શરાબી વરરાજાને માંડવેથી પાછો વાળનાર મહિલાનું બહુમાન
નશો કરીને પરણવા આવેલા શરાબી વરરાજાને માંડવેથી પાછો વાળનાર આદિવાસી મહિલાનું એણે દાખવેલી બહાદુર બદલ સંબલપુર જિલ્લા પ્રશાસને બહુમાન કર્યું હતું. મે 2019માં આ ઘટના નોંધાઇ હતી.
મમતા ભોઇ નામની 20 વર્ષની યુવતીએ નશો કરીને પરણવા આવેલા શરાબી વરરાજાને પરણવાનો નનૈયો ભણ્યા બાદ વરરાજા અને એના કુટુંબીઓને ખાલી હાથે પાછા ફરવું પડયું હતું. ગોવર્ધન બદામી ગામની રહેવાસી મમતાએ આ પ્રસંગે ભેગાં થયેલા લોકોને જણાવ્યું હતું કે પરણવાની ના પાડયા બાદ પોતે અનેક યુવતીઓ માટે પ્રોત્સાહનનું કારણ બનશે એવી તો એને કલ્પના પણ નહોતી.
લગ્નની ઘટના યાદ કરતા મમતાએ જણાવ્યું હતું કે જ્યારે મેં મંડપમાં વરરાજાને નશાની હાલતમાં જોયો ત્યારે તરત જ મેં એને ન પરણવાનો નિર્ણય લીધો હતો. એણે એટલો તો નશો લીધો હતો કે એ ઊભો પણ રહી શકતો નહોતો. મેં વિચાયું કે હું આવી વ્યક્તિની સાથે જીવન પસાર ન કરી શકું. મને નથી લાગતું કે મેં કશું ખોટું કર્યું છે.
મમતાની માસીએ જણાવ્યું હતું કે મમતાના નિર્ણયથી એના ગરીબ કુટુંબને આશ્ર્ચર્ય થયું હતું, પણ એમણે એને સાથ આપ્યો હતો. હવે મમતાના લગ્ન વ્રજરાજનગરની વ્યક્તિ સાથે નક્કી કરાયા છે.
સંબલપુરના એસપી સંજીવ અરોરાએ જણાવ્યું હતું કે દારૂડિયાને ન પરણવાનો નિર્ણય લઇને મમતાએ બધી ક્ધયાઓને એવો સંદેશ આપ્યો હતો કે એમણે પોતાના જીવનસાથીને પસંદ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જોઇએ. દારૂડિયા વ્યક્તિને પરણ્યા બાદ એમનું જીવન ઝેર બની જશે.
સંબલપુરના કલેક્ટર શુભમ સક્સેનાની હાજરીમાં મમતાનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મમતાને શાલ, પ્રશંસાપત્ર અને રૂ. 10,000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now