CIA ALERT
25. April 2024
February 26, 20191min14080

Related Articles



‘ભારત કે વીર- એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમનું 28મી ફેબ્રુઆરીએ આયોજન

Share On :
Print Friendly, PDF & Email
શહીદ જવાનોના પરિવારના સહાયતાર્થે અભિનેતા અક્ષયકુમાર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ‘ભારત કે વીર- એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમનું 28મી ફેબ્રુઆરીએ આયોજન
ભારત કે વીર જવાન નામની વેબસાઇટ પર શહીદ થનારા પ્રત્યેક ભારતીય વીર જવાનની સઘળી વિગતો, બેંક અકાઉન્ટ નંબર વગેરે દર્શાવેલા હોય છે, કોઇપણ નાગરિક તેમને આર્થિક સહાય કરી શકે છે, સુરતના હર્ષ સંઘવી અને તેમના સમર્થકો દ્વારા આવા વીર શહીદોના પરિવારજનો માટે હાલ સુરતમાંથી દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે. તા.28મી ફેબ્રુઆરી 2019ના વનિતા વિશ્રામ ખાતેના કાર્યક્રમમાં આવનારા લોકો પણ  ભારત કે વીર જવાન નામના ચેક સાથે આવી ને તેમનું યોગદાન આપી શકે છે.
વધુમાં સુરત ખાતે યોજાયેલા એક પત્રકાર પરિષદમાં સુરત મજૂરાના એમ.એલ.એ. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પુલવામા ખાતે શહીદ થયેલા આપણા સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સુરતના આંગણે 28મી ફેબ્રુઆરીના રોજ ‘ભારત કે વીર-એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બોલીવુડના કેસરી એવા અભિનેતા અક્ષયકુમાર અને ગુજરાતના લોકપ્રીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમમાં દેશપ્રેમ, દેશ ભક્તિને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.
આયોજન અંગે માહિતી આપતા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે માતૃભૂમિની રક્ષા કાજે જવાનો વિકટ પરિસ્થિમા પણ સીમા પર અડગ રહીને ફરજ બજાવે છે. એટલું જ નહી પણ માતૃભૂમિની રક્ષા માટે પ્રાણની આહૂતિ પણ આપી દે છે ત્યારે દેશવાસી તરીકે આપણી સૌની ફરજ બને છે કે સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. પુલવામામાં થયેલ આત્મઘાતી આતંકી હુમલાથી આપણે સૌ વિચલિત છે. સાથે જ ભારત સરકાર પણ આ હુમલાનો અનેક રીતે જડબાતોઙ જવાબ આપી રહી છે. ત્યારે શહીદ જવાનોના પરિવારોના સહાયતાર્થે સુરત ખાતે 28મી ફેબ્રુઆરીએ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ‘ભારત કે વીર-એક શામ શહીદો કે નામ’ ચેરીટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિશેષ બાબત એ છે કે ખુદ બોલીવુડ અભિનેતા અક્ષયકુમાર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયબાઈ રૂપાણી ઉપસ્થિત રહેનાર છે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :