CIA ALERT
24. April 2024
December 22, 20191min3190

Related Articles



કાલે અમિતાભને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર

Share On :
Print Friendly, PDF & Email

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સોમવારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે.

અહીંના વિજ્ઞાનભવનમાં યોજાનારા વાર્ષિક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના કાર્યક્રમમાં અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરાશે.

માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકર પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સામાન્ય રીતે રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરાય છે. આમ છતાં, આ વખતે રાષ્ટ્રપતિ

રામનાથ કોવિંદ માત્ર વિજેતાઓ માટે ‘ચા-નાસ્તા’નો કાર્યક્રમ યોજવાના છે.

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને શ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરાઇ છે.

વિકી કૌશલને ‘ઉરી’ અને આયુષ્માન ખુરાનાને ‘અંધાધુન’ માટે સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાની ટ્રૉફી અપાશે.

કીર્તિ સુરેશને તેલુગુ મુવી ‘મહંતી’ માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરાયા છે.

આદિત્ય ધારે ‘ઉરી’ ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર જીત્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :