CIA ALERT
25. April 2024
July 13, 20191min3430

Related Articles



આસામના 700 ગામડાંમાં પૂર

Share On :
Print Friendly, PDF & Email

17 જિલ્લામાં 4 લાખને અસર હ વરસાદ ચાલુ રહેતાં વધુ વકરે તેવી વકી હ બીમારીઓમાં 14 બાળકનાં મૃત્યુ
આસામમાં પૂર પરિસ્થિતિ વધુ વણસી છે: રાજ્યના 17 જિલ્લાઓના આશરે સાતસો ગામડામાં વસતા ચાર લાખ લોકોને તેની માઠી અસર થઈ રહી છે. ગઈ કાલે પૂરથી 3 જણાના મૃત્યુ થયા હતા અને કેટલાક આવાસો નાશ પામ્યા હતા.
ગુવાહાટીમાંથી પસાર થતી બ્રહ્મપુત્ર નદી ચેતવણીસૂચક સપાટીએથી વહી રહી છે. હાલ તે હજી ભયસૂચક આંકે પહોંચી નથી પણ એકાદ બે દિવસમાં તે ભયસૂચક સપાટીને વળોટી જઈ શકે છે એમ ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટીના સેકશન ઓફિસરે જણાવ્યું હતું.
ધેમાજી, લખીમપુર, બિશ્વનાથ, જોરહાટ, દારંગ, બારપેટા, નલબારી, માજુલી, ચિરંગ, દિબ્રુગઢ અને ગોલાઘાટ વ. જિલ્લાઓને પૂર થકી માઠી અસર થઈ છે. દસ જુલાઈ સુધી રાજ્યની કુલ 13,267 હેકટર જેટલી જમીન પરનો પાક પૂરથી તારાજ થયાનું રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જણાવે છે. રાજ્યમાં વરસાદ’ ચાલુ રહેતાં પરિસ્થિતિ વધુ વણસવા વકી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. એકધારા વરસાદ અને પૂરની પરિસ્થિતિના વાંકે રાજ્યમાં એઈએસ અને જાપાની એન્સેફેલાઈટીસની બીમારીના કેસો વધતાં ઓછામાં ઓછા 14 બાળકો માર્યા ગયા છે અને 189 કેસ નોંધાયા છે. એનડીઆરએફ અને સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સને બચાવ તથા રાહત કામગીરી માટે તૈનાત કરાયા છે.
મુખ્ય મંત્રી સર્બનંદા સોનોવાલે અસરગ્રસ્ત જિલ્લાઓમાંની પૂર પરિસ્થિતિને તત્કાળ પ્રતિસાદ આપવા પોતાના જિલ્લાના કન્ટ્રોલ રુમ ચોવીસે કલાક સક્રિય રાખવાની તેમ જ હોસ્પિટલોમાંની દવાઓનો પુરવઠો અપડેટ રાખવા તથા તબીબો સુલભ રહે તે અંકે કરવા જિલ્લા કમિશનરોને તાકીદ કરી છે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :