CIA ALERT
20. April 2024
August 12, 20191min3120

Related Articles



અમરનાથ યાત્રા ભલે બંધ હોય, સમાપન માટે છડી હેલિકૉપ્ટરથી લઈ જવાશે

Share On :
Print Friendly, PDF & Email

અમરનાથ યાત્રાનું સમાપન કરવાની પરંપરાને જીવંત રાખવા રાજ્યપાલે અમરનાથ યાત્રાની પ્રતીક મનાતી છડી મુબારકને હેલિકૉપ્ટર મારફતે અમરનાથ ગુફા સુધી લઈ જઈ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. 

પવિત્ર છડી મુબારક નિર્ધારિત કાર્યક્રમ મુજબ શનિવારે પહેલગામ નહોતી પહોંચી શકી. 

જોકે હવે પવિત્ર છડી મુબારકને હેલિકૉપ્ટર મારફતે પવિત્ર ગુફા સુધી પહોંચાડવામાં આવશે અને ૧૪ ઑગસ્ટે તે તેના વિશ્રામસ્થળ દશનામી અખાડાથી રવાના થશે. 

પવિત્ર ગુફામાં છડી મુબારકનો પ્રવેશ ૧૫ ઑગસ્ટ રક્ષાબંધનની સવારે થશે. 

આ સાથે જ બાબા બર્ફાનીના મુખ્ય દર્શન સાથે વર્ષ ૨૦૧૯ની વાર્ષિક અમરનાથ યાત્રા સંપન્ન થશે. 

નિર્ધારિત કાર્યક્રમ મુજબ પવિત્ર છડી મુબારકને દશનામી અખાડાના મહંત દીપેન્દ્ર ગીરીના નેતૃત્વમાં શનિવારે સવારે રવાના થવાની હતી, પરંતુ કાશ્મીરની બદલાતી પરિસ્થિતિને કારણે પહેલગામ નહોતી પહોંચી શકી. 

સામાન્ય રીતે પવિત્ર છડી મુબારક દશનામી અખાડાથી નીકળ્યા બાદ દુર્ગાનાગ, શ્રીનગર, સૂર્યહાર મંદિર, ઈંદિરાનગર, પામ્પોર શિવ મંદિર, બીજબિહાડા મંદિર સહિત માર્ગમાં આવતા તમામ પૌરાણિક અને મુખ્ય મંદિરોમાં પૂજા કરતા કરતા પહેલગામસ્થિત ગણેશબલ મંદિર પહોંચવાની હતી. ગણેશબલ પહોંચતા અગાઉ છડી મુબારકે મરતડ મંદિરમાં પણ ભવનાન સૂર્યનું અનુષ્ઠાન પૂરું કરવાનું હતું. 

બે દિવસ પહેલગામમાં વિશ્રામ કર્યા બાદ ૧૨ ઑગસ્ટે છડી મુબારકે આગળની યાત્રા કરવાની હતી અને શેષનાગ, પંચતરણી થઈને ૧૫ ઑગસ્ટે પવિત્ર ગુફામાં પ્રવેશ કરવાનો હતો, પરંતુ કાશ્મીરમાં બદલાઈ રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છડી મુબારકને હેલિકૉપ્ટર મારફતે ગુફા સુધી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :