Air India : UAEના પેસેન્જરો ચેક-ઇનમાં 40 કિલો વજન લઈ જઈ શકશે
ઍર ઇન્ડિયાની ફલાઇટ દ્વારા યુએઇ જનાર પ્રવાસીઓ હવે 40 કિલો ચેક-ઇન લગેજ લઇ જઇ શકશે. ઍર ઇન્ડિયાએ યુએઇ જનાર પ્રવાસીઓ માટે ચેક-ઇન લગેજની મર્યાદામાં 10 કિલોનો તાત્કાલિક ધોરણે વધારો કર્યો છે. આ ફેરફારનો લાભ મંગળવાથી ટિકિટ બુક કરાવનાર પ્રવાસીઓ લઇ શકશે.
ઍર ઇન્ડિયાના ચેરમેન અને સીએમડી અશ્ર્વિની લોહાનીએ ભારતીય સમુદાયે યોજેલા કાર્યક્રમ વખતે સોમવારે રાતે જણાવ્યું હતું કે અહીંના લોકોની માગણીને ધ્યાનમાં લઇને ઍર ઇન્ડિયા પ્રવાસીઓને હેન્ડ બેગેજ તરીકે 7 કિલો અને ચેક-ઇન લગેજ તરીકે 40 કિલો સુધીનો સામાન લઇ જઇ જવાની પરવાનગી આપશે.
આ કાર્યક્રમ વખતે ભારતીય સમુદાયે લોહાની પાસે ચેક-ઇન લગેજની મર્યાદા 30 કિલોથી વધારીને 40 કિલો કરવાની માગણી કરી હતી.
ઇંદોર-દુબઇ અને કોલકતા-દુબઇ ફ્લાઇટના ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય સમુદાયે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
ઇંદોરથી દુબઇ શિફ્ટ થયેલ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ઇંદોર માટેની સીધી ફ્લાઇટને લીધે પ્રવાસના સમયમાં સાડાત્રણ કલાકનો ઘટાડો થશે અને એ વાત આનંદદાયક છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now