06
8,64699.05
8,71899.04
8,81699.03
8,91999.02
8,99699.01
9,11899
9,62298.94
10,50198.85
11,38198.75
12,36498.64
13,30598.54
14,18998.44
15,06698.35
15,93398.25
16,85998.15
17,76598.04
18,64897.94
19,54097.85
20,46397.74
21,39497.64
22,26997.54
23,21597.44
24,09297.34
24,95297.25
25,85797.14
26,70197.05
27,61096.94
28,49996.84
29,34796.75
30,22596.64
31,07596.56
31,94596.47
32,94996.34
33,93096.24
34,74396.14
35,60096.06
36,49895.95
37,33195.85
38,25795.76
39,11395.65
39,98095.56
40,87795.46
41,77395.35
42,71295.25
43,61595.16
44,53995.05
49,43594.48
58,40293.5
67,40892.49
76,37991.48
85,41490.5
94,70889.48
1,03,97188.45
1,13,10787.52
1,22,28386.47
1,31,57685.54
1,40,96084.52
1,50,34783.52
1,59,87382.51
1,69,55981.47
1,78,93680.52
1,88,66579.54
1,98,30178.5
2,07,68977.54
2,17,49676.57
2,27,92575.44
2,37,95074.44
2,47,91173.48
2,57,20172.45
2,66,19471.58
2,76,39870.63
2,86,58369.5
2,96,63768.5
3,06,95067.43
3,17,27566.36
3,26,71965.55
3,35,74964.46
3,45,82263.52
3,56,14162.53
3,65,82561.46
3,75,56960.43
3,84,59159.53
3,93,96358.49
4,03,61657.49
4,14,14956.52
4,23,78555.64
4,32,01854.57
4,41,57753.56
4,52,42452.41
4,62,10151.44
4,70,53850.52
4,79,18749.62
4,89,30348.63
4,99,37947.47
5,07,42746.58
5,16,44545.56
5,26,98544.47
5,36,54343.5
5,44,37942.51
5,53,51141.4
5,63,47040.52
5,71,96839.34
5,80,91138.56
5,90,18337.54
5,99,17936.33
6,08,68135.53
6,17,19534.37
6,25,36233.53
6,33,89632.59
6,43,36031.39
6,52,64730.52
6,60,17629.76
6,68,21028.61
6,77,75127.54
6,86,27026.66
6,94,04825.63
7,03,44924.71
7,13,42023.48
December 16, 2022
cia_edu-1280x925.jpg
2min451

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સત્તાવાર વેબસાઇટ – jeemain.nta.nic.in પર JEE મેઇન 2023 નોંધણી અને અરજી ફોર્મ બહાર પાડ્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા JEE મેઇન 2023 માટે ઑનલાઇન અરજી કરી શકે છે. JEE મેઇન 2023 રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2023 (રાત્રે 09:00 P.M. સુધી) છે.

JEE Main પરીક્ષાના સ્કોરથી નેશનલ ઇન્સ્ટીટ્યુટ્સ, ત્રિપલ આઇટી અને કેન્દ્ર સરકાર દ્વારા ફંડીંગ કરાતું હોય તેવી ઇજનેરી કોલેજોમાં પ્રવેશ મળી શકે છે. આઇઆઇટીમાં પ્રવેશ માટે જેઇઇ મેઇન્સ બાદ જેઇઇ એડવાન્સ્ડમાં સ્કોર લાવવો ફરજિયાત છે.

આ વર્ષે, NTA એ નક્કી કર્યું છે કે જેઇઇ મેઇન 2023 બે સત્રો એટલે કે સત્ર 1 (જાન્યુઆરી 2023) અને સત્ર 2 (એપ્રિલ 2023)માં યોજાશે. JEE મુખ્ય સત્ર 1 જાન્યુઆરી 2023 માટેની વિગતો ઉમેદવારોના સંદર્ભ માટે નીચે આપવામાં આવી છે:

JEE Main 2023 Registration Begins15 December 2022
JEE Main 2023 Application Form Submission Last Date12 January 2023 (up to 09:00 P.M.)
JEE Main 2023 Fee Payment Last Date12 January 2023 (up to 11:50 P.M.)
JEE Main 2023 Exam City Intimation NotificationSecond week of the January 2023
JEE Main 2023 Admit Card DateThird week of the January 2023
JEE Main 2023 Session 1 Exam Date24, 25, 27, 28, 29, 30 and 31 January 2023
JEE Main 2023 Exam Centre, Date, and ShiftAs indicated on Admit Card
JEE Main 2023 Answer Key DateTo be announced later
JEE Main 2023 Result DateTo be announced later
JEE Main Websiteswww.nta.ac.in, https://jeemain.nta.nic.in/
November 7, 2022
cia_edu-1280x925.jpg
1min345

ગુજરાતમાં એક તરફ 45 હજાર જેટલા ધો.12 બાયોલોજી સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ લઇને તેમાં કારકિર્દી ઘડવાની તીવ્ર ઇચ્છા છે પરંતુ, તેમની પાસે મેરીટ સ્કોર ન હોવાથી કોઇ કાળે પ્રવેશ મળે તેમ નથી, તેની બીજી તરફ આજે એવી વિગતો સપાટી પર આવી કે 1449 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને મેરીટના આધારે મેડીકલ, ડેન્ટલમાં કન્ફર્મ એડમિશન મળ્યું હતું પરંતુ, તેમણે નિર્ધારિત સમયમર્યાદામાં પ્રવેશ ફી ભરીને એડમિશન લીધું નહીં અને પ્રવેશ જતો કરતા શિક્ષણશાસ્ત્રીઓ પણ અચંબામાં પડી ગયા છે.ગુજરાતમાં મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રક્રિયાનો આજે પહેલો રાઉન્ડ પૂરો થયો હતો.

ગુજરાત સરકાર રચિત એડમિશન કમિટીએ મેડીકલ અને ડેન્ટલમાં એડમિશન લિસ્ટ ગઇ તા.29મી ઓક્ટોબરે જાહેર કર્યું હતું અને તા.6 નવેમ્બર સુધીમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા છે તેમને જરૂરી ફી ભર્યા બાદ હેલ્પ સેન્ટર પર જઇને ઓરિજિનલ ડોક્યુમેન્ટસ સબમિટ કરાવી લેવા માટે સૂચના આપી હતી. આજે 6 ઓક્ટોબરની અવધિ પૂર્ણ થયા બાદ એડમિશન કમિટીએ ડેટા ચકાસતા જાણવા મળ્યું કે ઓપન કેટેગરી સહિત જુદા જુદા વર્ગ-જ્ઞાતિના મળીને 1449 પ્રવેશાર્થીઓ કે જેમને ક્યાંકને ક્યાં મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમણે તેમનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી, આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કન્ફર્મ પ્રવેશ જતો કરતા સ્વાભાવિક છે કે કોઇને પણ આશ્ચર્ય થાય. કેમકે મેડીકલ ડેન્ટલની એક એક સીટ માટે સરેરાશ 8 વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા થાય છે ત્યારે 1449 વિદ્યાર્થીઓએ કન્ફર્મ પ્રવેશ જતો કર્યો હોવાની વાત સાહજિકતાથી ગળે ઉતરે તેવી નથી.જે વિદ્યાર્થીઓએ મેડીકલ ડેન્ટલમાં કન્ફર્મ પ્રવેશ જતો કર્યો છે તેમાં મેનેજમેન્ટ ક્વોટાની પણ અનેક બેઠકોનો સમાવેશ થાય છે. મેનેજમેન્ટ ક્વોટાનું સમગ્ર અભ્યાસક્રમનું પેકેજ સવાથી દોઢ કરોડ જેટલું થાય છે.

October 13, 2022
cia_edu-1280x925.jpg
1min273

‘કિટ’ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું છે. બુધવારે Dated 12/10/2022 ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ-2023 જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ‘કિટ’ દ્વારા ખૂબ જ સારું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે 2021 ‘કિટ’ 801+ની સ્થિતિમાં હતી, આ વર્ષે તેમાં 200 રેન્કનો સુધારો થયો છે અને તે હવે 601+ પર છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા શૈક્ષણિક વાતાવરણ, સંશોધન, નવીનતા, આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ અને ઉદ્યોગ સમાવેશ જેવા માપદંડોના આધારે રેન્કિંગ આપવામાં આવે છે.

આ વર્ષે ‘કિટ’ દ્વારા રજત જયંતીની ઉજવણી કરીને, આ સિદ્ધિ મેળવતા સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને કર્મચારીઓમાં ખુશી વ્યાપી છે. ટાઇમ્સહાયર એજ્યુકેશન વિશ્વની તમામ યુનિવર્સિટીઓ માટે આ રેન્કિંગ તૈયાર કરે છે. ગત વર્ષ કરતા વધુ સારું પ્રદર્શન કરીને, ‘કિટ’ આ વર્ષે દેશનાં પૂર્વ વિસ્તાર અને ઓડિશાની યુનિવર્સિટીઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ખૂબ જ ટુંકાગાળામાં આ યુનિવર્સિટીને વિશ્વની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની સમકક્ષ બનાવવા માટે ઘણા શિક્ષણવિદોએ ‘કિટ’ અને KISSના સંસ્થાપક અચ્યુત સામંતની પ્રશંસા કરી છે. વિદ્વાનોએ કહ્યું છે કે, સામંતની દીર્ઘ દૃષ્ટિના કારણે, ઓડિશાની એક યુનિવર્સિટીને આજે સ્થાપિત અને જૂની યુનિવર્સિટીઓને પાછળ રાખીને વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની સમકક્ષ બનાવી છે.

આ નિમિત્તેે સામંતે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના તમામ પ્રોફેસર, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોને કારણે આ સફળતા શક્ય બની છે. કિટ યુનિવર્સિટીના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ સંસ્થાપક સામંતના નિરંતર પ્રયાસો અને દૂરંદેશીતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ સામંતે કહ્યું છે કે, આ ‘કિટ’ની સફળતા છે.

October 12, 2022
cia_edu-1280x925.jpg
1min366

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44844

ઉચ્ચ શિક્ષણની હાટડી માંડીને બેઠેલા ધંધાદારી સંચાલકોને પ્રવેશાર્થીઓ કેવો ઝાટકો આપે છે એ જો જાણવું હોય તો સુરતમાં ભગવાન મહાવીર નામે પ્રાઇવેટ યુનિવર્સિટી ખોલીને બેઠેલા સંચાલકોને પૂછવું પડે. એક સમયે જુદી જુદી કોલેજોમાં પ્રવેશાર્થી પાસેથી તોતિંગ ડોનેશન લઇને પ્રવેશ આપનારા ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંચાલકોને આ વખતે ઇજનેરી અને હવે આર્કિટેક્ચરના પ્રવેશાર્થીઓએ જાકારો તો એવો આપ્યો છે કે સમખાવા પૂરતો એક પણ વિદ્યાર્થી મળ્યો નથી.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)એ બી.આર્ક.માં હાથ ધરેલી પ્રવેશ પ્રક્રિયા દરમિયાન પહેલો અને બીજો, આખરી રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂરી થઇ ગયા બાદ સુરતની ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં કુલ 90માંથી 90 સીટ ખાલી પડી છે. ખુદ એડમિશન કમિટીના ડેટા દર્શાવી રહ્યા છે કે બી.આર્કિટેક્ચરમાં એક પણ પ્રવેશાર્થીએ ન તો પહેલા રાઉન્ડમાં ન તો બીજા રાઉન્ડમાં ભગવાન મહાવીર કોલેજમાં એડમિશન તો દૂરની વાત પણ પસંદગીના લિસ્ટમાં પણ નથી મૂકી. એક પણ વિદ્યાર્થીએ ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજને ચોઇશ ફિલિંગમાં સામેલ કરી.

આ બાબત દર્શાવે છે કે ધંધાદારી સંચાલકો કે જેઓ વિદ્યાર્થીઓને સુવિધામાં વાઇફાઇ ફ્રી આપે છે પણ જ્યાં પ્રયોગ કરવાના હોય છે એ લેબોરેટરીના ઠેકાણા હોતા નથી, ફેકલ્ટીઓની યોગ્ય રીતે નિમણૂંકો કરતા નથી. ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંચાલકો વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપવામાં પણ અખાડા કરવા માટે પંકાયેલા છે. જોકે, હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ એ બાબતથી વાકેફ થવા માંડ્યા છે કે અન્ય કોઇપણ કોલેજ કે યુનિવર્સિટી ચાલે પણ ભગવાન મહાવીર તો નહીં જ, આ બાબત આર્કિટેક્ચર અને ઇજનેરી કોલેજને વિદ્યાર્થીઓએ આપેલા સખત જાકારા પરથી જણાયને રહે છે.

ગુજરાતમાં 2022 બી.આર્ક.ની બે રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી બાદ કોલેજવાર ખાલી બેઠકોનું ચિત્ર

October 8, 2022
cia_edu-1280x925.jpg
2min551

ગુજરાતમાં રાજ્ય સરકારની એડમિશન કમિટીએ વર્ષ 2022-23 માટે મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે. રજિસ્ટ્રેશન સાથે જ એડમિશન કમિટીએ ચારેય અભ્યાસક્રમોમાં કોલેજો, સીટો, ફી સહિતની વિગતો પ્રકાશિત કરી છે. આ વખતે ગુજરાતમાં હાઇએસ્ટ 35 કોલેજોમાં 6 હજાર સીટો ઉપલબ્ધ બની શકી છે.

MBBSની 35 કોલેજોમાં 6000 સીટ

ડેન્ટલની 13 કોલેજોમાં 1255 સીટ

હોમિયોપેથીની 28 કોલેજોમાં 2289 સીટ

આયુર્વેદિકમાં 37 કોલેજોમાં 3930 સીટ

September 30, 2022
sandeep-bhatt-iit-delhi.jpg
1min249

ભારત જ નહીં પણ વિશ્વભરના બુદ્ધિજીવીઓને માથું ખંજવાળતા કરી દે તેવી ઘટના બની છે. ગોલ્ડ મેડાલિસ્ટ એન્જિનિયર કે જેણે આઈઆઈટી દિલ્હીમાંથી બી.ટેક.નો અભ્યાસ ગોલ્ડ મેડલ મેળવીને પૂર્ણ કર્યો હતો એ સંદીપ કુમાર ભટ્ટે સંસારી જીવન ત્યજી દઇને સાધુ બની ગયા છે. તેમણે લગ્ન પણ કર્યા નથી. સાધુ બની ગયા બાદ સંદીપ ભટ્ટે પોતાનું નામ બદલી નાંખ્યું છે હવે તે સ્વામી સુંદર ગોપાલદાસથી ઓળખાય રહ્યા છે.
સંદીપ ભટ્ટ મૂળ બિહારના રહેવાસી છે. તેમણે કહ્યુ કે 2002માં આઈઆઈટી દિલ્હીમાંથી બીટેક કર્યુ, બીટેકમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યા. 2004માં એમટેક કમ્પલીટ કર્યુ. 2004થી 2007 વચ્ચે તેમણે એક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કર હતી.

સંદીપ ભટ્ટે કહ્યુ કે મશીનની ક્વોલિટી તો વધી રહી છે પરંતુ માણસની ક્વોલિટી ઘટી રહી છે. દર વર્ષે લાખો ક્રાઈમ થાય છે. આ એ વાતનુ પ્રમાણ છે કે માણસની ક્વોલિટી ખરાબ થઈ રહી છે. તેમણે કહ્યુ, હુ માનુ છુ કે ભણેલા ગણેલા લોકોએ સાધુ-સંત બનવુ જોઈએ. આખરે શુ કારણ છે કે મોટી-મોટી કંપની આઈઆઈટીના લોકો હાયર કરે છે. જો સમાજમાં સારાપણુ વધારવુ છે તો એવા લોકોએ પણ આગળ આવવુ જોઈએ.

જ્યારે તે એન્જિનિયરિંગ કરી રહ્યા હતા તો તેમણે નોટિસ કર્યુ કે તેમની આસપાસ એન્જિનિયર, ડોક્ટર, IAS, જજ, સાયન્ટિસ્ટ, નેતા તો ઘણા છે પરંતુ કોઈ એવી વ્યક્તિ નથી જે સમાજને અલગ રીતે માર્ગ બતાવી શકે. લોકોના ચરિત્રને સારુ કરી શકે. ધાર્મિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેઓ સંન્યાસી બન્યા.

September 30, 2022
mbbs_student_mysy.jpg
1min604

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં રૂ.બે લાખ અને કન્યા કેળવણી યોજનામાં રૂ.ચાર લાખ મળીને કુલ રૂ.૬ લાખની સહાય મળી

રાજ્યના તેજસ્વી, જરૂરિયાતમંદ અને યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને મુખ્યમંત્રા કન્યા કેળવણી નિધિ યોજના તેમની શૈક્ષણિક કારર્કિદી અને ભાવિ વિકાસના સંદર્ભમાં ખૂબ જ નિર્ણાયક અને ઉપયોગી સાબિત થઈ રહી છે, ત્યારે સુરતની તેજસ્વી વિદ્યાર્થિની બરીરા ખત્રીને પોતાના સ્વપ્ન સમાન MBBSના ઉચ્ચ અભ્યાસ માટે MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધી યોજના સાર્થક નિવડી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા લાભાર્થી બરીરાએ જણાવ્યું કે, MYSY અંતર્ગત રૂ. બે લાખની સહાય ઉપરાંત મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત વધારાની રૂ. ચાર લાખની સહાય મળી છે. અને એમ.બી.બી.એસમાં અભ્યાસ દરમ્યાન બંન્ને યોજનાના લાભ થતી કુલ રૂ.૨૭ લાખની શિષ્યવૃતિની સહાય સરકારશ્રી તરફથી મળશે.

વધુમાં બરીરાએ કહ્યું કે, તબીબી અભ્યાસમાં પહેલેથી જ રસ હોવાથી મહેનત કરી ધો.૧૨ સાયન્સમાં ૯૨ ટકા પ્રાપ્ત કર્યા હતા. ડોક્ટર બની સમાજની સેવા કરવાનું મારૂ અને પરિવારનું સપનું હતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ડોક્ટર બનીશ કે નહી તેના  પર પ્રશ્નાર્થ હતો. ત્યારે જ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા-સ્વાવલંબન યોજનામાં મલ્ટી ઉપયોગી સહાયની જાણકારી મળી એટલે હિંમત આવી અને સુરત મ્યુનિસિપલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સ્મીમેર)માં MBBSમાં એડમિશન લીધું. આ યોજના થકી વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં મને કુલ રૂ.૧૨ લાખની શિષ્યવૃતિ સહાય મળી છે.

 હાલ હું એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરૂ છું. મારી તબીબી ક્ષેત્રની કારકિર્દી પાછળ રાજ્ય સરકારની યોજનાઓ મદદરૂપ બની છે. MYSY યોજના થકી મારૂ ડોક્ટર બનવાનું સપનું હવે હું પુરૂ કરી શકીશ. આ યોજના ન હોત તો મારા માટે ડોક્ટર બનવાનો વિચાર કરવો પણ પોસાય તેમ ન હતો. મારો પરિવાર સરકારનું ઋણ ક્યારેય ચૂકવી નહી શકે. હવે ડોક્ટર બન્યા પછી સરકારની સાથે રહીને સમાજના જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર-સેવા કરીશ એમ બરીરાએ ઉમેર્યું હતું.

રાજ્ય અને કેન્દ્ર સરકારની આ પ્રકારની કલ્યાણકારી યોજનાએ રાજ્યના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે એવો સ્પષ્ટ મત બરીરાએ વ્યક્ત કર્યો હતો.