CIA ALERT
29. March 2024

આધ્યાત્મિક Archives - Page 2 of 31 - CIA Live

October 12, 2022
mahakaal.jpg
1min568

ઉજ્જૈનમાં 856 કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલા જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરનાં નવા પરિસર મહાકાલ લોક કોરિડોર વિકાસ પરિયોજનાનાં પ્રથમ અને ભવ્ય ચરણનું આજે 10-12-22 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાકાલ લોકનાં નિર્માણથી મંદિરનું કુલ ક્ષેત્રફળ અત્યારનાં 2.82 હેક્ટરથી વધીને 20 હેક્ટર કરતાં પણ વધી ગયું છે. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે રક્ષાસૂત્રથી બનાવાયેલા 1પ ફૂટ ઉંચા શિવલિંગની પ્રતિકૃતિનું મોદીએ રિમોટથી અનાવરણ કર્યુ ત્યારે આધ્યાત્મનું નવું આંગણું સૌ કોઈ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું થઈ ગયું હતું.

મહાકાલ લોકનાં લોકાર્પણ પ્રસંગની ગુંજ આજે દુનિયામાં પણ સંભળાઈ હતી. ભાજપે અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, બ્રિટન, યુએઈ, કેનેડા, હોલેન્ડ, કુવૈત સહિત 40 દેશોનાં પ્રવાસી ભારતીયો આ પ્રસંગનું જીવંત પ્રસારણ નિહાળી શકે તેની વ્યવસ્થા કરાવવામાં આવી હતી.

મહાકાલ લોક પરિયોજનાનાં પ્રથમ તબક્કામાં તીર્થયાત્રીઓને વિશ્વસ્તરીય આધુનિક સુવિધાઓ પ્રદાન કરીને મંદિરની મુલાકાતને અધિક સમૃદ્ધ અને સગવડતાભરી બનાવશે. આજે કોરિડોરનું લોકાર્પણ કરતાં પહેલા પ્રધાનમંત્રી મોદીએ મહાકાલ
ભગવાન શિવની પૂજાઅર્ચના કરી હતી. મોદી આશરે 6 વાગ્યે મંદિરનાં ગર્ભગૃહમાં ગયા હતાં અને પરંપરાગત ધોતી-કુર્તાનાં પરિધાનમાં હતાં. મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ત્યારે તેમની સંગાથે હતાં. નંદી પાસે બેસીને મોદીએ મહાદેવની પૂજા આરતી કરી હતી.

October 9, 2022
solar.jpeg
1min239

પુષ્યનક્ષત્રથી દિવાળીના પર્વની શરૂઆત થશે. આ વર્ષે દિવાળીના પર્વમાં તિથિમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ધનતેરસ 22 અને 23 ઓક્ટોબર એમ બે દિવસ ઉજવાશે. 22 ઓક્ટોબરે સાંજે 6.05 કલાકથી આસો વદ તેરસ તિથિ શરૂ થઈ રહી છે. જે 23 ઓક્ટોબરને સાંજે 6.03 કલાક સુધી રહેશે. એટલે કે 22 અને 23 ઓક્ટોબર એમ દિવસ ધનતેરસ રહેશે.
દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે ધોખો છે. એટલે કે એક દિવસ પડતર છે. એ ખાલી દિવસમાં સૂર્યગ્રહણ થવાનું છે. 24 ઓક્ટોબરે દિવાળી છે અને 26 ઓક્ટોબરે બેસતું વર્ષ છે. 25 ઓક્ટોબરને મંગળવારના રોજ ખંડગ્રાસ સૂર્યગ્રહણ થવાનું છે. સંવત 2078નું અંતિમ અને એકમાત્ર સૂર્યગ્રહણ છે જે ભારતમાં દેખાવાનું છે. પરિણામે મંદિરો અને ધાર્મિક ક્રિયાઓમાં વેધ પાળવાનો રહેશે.

ગ્રહણ જેવી ખગોળીય ઘટનાનું ધાર્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ મહત્વ રહેલું છે. 25 ઓક્ટોબરે થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ચર્ચાનો વિષય બન્યું છે કારણકે તે દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે છે. બંને શુભ તહેવારોની વચ્ચે ગ્રહણ આવી જતાં લોકોમાં પણ શુભ કાર્યોને લઈને અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. સંવત 2078માં કુલ પાંચ ગ્રહણ થયા છે, જે પૈકીનું છેલ્લું 25 ઓક્ટોબરને મંગળવારે થશે. તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારત, પશ્ચિમ એશિયા, યુરોપ, ઉત્તર-પૂર્વ આફ્રિકામાં દેખાશે.

ગ્રહણ સ્પર્શ બપોરે 2.28 મિનિટે થશે. ગ્રહણ મધ્ય સાંજે 4.29 કલાકે અને ગ્રહણ મોક્ષ સાંજે 6.32 કલાકે થશે. અગાઉ 19 નવેમ્બર 2021ના રોજ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થયું હતું, 4 ડિસેમ્બર 2021ના રોજ ખગ્રાસ સૂર્યગ્રહણ હતું. 30 એપ્રિલ 2022ના રોજ ખંડગ્રાસ સૂર્યગ્રહણ અને 16 મેએ થયેલું ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાયું નહોતું. હવે, 25 ઓક્ટોબરે થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે. જેથી મંદિરમાં ધાર્મિક વિધિ પ્રમાણે ક્રિયાઓ થશે. વેધ પાળવાનો હોવાથી મંદિરના મુખ્ય દ્વાર ગ્રહણ વખતે બંધ રખાશે.

આ વર્ષે કાળી ચૌદશ અને દિવાળી તેમજ નૂતન વર્ષ પણ તિથિના વિચિત્ર સંયોગ વચ્ચે ઉજવાશે. સોમવારે 24 ઓક્ટોબરે સાંજે 5.28 કલાક સુધી ચૌદશની તિથિ છે. રવિવારે સાંજે 6.04 કલાકથી સોમવારે સાંજે 5.28 સુધી ચૌદશની તિથિ છે. 24 ઓક્ટોબરે જ સાંજે 5.29 કલાકથી દિવાળી શરૂ થાય છે. એ જ દિવસે દિપમાલા અને દિપદાન થશે. ચિત્રા નક્ષત્રમાં દિવાળી પર્વ ઉજવાશે. મંગળવારે સાંજે 4.19 કલાક સુધી અમાસ ચાલશે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ હોવાથી વચ્ચેનો દિવસ ખાલી છે. બુધવારે નૂતન વર્ષ ઉજવાશે અને એ જ દિવસે બપોરે 2.43 કલાકથી બીજનો પ્રારંભ થશે.

September 30, 2022
sandeep-bhatt-iit-delhi.jpg
1min241

ભારત જ નહીં પણ વિશ્વભરના બુદ્ધિજીવીઓને માથું ખંજવાળતા કરી દે તેવી ઘટના બની છે. ગોલ્ડ મેડાલિસ્ટ એન્જિનિયર કે જેણે આઈઆઈટી દિલ્હીમાંથી બી.ટેક.નો અભ્યાસ ગોલ્ડ મેડલ મેળવીને પૂર્ણ કર્યો હતો એ સંદીપ કુમાર ભટ્ટે સંસારી જીવન ત્યજી દઇને સાધુ બની ગયા છે. તેમણે લગ્ન પણ કર્યા નથી. સાધુ બની ગયા બાદ સંદીપ ભટ્ટે પોતાનું નામ બદલી નાંખ્યું છે હવે તે સ્વામી સુંદર ગોપાલદાસથી ઓળખાય રહ્યા છે.
સંદીપ ભટ્ટ મૂળ બિહારના રહેવાસી છે. તેમણે કહ્યુ કે 2002માં આઈઆઈટી દિલ્હીમાંથી બીટેક કર્યુ, બીટેકમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યા. 2004માં એમટેક કમ્પલીટ કર્યુ. 2004થી 2007 વચ્ચે તેમણે એક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કર હતી.

સંદીપ ભટ્ટે કહ્યુ કે મશીનની ક્વોલિટી તો વધી રહી છે પરંતુ માણસની ક્વોલિટી ઘટી રહી છે. દર વર્ષે લાખો ક્રાઈમ થાય છે. આ એ વાતનુ પ્રમાણ છે કે માણસની ક્વોલિટી ખરાબ થઈ રહી છે. તેમણે કહ્યુ, હુ માનુ છુ કે ભણેલા ગણેલા લોકોએ સાધુ-સંત બનવુ જોઈએ. આખરે શુ કારણ છે કે મોટી-મોટી કંપની આઈઆઈટીના લોકો હાયર કરે છે. જો સમાજમાં સારાપણુ વધારવુ છે તો એવા લોકોએ પણ આગળ આવવુ જોઈએ.

જ્યારે તે એન્જિનિયરિંગ કરી રહ્યા હતા તો તેમણે નોટિસ કર્યુ કે તેમની આસપાસ એન્જિનિયર, ડોક્ટર, IAS, જજ, સાયન્ટિસ્ટ, નેતા તો ઘણા છે પરંતુ કોઈ એવી વ્યક્તિ નથી જે સમાજને અલગ રીતે માર્ગ બતાવી શકે. લોકોના ચરિત્રને સારુ કરી શકે. ધાર્મિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેઓ સંન્યાસી બન્યા.

September 26, 2022
amba.png
1min338

આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો આજે 26 સપ્ટેમ્બર 2022થી પ્રારંભ થયો છે. આજથી નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લિન્ન થશે જ્યારે ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. કોરોનાને પગલે છેલ્લા બે વર્ષથી રાસ-ગરબાનું ભવ્ય આયોજન થઇ શક્યું નહોતું. પરંતુ હવે આ વર્ષે કોઇ  નિયંત્રણ વિના રાસ-ગરબાને મંજૂરી આપવામાં આવતા ખેલૈયાઓનો ઉત્સાહ જબરદસ્ત છે.

નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દૈવશક્તિના વિજય માટે નવદુર્ગા, અંબિકા, જગદંબા, ભગવતી ચંડીકા જેવા અનેક નામોથી પૂજીએ છે તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર.નવરાત્રિના પ્રારંભ સાથે આવતીકાલથી શક્તિપીઠ અંબાજી, ચોટીલા, હરસિદ્ધિ માતા, અમદાવાદમાં ભદ્રકાળી સહિતના માતાજીનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટશે. જ્યોતિષીઓના મતે ઘટ સ્થાપન, અખંડ દીપ સ્થાપન, જ્વારારોપણ માટે આજે સવારે ૬ઃ૩૦ થી ૮ઃ૦૧ દરમિયાન અમૃત, સવારે ૯ઃ૩૧થી ૧૧ઃ૦૧ શુભ જ્યારે બપોરે ૧૨ઃ૦૭થી ૧૨ઃ૫૫ અભિજીત મુહૂર્તમાં પૂજન અર્ચન હર્ષોલ્લાસભેર થયા હતા..

નવરાત્રિના પ્રારંભે માતાજીના પૂજનમાં અનોખું મહત્વ ધરાવતું મહાન અને શુભ ફળ દેનારું ‘અંબિકા વીસા યંત્ર’ નું શુભ મુહૂર્તમાં સ્થાપન કરી નવરાત્રિ વખતે પૂજન કરવામાં આવે તો માં અંબિકાની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. જેના ફળસ્વરૃપે રોગ, શત્રુઓનો નાશ થાય છે. જેની સાથે ધન, ધાન્ય સંતતી, સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્યની વૃદ્ધિ થાય છે. નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. અમદાવાદ પ્રાચિન ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિના નવેય દિવસ દરમિયયાન માતાજીને અલગ શણગાર થશે. શક્તિપીઠ અંબાજીમાં આવતીકાલે સવારે ૯ થી ૧૦ઃ૩૦ દરમિયાન ઘટ સ્થાપન કરાશે. આ વખતે મહાઅષ્ટમી ૩ ઓક્ટોબર સોમવારના છે.

આ ઉપરાંત ચાચર ચોકમાં દરરોજ સાંજે ગરબા પણ યોજાશે. આમ, આજથી નવ દિવસ માતાજીની આરાધનાનો માહોલ જ જોવા મળશે. નવરાત્રિમાં અનેક સ્થાનેએ બેઠા ગરબાના પણ આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના નવેય નોરતા દરમિયાન અનેક ભક્તો ઉપવાસ પણ કરતા હોય છે.

September 25, 2022
societynews-1280x1040.jpg
5min3149

Jayesh Brahmbhatt

CIA Live ન્યુઝ વેબ અહીં એવી ગરબા ટ્યુન્સ મૂકી રહ્યા છે જે આ વખતે નવરાત્રી 2022માં નાના મોટા લગભગ દરેક ગરબા ગ્રાઉન્ડસ પર અચૂક સંભળાશે. ગુજરાત પહેલા વિશ્વમાં અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા, બ્રિટન ત્યાં સુધી કે આર્યલેન્ડ જેવા દેશમાં પણ ગરબા નાઇટ્સ યોજાઇ ચૂકી છે અને યોજાઇ રહી છે. આ વખતે ગરબા ટ્યુન્સમાં મ્યુઝિક્સ રિમિક્સનો ટ્રેન્ડ જબરદસ્ત ચાલ્યો છે અને તેમાં પણ ગુજ્જુ ગાયકો કિર્તીદાન ગઢવી, કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, ઓસમાન મીર, આદિત્ય ગઢવી જેવા અનેક કલાકારોની ગરબા ટ્યુન્સ જબરદસ્ત ક્રેઝી બની ચૂકી છે.

ગૌરી તમે મનડા લીધા મોહી રાજ

હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા…..

મોતી વેરાણા ચોકમાં, આવ્યા અંબે માં..

ગોરી રાધા ને કાળો કાન…

હો આવી ગઇ રાત….ભૂલો બધી વાત…..

ઇંધણા વીણવા ગઇ તી….

ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર…

કેસરીયો રંગ તને લાગ્યો એના ગરબા…

રંગ ભીની રાધા ને …..

નોન સ્ટોપ ગરબા પ્લે લિસ્ટ….

કિંજલ દવે….

September 25, 2022
chardham.jpg
1min231

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં ચારધામ યાત્રા બંધ કરવાની ફરજ પડી હતી. ૪૦૦ જેટલાં યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. આમાંથી મોટાભાગના યાત્રાળુઓ રાજસ્થાનના છે. ઉત્તર ભારતમાં હજુય વરસાદની આગાહી કરવામાં આવી છે. યેલ્લો એલર્ટ જારી કરાયો છે.

ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂસ્ખલન થયું હતું, ત્યાં ૪૦ યાત્રાળુઓ ફસાઈ ગયા હતા. જિલ્લા સરકારી તંત્રએ આખા રસ્તા પર તાત્કાલિક અસરથી વાહનવ્યવહાર બંધ કરી દીધો હતો. ઉત્તરકાશીમાં ગંગોત્રીધામથી પાછા ફરતા ૪૦૦ યાત્રાળુઓ ભૂસ્ખલનના કારણે ફસાઈ ગયા હતા. એક મોટી પહાડીમાંથી ભૂસ્ખલન થયું હતું, તેનો વીડિયો પણ યાત્રાળુએ બનાવ્યો હતો. જોકે, સદ્ભાગ્યે કોઈને ઈજા થઈ ન હતી. ભારે વરસાદ અને ભૂસ્ખલન પછી જ્યાં સુધી રસ્તો ચાલુ ન થાય ત્યાં સુધી ચારધામ યાત્રા અટકાવી દેવાની ફરજ પડી હતી. ચારધામ માટે નીકળેલા યાત્રાળુઓને સાવધાન રહેવાની સલાહ સરકારે આપી હતી. હવામાન વિભાગે ઉત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા જેવા રાજ્યોમાં યેલ્લો એલર્ટ જારી કરાયો હતો. ઉત્તર ભારતની કેટલીય નદીઓમાં પાણીનો જથ્થો વધી ગયો હતો, તેના કારણે નીચાળવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરાયા હતા. મોટાભાગના રાજ્યોમાં ખેડૂતોએ ચોમાસું પાક હજુ ઉતાર્યો નથી. ઉભા પાકને ભારે વરસાદથી નુકસાન થઈ રહ્યું હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી હતી. રાજસ્થાન, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, હિમાચલ આસામ, મેઘાલય, અરૂણાચલ, બિહાર સહિતના રાજ્યોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડયા હતા.

બીજી તરફ દિલ્હી-એનસીઆરમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડતાં જનજીવન ખોરવાયું હતું. કેટલાય રસ્તાઓમાં પાણી ભરાઈ જતાં વાહનો ફસાઈ ગયા હતા. ગુરૂગ્રામમાં એક કેબ સર્વિસ રોડમાં ફસાઈ ગઈ હતી. કેબમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાઈ જતાં કેબમાં સવાર પેસેન્જરે છતમાં ચડવું પડયું હતું. એ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. દિલ્હી-એનસીઆરમાં ટ્રાફિક પોલીસે ડિવાઈડર, ડાઈવર્ઝન વગેરેની એડવાઈઝરી બહાર પાડી હતી. મુંબઈના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડયો હતો. જોકે, પાણી ભરાયા ન હોવાથી જાહેર પરિવહનને કોઈ અસર પહોંચી ન હતી.

September 14, 2022
amba-1280x1700.jpg
1min309

શરૂઆત 26 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આ વખતે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે. આ વખતે નવરાત્રી પર એવા સંયોગ બની રહ્યા છે જેના લીધે નવ દિવસનો પર્વ રહેશે અને દસમા દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવશે. આ બધાની વચ્ચે સૌથી મહત્વપૂર્ણ હોય છે ઘટ સ્થાપના, જેને કુંભ મૂકવો અથવા કળશ સ્થાપના પણ કહેવામાં આવે છે. નવરાત્રીના (Navratri 2022) પહેલા દિવસે અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિ પર શુભ મુહૂર્તમાં કળશ મૂકવામાં આવે છે. તેવી માન્યતા છે કે તેનાથી નવરાત્રી પર માતાની ઉપાસના સફળ અને સિદ્ધિદાયક થાય છે.

અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિથી શરૂઆત 26 ઓગસ્ટથી થશે. સવારે 3.23 મિનિટથી પ્રતિપદા તિથિ શરૂ થશે. સવારે 7.30 કલાકથી 9 વાગ્યા સુધી રાહુ કાળ રહેશે. સવારે 6.11થી 7.41 સુધી અમૃત ચોઘડિયું છે. સવારે 9.12 કલાકથી લઈને 10.42 વાગ્યા સુધી શુભ ચોઘડિયું. તેવામાં સવારે 6.11 વાગ્યાથી 7.30 મિનિટની વચ્ચે અને પછી 9.12 વાગ્યાથી 10.42 કલાકની વચ્ચે કળશ સ્થાપના કરવું ખૂબ જ શુભ રહેશે. જો આ વિશેષ શુભ મુહુર્તમાં કળશ ન મૂકી શકો તો અભિજીત મુહૂર્તમાં 11.48 મિનિટથી લઈને 12.36 મિનિટની વચ્ચે ઘટ સ્થાપના કરી શકો છો.

આ વખતે નવરાત્રી પર અશ્વિન શુક્લ પ્રતિપદા તિથિથી સવારે સૂર્યોદય સમયે સર્વાર્થ સિદ્ધિ નામનો શુભ યોગ રહેશે. આ સાથે જ અમૃત સિદ્ધિ યોગ પણ પ્રભાવમાં રહેશે. સૌથી ઉત્તમ સંયોગ એ છે કે હસ્ત નક્ષત્ર આ દિવસે પૂરું થશે. માતા દુર્ગા હાથી પર પોતાના દિવ્ય લોકથી ધરતી પર આવશે.

સર્વાર્થ સિદ્ધિ યોગમાં સ્કંદ માતાની પૂજા કરવામાં આવશે. સ્કંદ માતાને સ્વામી કાર્તિકેયના માતા કહેવામાં આવે છે. તેવી માન્યતા છે કે જે પણ ભક્ત સ્કંદ માતાની પૂજા કરે છે તેમના સંતાનને હંમેશા સુખ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં સ્કંદ માતાની પૂજા કરવાથી તમારા સંતાનના તમામ કષ્ટ દૂર થશે અને કાર્ય સિદ્ધિના આશીર્વાદ મળશે. 2 ઓક્ટોબરે સર્વાર્થ સિદ્ધિ યોગ છે, જેમાં પૂજા કરવાથી સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે અને તમારા જીવનમાંથી અસુરરુપી ખરાબીઓનો અંત આવશે. પહેલી તેમજ ત્રીજી ઓક્ટોબરે રવિ યોગ થઈ રહ્યો છે. રવિ યોગનો સંબંધ સૂર્ય સાથે માનવામાં આવે છે અને આ શુભ યોગમાં પૂજા કરવાથી તમારા જીવનમાંથી તમામ પ્રકારના અંધકાર દૂર થશે. રવિ યોગમાં મા ભગવતીની પૂજા આરાધના શ્રેષ્ઠ ફળદાયી માનવામાં આવે છે. આ વખતે રવિ યોગમાં મા કૂષ્ટામાંડા, મા કાત્યાયની અને મહાગૌરીની પૂજા ભક્તો માટે શુભ ફળદાયી થવાની છે. જો તમારા મનમાં કોઈ પણ મનોકામના બાકી છે તો તેને શુભ તિથિ પર મા ભગવતીના વિવિધ સ્વરૂપોની પૂજા કરીને ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકો છો.

September 13, 2022
angaraki.png
1min244

વિક્રમ સંવંત ૨૦૭૮ની અંતિમ અંગારકી ચોથ

-ગણેશ મંદિરોમાં ભક્તો ઉમટશે : ગણપતિ અથર્વશીર્ષ, ગણપતિ સ્તોત્રના પઠનનું મહાત્મ્ય

ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે આવતીકાલે ઉત્તમ દિવસ છે.આવતીકાલે ૨૧ ચોથ કર્યાનું ફળ આપતી અંગારકી સંકષ્ટ ચતુર્થી છે.આવતીકાલે રાત્રે ૮ઃ૫૨ના ચંદ્રોદય છે.

વિક્રમ સંવંત ૨૦૭૮માં કુલ ૩ અંગારકી સંકષ્ટ ચતુર્થી આવે છે. જે પૈકીની પ્રથમ ૨૧ નવેમ્બરના આવી હતી જ્યારે બીજી ૧૯ એપ્રિલના હતી. હવે આવતીકાલે વિક્રમ સંવત ૨૦૭૮ની  અંતિમ અંગારકી ચોથ છે. આવતીકાલના શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી લાંબા સમયથી અટકેલા કાર્યો નિવધ્ને પૂર્ણ થાય છે.આ દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષ, શ્રીસંકષ્ટનાશન ગણપતિ સ્તોત્રનું પઠન પણ ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. આ સાથે જ આ દિવસે ગણેશયાગનું ભક્તિ-ભાવપૂર્વક અનુાન કરવાથી પણ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

ગણેશજીને પ્રિય એવી આ સંકટ ચોથનું વ્રત કરવાથી વિઘ્નો અને બંધનમાંથી પણ મુક્તિ મળે છે, તમામ કાર્ય સિદ્ધ થાય છે. ધન-ધાન્ય, સંતાનસુખ, સમૃદ્ધિ વગેરેની પણ પ્રાપ્તિ થાય છે.   આ દિવસે વિદ્યાસુખદાતા, ભગવાન ગણેશજી અને મનનાં સ્વામી એવા ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. ૨૧, ૫૧ કે ૧૦૮ વખત ગણેશજીનાં મંત્રનો જાપ પણ કરવામાં આવે છે.

August 31, 2022
siddhivinayak_Mumbai.jpg
1min366

દેશભરમાં આજે 31મી ઓગસ્ટ બુધવારથી ગણેશ ઉત્સવનો શુભારંભ થયો છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ કોઇ પણ પ્રકારના પ્રતિબંધ અને અંકુશ વગર આ વખત ગણેશ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા માટે લોકો ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. તેમાંય સુરત, ગુજરાત સમેત પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્રના મુંબઇ, પૂણે, નાગપુર સહિતના વિસ્તારોમાં ગણેશોત્સવની ભારે ધૂમ છે.

સીઆઇએ લાઇવ વેબસાઇટ તેમના વાચકો માટે મુંબઇના પ્રભાદેવી સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ બાપ્પાના દર્શન ઘરે બેઠા કરી શકે તે માટે અહીં લાઇવ દર્શનની વ્યવસ્થા કરી છે.

મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરની મહિમા અપરંપાર છે. આ ગણેશ ઉત્સવ દરમિયન તમે ઘરબેઠાં દરરોજ મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના દર્શનનો કરો…

સિદ્ધિ વિનાયક મંદિરના Live દર્શન..

August 31, 2022
ganapati-1280x720.jpg
1min233

દેશમાં એકબાજુ  ગણેશ ચતુથી પહેલાં ગણપતિ બાપ્પાના આગમનનો જયજયકાર ગુંજી ઊઠયો છે તેવા સમયે ભારતીય શેર બજારોમાં પણ મંગળવારે તેજીના જયજયકાર ગૂંજી ઉઠયા હતા. શેરબજારોમાં સોમવારનો મંદીનો કડાકો પચાવીને મંગળવારે  સેન્સેક્સ ૧૫૬૪.૪૫ પોઈન્ટ કૂદીને ૫૯૫૩૭.૦૭ જ્યારે નિફ્ટી ૪૪૬.૪૦ પોઈન્ટની છલાંગ લગાવી ૧૭,૭૫૯.૩૦ની ઊંચાઈએ પહોંચી ગયા હતા. ભારત સરકારની આર્થિક નીતિની દૂરંદેશી સાથે ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હોવાના અર્થશાસ્ત્રીઓ, ફંડોના પોઝિટીવ અર્થઘટને પગલે બજારમાં મંગળવારે તેજી જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધૂમ ખરીદી કરી હતી. આ સાથે સેન્સેક્સ, નિફટીમાં મંગળવારે વર્ષ ૨૦૨૨નો બીજો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો.

ભારતીય શેરબજારોમાં તેજીની સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૨૦ વર્ષના તળીયેથી ઉંચકાઈ ૫૧ પૈસાનો વર્ષ ૨૦૨૨નો સૌથી મોટો ઉછાળો નોંધાવી ૭૯.૪૫ પહોંચી ગયો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ પોણા ચાર ડોલર ઘટી આવ્યા સાથે શેરોમાં તેજીને વેગ મળ્યો હતો. શેરોમાં રોકાણકારોની સંપતિ પણ આજે એક દિવસમાં જ રૂ.૫.૬૮ લાખ કરોડ વધીને રૂ.૨૮૦.૨૫ લાખ કરોડની ઊંચાઈએ પહોંચી ગઈ હતી. જે ૧૮,ઓગસ્ટની રૂ.૨૮૦.૫૨ લાખ કરોડની વિક્રમી ઊંચાઈની નજીક પહોંચી ગઈ હતી.

ફુગાવાને લઈ અમેરિકાની તીવ્ર વ્યાજ દર વધારાની નીતિને લઈ ગત સપ્તાહમાં અમેરિકી શેર બજારોમાં કડાકા પાછળ ગઈકાલે ભારતીય શેર બજારોમાં અપેક્ષિત આંચકા આવ્યા હતા. પરંતુ ભારત અન્ય દેશોના આંતરિક મામલામાં દખલ દેતો નહીં હોવાથી અને ફુગાવાને અંકુશમાં રાખવા રશિયા પાસેથી સસ્તા ક્રુડની આયાત કરવી, ખાદ્ય ચીજોનો પુરવઠો જળવાઈ રહે એની ખાતરી માટેના આવશ્યક પગલાં લઈ અપનાવાયેલી આર્થિક નીતિની સરાહના કરી વિદેશી ફંડોએ ભારત મજબૂત આર્થિક સ્થિતિમાં હોવાના અર્થઘટન સાથે આજે શેરોમાં કેશમાં રૂ.૪૧૬૬ કરોડની જંગી ચોખ્ખી ખરીદી કરી હતી. સોમવારના કડાકાને લઈ હરખાયેલા મંદીવાળાઓને આજે તેજીવાળાઓએ મિચ્છામી દુક્કડમ કહેતાં હોય એમ શ્વાસ લેવા નહીં દેતી એકધારી તોફાની તેજી કરી હતી. સાર્વત્રિક તેજીએ તમામ સેકટરલ ઈન્ડેક્સ આજે પોઝિટીવ બંધ રહ્યા હતા.  બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટી ખરીદી થતાં બજાજ ફિનસર્વ  ૫.૪૭ ટકા, બજાજ ફાઈનાન્સ ૪.૮૬ ટકા, ઈન્ડસઈન્ડ બેંક ૪.૩૮ ટકા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ૩.૨૦ ટકા, આઈસીઆઈસીઆઈ બેંક ૩.૭૨ ટકા વધી આવતાં  બીએસઈ બેંકેક્સ ૧૪૫૮.૮૪ પોઈન્ટની છલાંગે ૪૫૨૯૫.૮૮ની ઊંચાઈએ બંધ રહ્યો હતો. જ્યારે ચોમાસું ચાલુ વર્ષે સફળ રહેતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે બ્રેન્ટના પોણા ચાર ડોલર ઘટીને ૧૦૧.૩૫ ડોલર થઈ જતાં અને નોમુરાએ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે  ઉજળું ભાવિ રજૂ કરી પેસેન્જર વાહનોના વેચાણમાં ૨૯ ટકા વૃદ્વિનો અંદાજ મૂકતાં ઓટોમોબાઈલ શેરોમાં ફંડો, મહારથીઓની આક્રમક ખરીદી થઈ હતી. ટાટા મોટર્સ ૩.૮૯ ટકા, મારૂતી ૨.૯૩ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૫૦ ટકા, અશોક લેલેન્ડમાં ૩.૯૮ ટકા ભાવ ઉછળી આવતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૬૨.૦૪ પોઈન્ટ ઉછળીને ૩૦૩૩૪.૧૮ પહોંચી ગયો હતો. જ્યારે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ મોટી ખરીદીએ બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૧૬.૩૦ પોઈન્ટ  ઉછળી ૪૨૭૧૧.૪૨ પહોૅચી ગયો હતો.

વૈશ્વિક ફંડ બેંકિંગ-ઈન્વેસ્ટમેન્ટ જાયન્ટ બાર્કલેઝ દ્વારા ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્ર ૧૬ ટકાની આર્થિક-જીડીપી વૃદ્વિ હાંસલ કરશે એવી આગાહી કરતાં  વિશ્વભરના શેર બજારોમાં આજે સર્વાધિક ઉછાળો ભારતીય શેર બજારોમાં નોંધાયો હતો. અન્ય વૈશ્વિક શેર બજારોમાં એશીયામાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૩૧૭ પોઈન્ટનો ઉછાળો, હોંગકોંગનો હેંગસેંગ ૭૪.૧૯ પોઈન્ટ ઘટાડો, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૧૪ પોઈન્ટનો ઘટાડો, યુરોપના બજારોમાં સાંજેજર્મનીનો ડેક્ષ ૧૨૦ પોઈન્ટનો ઘટાડો, લંડનનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૨૭ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. અમેરિકી શેર બજારો સાંજે ખુલતામાં વધુ ઘટી આવી ડાઉ જોન્સ ૧૬૧ પોઈન્ટનો ઘટાડો અને નાસ્દાક ૬૪ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.