ગુજરાતમાં રાજ્યસભાની બેઠક 4, ઉમેદવારો 5
ગુજરાતમાં ૨૬ માર્ચે યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ત્રણ ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા અને નરહરિ અમીન અને કૉંગ્રેસના બે ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ તથા ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જોકે, આ તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું ચૂકી ગયા હતા. આમ ચાર સીટની ચૂંટણી માટે પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે.
ભાજપે જૂનાં કૉંગ્રેસી નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની ઉમેદવાર તરીકે જાહેરાત કર્યા બાદ જૂના કૉંગ્રેસી ગોત્રના અને વષો પહેલા ભાજપમાં જોડાયેલાં નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કૉંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાને ઉતારતા ભાજપે તેમની સામે પાટીદાર ધારાસભ્યોને આકર્ષવા નરહરિ અમીનને મેદાને ઉતાર્યા છે.
ગુજરાત વિધાનસભામાં હાલની સ્થિતિએ ભાજપ પાસે ત્રીજા ઉમેદવારને જીતાડી શકાય તેટલા મતોમાં આઠ મત ખૂટે છે, પરંતુ કૉંગ્રેસના પાંચથી વધુ ધારાસભ્યોને ક્રોસ વોટીંગ કરાવીને અમીનને જીતાડવા માટેની પંરપરાંત બની ગયેલી પોતાની રણનીતિ ભાજપે અપનાવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now