CIA ALERT
19. April 2024

ધો.10 પછી કઇ લાઇન પકડશો ? ધો.10ના વાલી-વિદ્યાર્થીઓએ જાણવું હોય તો શનિવારે સાંજે પહોંચી જજો અડાજણની દાળીયા સ્કુલમાં

Share On :
Print Friendly, PDF & Email

અડાજણ-પાલ-રાંદેરના ધો.10ના વિદ્યાર્થીઓ માટે દાળીયા સ્કુલ યોજી રહી છે માર્ગદર્શક સંવાદ

આજે ઇન્ટરનેટના જમાનામાં બધી માહિતી હાથવગી છે પણ એના અર્થઘટન અને વર્ગીકરણમાં મોટાભાગના મુશ્કેલીઓ અનુભવે છે. પરીક્ષા પદ્ધતિ બદલાય છે, આર્ટ્સ ,કોમર્સ ,સાયન્સ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ વગેરે ટ્રેન્ડ પણ બદલાય છે! ત્યારે દસમા ધોરણ પછી પોતાના રસ-રુચિ મુજબનું કયું ફિલ્ડ પસંદ કરવું? કયા ક્ષેત્રે પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકાય જેવા ઘણા પ્રશ્નોથી વિદ્યાર્થી અને વાલીઓને ખૂબ જ મૂંઝવણ થાય છે.

વાલી અને વિદ્યાર્થીઓની આ અકળામણ અમે અનુભવી છે અને એટલે જ ધોરણ 10 પછી બાળકોને પોતાની કારકિર્દીનો શ્રેષ્ઠ વિકલ્પ મળી રહે, એમને યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુથી સાર્વજનિક કેળવણી મંડળ, અડાજણ સંચાલિત શ્રીમતી એલ.એન.બી.દાળિયા હાઇસ્કૂલમાં આગામી ૧૪ ડિસેમ્બર શનિવારે સાંજે 6:30 કલાકે “ધોરણ 10 પછી પ્રગતિનો રાજમાર્ગ ” વિષય પર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્ય વક્તા તરીકે ખૂબ જ જાણીતા કારકિર્દી માર્ગદર્શક શ્રી જયેશભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સંપૂર્ણપણે નિ:શૂલ્ક રહેશે. સેમિનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શનની પુસ્તિકા પણ ભેટ રૂપે આપવામાં આવશે તો આસપાસની શાળાના તથા ક્લાસીસોના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને સેમિનારમાં ઉપસ્થિત રહી આ નિ:શૂલ્ક સેમિનારનો લાભ લેવા માટે વિનંતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :