CIA ALERT
25. April 2024
August 15, 20191min5460

Related Articles



અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના દર્શન મોડી રાતના ૧.૩૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે

Share On :
Print Friendly, PDF & Email

ભાદરવી પૂર્ણિમાના મેળાને અનુલક્ષીને માતાજીના દર્શનનો સમયે વધારવામાં આવ્યો હતો.

સાત દિવસ ચાલનારા મેળા દરમિયાન દૂરદૂરથી પગપાળા ચાલીને માઈભક્તો અંબાજી દર્શને આવશે ત્યારે ભક્તો સવારે સવા છ વાગ્યાથી લઈને મોડી રાત્રે દોઢ વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકશે.

સવારે સવા છ વાગ્યાથી લઈને મોડી રાત્રે દોઢ વાગ્યા સુધી માતાજીના દર્શન

અંબાજી ભાદરવી પૂર્ણિમાનો મેળો આવતા મહિને તા.૮મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને સાત દિવસ ચાલશે. મેળાની પૂર્ણાહુતિ ૧૪ સપ્ટેમ્બરે થશે. દરમિયાન લાખોની સંખ્યામાં માઈભક્તોનું ઘોડાપૂર દર્શનાર્થે ઊમટશે એમ માનવામાં આવે છે ત્યારે એ દરમિયાન માત્ર સાંજના સમયે ૫ વાગ્યાથી ૭ વાગ્યા સુધી મંદિર બંધ રખાશે અને તે દરમિયાન સફાઈ કામગીરી કરાશે.

તા.૮મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને સાત દિવસ ચાલશે. મેળાની પૂર્ણાહુતિ ૧૪ સપ્ટેમ્બરે

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સાથેની બેઠકમાં મેળા દરમિયાન એક્સપાયરી ડેટનો માલ વેચાતો હોવાની અને ધર્મશાળાઓમાં ભાડા વધારી દેવાતા હોવાની ફરિયાદ ઊઠવા પામી હતી. તાજેતરમાં અમદાવાદના કાંકરિયા સ્થિત ડિસ્કવરી રાઈડ્સનો કાંડ થયો હતો તેવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવા ખાસ અનુરોધ કરાયો હતો.

ઉપરાંત આ વખતે મેળા દરમિયાન મંદિરમાં પ્રસાદના કાઉન્ટર વધારવા તેમ જ મંદિરમાં દર્શનની વ્યવસ્થામાં સુધારો કરવા માગ કરાઈ હતી. પોલીસ વિભાગ દ્વારા યાત્રીઓને પોલીસમિત્ર બની સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ભાદરવી પૂનમે ૩૦ લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને ધ્યાનમાંં લઈને પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરાશે. મેળામાં ઝૂમિંગ સીસીટીવીથી નજર રાખશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :