ભ્રષ્ટાચારની બદનામી મળી, હવે ગુજરાત સરકાર જાગશે
ગુજરાતમાં નવા વર્ષે હવે લાંચિયા કર્મીઓ પર આવશે તવાઈ: લાંચ રુશવત બ્યુરો બનશે કડક
ગુજરાતમાં હવે ૨૦૨૦ના નવા વર્ષેથી રાજ્યના એન્ટિ કરપ્શન બ્યૂરો તેના નવા ફોર્સ સાથે લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે આગવી ઢબે તવાઈ બોલાવશે. એસીબીના ફોર્સમાં નવા વર્ષે ખાસ તાલીમ પામેલા ૪૪ જેટલા ઇન્સ્પેક્ટરો જોતરાશે.
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર તાજેતરમાં એસીબીના જ પોલીસ ઇન્સ્પેક્ટરની લાંચ કેસમાં ધરપકડ કરી નવું ઉદાહરણ સામે મૂકાયું છે ત્યારે નવા વર્ષમાં એસીબી પણ નવા રંગરૂપમાં જોવા મળશે. એસીબી નવા વર્ષમાં એવા વિભાગ સામે તવાહી લાવશે જે વિભાગોમાં ચાલુ વર્ષે એક પણ કેસ નથી થયો કે પછી જ્યાં ફરિયાદ ઓછી આવે છે. એસીબીએ આ કાર્ય માટે નવા ૪૪ પીઆઈને પણ ખાસ ટ્રેનિંગ આપી છે.
આ અંગે એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર જે વિભાગની અંદર વધુ ફરિયાદ આવે છે તેમાં કઈ રીતે ફરિયાદો દૂર કરી શકીએ તેના પર કામ ચાલુ છે અને જે વિભાગોમાંથી ફરિયાદ નથી આવતી ત્યાં કઈ રીતે કાર્યવાહી કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. ગુજરાત એસીબી છેલ્લા બે વર્ષમાં નવા રંગરૂપમાં જોવા મળી રહી છે અને અનેક ઉચ્ચ અધિકારીઓને જેલના સળિયા પાછળ મોકલી દીધા છે પરંતુ એસીબીની સામે એક વાત એવી આવી છે કે એવાં કેટલાક વિભાગ છે જ્યાં એક પણ કેસ થયો નથી અને એવા પણ વિભાગ છે જ્યાં એકલ-દોકલ કેસ થયો છે, ત્યારે એસીબી એ વિચારી રહી છે કે, આવા વિભાગમાંથી એસીબી પાસે કેમ કોઈ ફરિયાદ નથી આવતી? જેથી એસીબીને મળેલા નવા ૪૪ પોલીસ ઇન્સ્પેક્ટરને આ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને જે લોકો ખાનગી રાહે તપાસ કરી આવા વિભાગમાં જો ભ્રષ્ટાચાર ચાલતો હશે તો કાર્યવાહી કરશે.
એસીબીના આંકડાની વાત કરીએ તો આદિજાતિ વિકાસ, માર્ગ અને મકાન વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોનો વિભાગ, વિજ્ઞાન અને પ્રાયોગિક વિભાગ અને કલાઈમેન્ટ ચેન્જ વિભાગ એવા વિભાગો છે જ્યાં એક પણ ફરિયાદ એસીબીને મળી નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now