સુરતની 3 આર્કિટેક્ટ કોલેજોમાં રોકડા 16 પ્રવેશ, ભગવાન મહાવીર અને વિદ્યામંદિર કોલેજોને ફગાવી
જયેશ બ્રહ્મભટ્ટ
વિજ્ઞાન પ્રવાહના સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરત શહેરમાંથી પાસ થતાં હોઇ, કેટલાક ધંધાદારી લોકોએ સુરતમાં એવું વિચારીને કોલેજો શરૂ કરી દીધી કે વિદ્યાર્થી સંખ્યા મળી જશે અને દુકાન ચાલવા માંડશે. પરંતુ, ઢંગધડાવગરની કોલેજો શરૂ કરનારા સંચાલકોને પ્રવેશાર્થીઓ એવી ખો ભૂલાવી રહ્યા છે કે ધંધાદારીઓની દુકાન બંધ થવા માંડી છે. જેમકે એન્જિનિયરિંગમાં જેમની 85 ટકા સીટો ખાલી પડી રહી છે એ ભગવાન મહાવીર ગ્રુપના સંચાલકોની દાનત પારખી ગયેલા વિદ્યાર્થીઓએ આર્કિટેક્ચર પ્રવેશમાં પણ તેમને જાકારો આપ્યા છે.
સુરતની મહાવીર સ્વામી આર્કિટેક્ચર કોલેજને 2 પ્રવેશાર્થી મળ્યા
તાજેતરમાં રાજ્ય સરકારની પ્રવેશ સમિતિએ ફર્સ્ટ ઇયર બી.આર્ક કોલેજમાં પહેલા રાઉન્ડમાં ફાળવેલા પ્રવેશની માહિતી રજૂ કરી હતી. જેમાં ભગવાન મહાવીર ગ્રુપની મહાવીર સ્વામી આર્કિટેક્ચર કોલેજમાં ફક્ત બે વિદ્યાર્થીઓએ ચોઇશ ફિલિંગ કરી હતી અને બન્નેને પ્રવેશ મળ્યા છે એ સિવાય આ કોલેજની 96 ટકા સીટો ખાલી પડવા પામી છે.
ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજની કુલ 95માંથી 85 સીટો ખાલી
એવી જ રીતે ભગવાન મહાવીર ગ્રુપની બીજી આર્કિટેક્ચર કોલેજ ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં સ્ટેટ ક્વોટાની 95 બેઠકો પૈકી માંડ 10 વિદ્યાર્થીઓએ ચોઇશ ફિલિંગ કરતા તમામ દસેદસને પ્રવેશ મળી ગયો છે. આ કોલેજમાં 90 ટકા બેઠકો ખાલી પડી રહી છે.
ગુજરાતી એકમાત્ર મહિલા આર્કિટેક્ચર કોલેજ સુરતની વિદ્યામંદિર કોલેજમાં 4 પ્રવેશાર્થી
એવી જ રીતે મહિલાઓ માટેની આખા રાજ્યની એકમાત્ર સુરતની વિદ્યામંદિર વિમેન્સ આર્કિટેક્ચર કોલેજમાં સંચાલકો અને અધ્યાપકોની જોહુકમીઓથી કંટાળી ગયેલી સિનિયર વિદ્યાર્થીઓના અનુભવો જાણ્યા બાદ આ કોલેજમાં નવા વર્ષમાં કોઇ પ્રવેશ લેવાલ નથી. વિદ્યામંદિર વિમેન્સ કોલેજમાં કુલ 48 સીટ પૈકી ફક્ત 4 વિદ્યાર્થિનીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ કોલેજની પણ 92 ટકા સીટો ખાલી પડી રહેવા પામી છે. વિદ્યામંદિર કોલેજ માટે તો એવું સંભળાય છે કે આ કોલેજના અધ્યાપકો તીસમારખાં હોય એ રીતે વિદ્યાર્થિનીઓને પરેશઆન કરવામાં કશું બાકી રાખતા નથી. ભૂતકાળમાં અનેક વખત ગંભીર ફરીયાદો ઉઠી ચૂકી છે છતાં સંચાલકોએ અધ્યાપકોની સામે પગલાં ભરવાને બદલે વિદ્યાર્થિનીઓના પેરેન્ટ્સને બોલાવીને મોઢું બંધ કરાવી દેવાના ધંધા કર્યા હતા હવે એ સંચાલકોને પણ પ્રવેશાર્થીઓની ભીખ માંગવા જવું પડે છે.
ભગવાન મહાવીર અને વિદ્યામંદિર વિમેન્સ બન્ને કોલેજોના સંચાલકોની કુલ ત્રણ આર્કિટેક્ચર કોલેજો મળીને રોકડા 16 પ્રવેશાર્થીઓ ફાળવાયા છે. આ 16માંથી કેટલા પ્રવેશ લે છે એ પણ જોવાનું રહે છે.
ગજેરા બંધુઓની લક્ષ્મી વિદ્યાપીઠમાં એકપણ પ્રવેશાર્થી નહીં
સુરતના ગજેરા બંધુઓએ વલસાડ નજીક સ્થાપેલી લક્ષ્મી વિદ્યાપીઠની હાલત બી.આર્ક.ની પ્રવેશ કાર્યવાહીમાં સૌથી કંગાળ રહી છે. લક્ષ્મી વિદ્યાપીઠની આર્કિટેક્ચર કોલેજમાં કુલ 29 સીટ પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, 29 પૈકી 29 સીટો પહેલા રાઉન્ડના અંતે ખાલી પડી રહેવા પામી છે.
દક્ષિણ ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોમાં પહેલા રાઉન્ડના અંતે પરિસ્થિતિ
કોલેજનું નામ | સ્થળ | કુલ સીટ | પ્રવેશ ફાળવણી | ખાલી બેઠકો |
સ્કેટ કોલેજ | સુરત | 75 | 75 | 0 |
જીસી પટેલ, વીર નર્મદ યુનિ | સુરત | 95 | 93 | 2 |
ભગવાન મહાવીર કોલેજ | સુરત | 95 | 10 | 85 |
રમણ ભક્તા કોલેજ | બારડોલી | 71 | 21 | 50 |
લક્ષ્મી વિદ્યાપીઠ | વલસાડ | 29 | 0 | 29 |
વિદ્યામંદિર વિમેન્સ કોલેજ | સુરત | 48 | 4 | 44 |
મહાવીર સ્વામી કોલેજ | સુરત | 48 | 2 | 46 |
પી.પી.સવાણી યુનિ. | કોસંબા | 38 | 11 | 27 |
ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોમાં પહેલા રાઉન્ડના અંતે પરિસ્થિતિ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now