કન્હૈયા સામે ચાલશે રાજદ્રોહનો કેસ : કેજરીવાલ સરકારની મંજૂરી
દિલ્હીની જવાહરલાલ નહેરુ યૂનિવર્સિટીમાં કથિત દેશ વિરોધી નારાના કેસમાં સ્પેશિયલ સેલને કેજરીવાલ સરકાર તરફથી મંજૂરી મળતા હવે જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર સામે રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવશે.
સ્પેશિયલ સેલને મંજૂરી આપવાની ફાઈલ લાંબા સમયથી વિલંબમાં હતી.’ આ મામલે દિલ્હી સરકારે ઉમર ખાલીદ, અનિર્બાન, આકિબ હુસૈન, મુજીબ, ઉમર ગુલ, બશરત અલી અને ખાલિદ બસીર સામે પણ રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવાની મંજૂરી આપી દીધી છે.
થોડો સમય પહેલા પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું હતું કે દિલ્હી સરકાર તરફથી રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવાની મંજૂરી મળવાની બાકી છે. જેના કારણે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે દિલ્હી સરકારને પત્ર લખીને વલણ સ્પષ્ટ કરવા કહેવામાં આવે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now