2019માં ભૂલકાવિહારમાં ધો.11 સાયન્સમાં એડમિશન લેવાની ઇચ્છા છે ? તો Follow કરો
કોઇ સ્કુલ તમને એવું કહી શકે કે તમે પહેલા એ બાબત ચકાસી લો કે અમે કેવી પદ્ધતિથી ભણાવીએ છીએ, અમે કેવું ભણાવીએ છીએ ?, અમારે ત્યાં કેવા પ્રકારની ફેસેલિટી છે?, આ બધી બાબતોની ખરાઇ કરવા માટે કોઇ શાળા 6-8 મહિનાનો સમય તમને આપી શકે આવા સવાલો અને તેના જવાબો આપવાની તસ્દી લે એવી સ્કુલ અને વળી એ પણ મોસ્ટ ડિમાન્ડેડ શાળા આવું કરી શકે… ?
કદાચ આવા પ્રશ્નોના મોટા ભાગે મળતા જવાબો ના માં હોય. પણ અમે અહીં સુરતના પાલ-ભાઠા રોડ પર આવેલી ભૂલકા વિહાર સ્કુલની વાત કરી રહ્યા છે. આઘુનિકતા સાથે પરંપરાગત શૈલીથી શિક્ષણ આપવા માટે જાણીતી અને સતત રચનાત્મક પ્રયોગ કરતી ભૂલકા વિહાર સ્કુલના સંચાલકોએ 2019-20માં શાળામાં ધો.11 સાયન્સમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આજે નીચે મુજબની નોટિસ જારી કરી છે જેના પરથી આખી વાતનો મર્મ સમજાશે.
હાલમાં ધો.10માં અભ્યાસ કરી રહેલા અને આગામી વર્ષે ધો.11 સાયન્સમાં ભૂલકા વિહાર શાળામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વાલીઓ માટે આગામી તા.25મી નવેમ્બર 2018ને રવિવારના રોજ સવારે 8.30 કલાકે શાળામાં એક ખાસ મિટીંગ રાખવામાં આવી છે. આ મિટીંગનો આશય વાલીઓને માહિતગાર કરવાનો છે એવી બાબતોથી કે જે ભૂલકા વિહાર શાળાની સક્સેસ સ્ટોરીના પીલર્સ છે. આ મિટીંગમાં ધો.11 સાયન્સના વિદ્યાર્થીઓએ આપવાની થતી જે.ઇ.ઇ. મેઇન્સ, જે.ઇ.ઇ. એડવાન્સ્ડ, નીટ, ગુજકેટ વગેરે જેવી બાહ્ય પ્રવેશ પરીક્ષાઓ ઉપરાંત ગુજરાતી, અંગ્રેજી બન્ને માધ્યમમાં શાળામાં કયા ફેકલ્ટી શું શીખવશે, શાળાના શિક્ષકો, તેમના સહાયકો, શાળાની શૈક્ષણિક તેમજ સહશૈક્ષણિક પ્રવૃતિઓ વગેરે મળીને બે વર્ષમાં કેવી રીતે બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરવામાં આવશે તેની આખી રેસીપી રજૂ કરશે. ધો.11-12 સાયન્સ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રત્યેક વિદ્યાર્થી પાછળ શાળા, શિક્ષકો, સહાયકો, શાળા દ્વારા નિમવામાં આવતા એક્સપર્ટસ વગેરે કેવા પ્રકારની મહેનત, કયા સમયગાળામાં કરતા હોય છે, કેવી રીતે અભ્યાસક્રમનું સમયસર સંચાલન, વિદ્યાર્થીઓને સ્પર્શતા પ્રશ્નો, સમસ્યાઓનું સમાધાન થાય છે વગેરે બાબતોથી ઝીણવટપૂર્વક માહિતગાર આજે કોણ કરવા તૈયાર હોય, આ બધું જ ભૂલકા વિહાર શાળામાં યોજાનારી મિટીંગમાં જાણવા મળશે.
2019 જૂન માસથી ગુજરાત બોર્ડ ધો.11 સાયન્સ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ સૌથી અગત્યની મિટીંગ બની શકે. ખાસ નોંધ એ પણ લેવાની કે આ મિટીંગ ભૂલકા વિહાર શાળાના વાલીઓ માટે નથી. ભૂલકા વિહાર શાળામાં ધો.10માં અભ્યાસ ન કરતા હોય એવા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ મિટીંગ યોજવામાં આવી છે.
ભૂલકા વિહાર શાળાએ આવું કરવાની કશી જરૂર નથી. આ શાળા ઇચ્છે તો એક નહીં ચાર-ચાર વર્ગોની સંખ્યા બેઠા બેઠા ભરી શકાય. પરંતુ, એવું નહીં જે રીતે વાલીઓની શાળા પ્રત્યે અપેક્ષા હોય છે તેવી જ રીતે શાળા પણ વાલીઓ પાસે કેટલીક ચોક્કસ અપેક્ષા રાખે છે, સૌથી મોટી અપેક્ષા એ જ હોય કે વાલી તેના બાળકને પૂરતો સમય આપે, શાળા જ્યારે બોલાવે ત્યારે સમયસર મિટીંગ એટેન્ડ કરે. સંચાલકો એવું સ્પષ્ટ રીતે સમજે છે કે બાળકનો સર્વાંગી વિકાસ એકલી સ્કુલથી સંભવ નથી. વાલીઓ પણ એટલું જ યોગદાન કરે કે જેથી વિદ્યાર્થીઓને સરળતાથી ભવિષ્યના પડકારો સામે લડવા માટે સજ્જ કરી શકાય.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now